- Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
- રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
- Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
- એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
- Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
- ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
- ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
- જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
Author: Shri Nutan Saurashtra
હાટકેશ્વર એ શિવનું જ એક સ્વરૂપ છે, અને અમારા નાગરનાં ઇષ્ટદેવ છે, તો તે નિમિત્તે હાટકેશ્વર દાદાના ચરણોમાં સમસ્ત નાત તરફથી કોટી કોટી વંદન, અને નાગરોને વિચારવાન બનાવી સદા ગર એટલે કે વેરઝેર મુક્ત રાખવાં માર્ગદર્શન કરતાં રહે એવી એક પ્રાર્થના. જન્મથી કોઈ વરણ નક્કી નથી થતું! એ વાત સાથે પૂર્ણ પણે સમર્થન છે! પરંતુ સમયની માંગ છે, કે હવે વૈશ્વિક રીતે વસુધૈવ કુટુંબની ભાવના માટે મનમાંથી ઝેર અથવા તો મેલને કાઢીને જીવીશું તો જ શાંતિ મળશે! અને એટલે ખુદ નાગરો એ પણ પોતાનાં વાસ્તવિક ગુણોનું દર્શન કરી ગુણ કેળવવા પડશે! નહીં તો વળી કોઈક નરસિંહને સતાવ્યાની હાય લાગશે !…
સદીઓથી, ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનો મુખ્ય મંત્ર “અતિથિ દેવો ભવ” રહ્યો છે, જેણે માત્ર સામાજિક મૂલ્યોને આકાર આપ્યો જ નહીં પરંતુ ભારતની વૈશ્વિક ઓળખ પણ સ્થાપિત કરી. જો કે, આજના બદલાતા સમયમાં, આ મંત્રને વ્યાપક અને વધુ સમકાલીન સ્વરૂપ આપવાની જરૂર છે, તેને “નાગરિક જ ભગવાન છે” તરીકે સ્થાપિત કરવાની જરૂર છે. આ માત્ર એક સૂત્ર નથી, પરંતુ શાસનમાં મૂળભૂત પરિવર્તનની ફિલસૂફી છે. જ્યાં સુધી નાગરિક શાસનના કેન્દ્રમાં ન હોય ત્યાં સુધી વિકાસનું કોઈપણ વિઝન અધૂરું રહેશે. આ મંત્ર માત્ર એક સૂત્ર નથી, પરંતુ શાસનના સ્વભાવમાં ધરમૂળથી પરિવર્તન લાવવાનું આહ્વાન છે. 2 એપ્રિલ, 2026 ના રોજ કર્મયોગી સાધના સપ્તાહ દરમિયાન…
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓનું મુખ્ય વિશ્લેષણ હંમેશા મુસ્લિમ મતો પર કેન્દ્રિત છે. ઘણા વર્ષોથી રાજ્યમાં સત્તા સંભાળી રહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીની સતત જીતમાં મુસ્લિમ મતોને મુખ્ય પરિબળ માનવામાં આવે છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, બંગાળની વસ્તી આશરે ૯૧.૩ મિલિયન હતી, જેમાંથી મુસ્લિમો આશરે ૨૫ મિલિયન હતા. હાલમાં, બંગાળની કુલ વસ્તી ૧૦૫ મિલિયનથી વધુ થશે, જેમાં મુસ્લિમોની સંખ્યા ૩ કરોડથી વધુ થવાની સંભાવના છે. બંગાળના મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં મુર્શિદાબાદ (૬૬.૩ ટકા), માલદા (૫૧.૩ ટકા), ઉત્તર દિનાજપુર (૫૦ ટકા), બીરભૂમ (૩૭ ટકા), દક્ષિણ ૨૪ પરગણા (૩૫.૫ ટકા) અને નાદિયા (૨૬.૭ ટકા)નો સમાવેશ થાય છે. જો ભાજપ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જોરદાર લડાઈ…
છ દિવસના તફાવતમાં ફિલ્મના બિઝનેસ પ્રોસ્પેક્ટસમાં બહુ મોટો ફરક પડવાનો નથી Mumbai, તા.૩ અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ની રીલિઝ છ દિવસ માટે પાછળ ઠેલવાની જાહેરાત કરાઈ છે. આ સંજોગોમાં આ કોઈ બિઝનેસલક્ષી નિર્ણય કરતાં પબ્લિસિટી માટે ગતકડું હોવાની શક્યતા વધારે છે તેવી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ તા. ૧૦મી એપ્રિલને બદલે હવે તા. ૧૬મી એપ્રિલે રીલિઝ થવાની છે. કારણ એવું અપાયું છે કે હજુ પણ રણવીરની ‘ધુરંધર ટુ’ ટિકિટબારી પર ટંકશાળ પાડી રહી હોવાથી આ નિર્ણય લેવાયો છે. જોકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર કોઈ ફિલ્મ એકાદ-બે મહિના પાછળ ખસે તો વિતરણની મજબૂરી તથા બિઝનેસની સંભાવનાઓની વાત સમજી શકાય છે. પરંતુ, …
ઓમ રાઉત અને અજય દેવગણ ફિલ્મનું બજેટ ફાઈનલ કરી રહ્યા છે, ત્યારબાદ ફિલ્મની ઔપચારિક જાહેરાત કરાશે Mumbai, તા.૩ અજય દેવગણ અને ઓમ રાઉત ફરી બીજી વખત સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પહેલા તેમણે ફિલ્મ ‘તાનાજી’માં સાથે કામ કર્યું હતું. બન્ન જણા વધુ એક મરાઠા વોરિયરની વાર્તા રજૂ કરશે તેવી ચર્ચા છે. એક રિપોર્ટના અનુસાર, અજય દેવગણ અને ઓમ રાઉત ઘણા સમયથી અનસંગ વોરિયર સીરીઝની નવી ફિલ્મ લાવવા માટે વાતચીત કરી રહ્યા હતા. ઓમ રાઉતે થોડા દિવસો પહેલા જ અજય દેવગણને એક મરાઠા વોરિયરની વાર્તા સંભળાવી હતી જે અભિનેતાને પસંદ પડી હતી. આ પછી ઓમ રાઉત ફિલ્મની તૈયારી…
અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરે ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ બીજા દીકરાનો જન્મ થયો હતો Mumbai તા.૩ અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરે ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ બીજા દીકરાનો જન્મ થયો હતો. સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી શેર કરી હતી. જો કે સોનમ કપૂર કે આનંદ આહુજાએ હજુ સુધી તેના દીકરાની ઝલક દેખાડી ન હતી. પરંતુ હવે સોનમ કપૂરની બહેન રિયા કપૂરે સોનમ કપુરના નાના દીકરાની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. રિયા કપૂરે તેના ઈન્સ્ટા અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેના હાથમાં સોનમ કપૂરનો નાનો દીકરો…
ફિલ્મનાં ટીઝર અને બે ગીતો સહિત કેટલીક સામગ્રી જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાં રિલીઝ ડેટનો ઉલ્લેખ નથી Mumbai, તા.૩ જો બધું આયોજન મુજબ થયું હોત, તો સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘બેટલ ઑફ ગલવાન’ આ મહિને ૧૭ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જોકે, વધારાના શૂટિંગને કારણે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી. ગયા મહિને, ફિલ્મનું નામ બદલીને ‘માતૃભૂમિ’ રાખવામાં આવ્યું હતું. ફિલ્મનાં ટીઝર અને બે ગીતો સહિત કેટલીક સામગ્રી જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાં રિલીઝ ડેટનો ઉલ્લેખ નથી. આ દરમિયાન, ચાહકો સતત સોશિયલ મીડિયા પર પૂછતા રહ્યા છે કે સલમાન ખાન અને નિર્માતાઓ આ ફિલ્મની રિલીઝ ડેટ ક્યારે જાહેર કરશે. ત્યારે…
શાહિદ કપૂર અને ક્રિતિ સેનનની આ સાય-ફાઈ રોમેન્ટિક કોમેડી, જે પ્રેમ અને ટેન્કોલોજી પરના અનોખા અભિગમ માટે લોકપ્રિય બની Mumbai, તા.૩ હિટ રોબોટ લવ સ્ટોરી હવે વધુ મોટી અને સ્ટાર-સ્ટડેડ સિક્વલ માટે તૈયાર થઈ રહી છે. ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ની પ્રભાવશાળી બોક્સ ઑફિસ સફળતા અને મજબૂત પ્રતિસાદ બાદ, મેડોક ફિલ્મ્સે શાંતિથી તેની સિક્વલ પર કામ શરૂ કરી દીધું છે. એવા અહેવાલો છે કે, શાહિદ કપૂર અને ક્રિતિ સેનનની આ સાય-ફાઈ રોમેન્ટિક કોમેડી, જે પ્રેમ અને ટેન્કોલોજી પરના અનોખા અભિગમ માટે લોકપ્રિય બની, હવે વધુ મોટી ળેન્ચાઇઝી તરીકે વિસ્તારવામાં આવી રહી છે.સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સિક્વલમાં શાહિદ કપૂર…
ફિલ્મ ૨ પાર્ટમાં રિલીઝ થવાની છે જેનો પહેલો પાર્ટ ૨૦૨૬ ના એન્ડમાં દિવાળી પર રિલીઝ થશે Mumbai, તા.૩ નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ રામાયણ ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી અને ભવ્ય ફિલ્મ હોવાનું અનુમાન છે. આ ફિલ્મ ૨ પાર્ટમાં રિલીઝ થવાની છે જેનો પહેલો પાર્ટ ૨૦૨૬ ના એન્ડમાં દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મ જોવાને લઈને દર્શકો આતુર છે. આ આતુરતાનો અંત હનુમાન જયંતીના દિવસે આવ્યો છે. હનુમાન જયંતી પર ફિલ્મના મેકર્સ દ્વારા રામાયણ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં ભગવાન રામની ઝલક દેખાડવામાં આવી છે. ફિલ્મનું ટીઝર ભવ્ય છે અને તેમાં રણબીર કપૂરને રામ તરીકે દેખાડવામાં આવ્યો…
તમારે પોતાની જાતને પણ પિછાણવી જોઈએ અને માત્ર તમારા કામ પૂરતાં મર્યાદિત ન રહેવું જોઈએ : ફાતિમા Mumbai, તા.૩ ફાતિમા સના શેખે એક્ટિંગની દુનિયામાં પોતાની પ્રભાવશાળી સફર ખેડી છે, જે બાળ કલાકાર તરીકેની તેની પ્રથમ ફિલ્મ “ચાચી ૪૨૦”થી લઈને તેના લોકપ્રિયતા અપાવનાર ફિલ્મ “દંગલ” અને તાજેતરની રિલીઝ “ગુસ્તાખ ઇશ્ક” સુધી તેના અભિનેત્રી તરીકેના વિકાસને દર્શાવે છે. તાજેતરમાં, ફાતિમાએ પોતાની અત્યાર સુધીની સફર, પસંદગીઓ અને અભિનય કળા પ્રત્યે વિકસેલી દૃષ્ટિ વિશે વાત કરી હતી. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની શરતો પર આગળ વધવા અને પરંપરાગત ભૂમિકાઓથી અલગ પસંદગીઓ કરવા વિશે ખુલીને વાત કરી હતી.ફાતિમા સના શેખે જણાવ્યું, “હું એવી વાર્તાઓ તરફ આકર્ષાઉં…
