Author: Vikram Raval

૨૭મી એપ્રિલે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવશે Bengaluru, તા.૨૬ ભારતની સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થા – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઇસરો)ના પૂર્વ ચેરમેન કે.કસ્તુરીરંગનનું શુક્રવારે સવારે નિધન થયું છે. એ ૮૪ વર્ષના હતા. તેમણે બેંગલુરુમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા. ૨૭મી એપ્રિલે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવશે. કસ્તુરીરંગનને બે વર્ષ પહેલા હાર્ટએટેક આવ્યો હતો. ત્યાર પછી બીમારીનો સામનો કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેમના નિધન અંગે શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કસ્તુરીરંગન ૧૯૯૪થી ૨૦૦૩ સુધી ઈસરોના ચેરમેન રહ્યા હતા. તેમના નેતૃત્વમાં…

Read More

દારે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેના ભારતના કોઈ પણ દુઃસાહસનો જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે Islamabad, તા.૨૬ પહેલગામમાં થયેલાં અમાનવીય આતંકી હુમલાંને પાકિસ્તાન સાથે સાંકળવાના ભારતના પ્રયાસોને પાકિસ્તાની સેનેટે એક પ્રસ્તાવ પસાર કરી ફગાવી દીધાં છે.  પાકિસ્તાનની સંસદના ઉપલા ગૃહે ભારતના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યાં છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક દારે આ પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. પ્રસ્તાવમાં જણાવ્યાં અનુસાર, જળ આતંકવાદ અથવા સૈન્ય હુમલાં સહિતના કોઈ પણ પ્રકારના હુમલા સામે પાકિસ્તાન તેના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે. પ્રસ્તાવમાં પહેલગામ હુમલાને પાકિસ્તાન સાથે જોડવાના તમામ પ્રયાસોને ફગાવી દેતાં જણાવાયું છે…

Read More

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ્‌સ વિઝા રજિસ્ટ્રેશન રદ્દ કરવાના સરકારના નિર્ણય સામે કરાયેલા કેસની સુનાવણી દરમિયાન આ નિર્ણયની જાહેરાત કરાઈ હતી Washington, તા.૨૬ અમેરિકામાં અભ્યાસ કરતાં ભારત સહિત વિશ્વના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. ટ્રમ્પ વહીવટતંત્રએ શુક્રવારે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, જે વિદેશી વિદ્યાર્થીઓનો કાનૂની દરજ્જો એકાએક રદ્દ કરાયો હતો તેમના સ્ટુડન્ટ વિઝાનું રજિસ્ટ્રેશન પુનઃબહાલ કરાઈ રહ્યું છે. એક સરકારી વકીલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)એ દેશભરમાં અભ્યાસ કરતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો કાનૂની દરજ્જો રદ્દ કરવાનો નિર્ણય હાલ પૂરતો પાછો ખેંચ્યો છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ્‌સ વિઝા રજિસ્ટ્રેશન રદ્દ કરવાના સરકારના નિર્ણય સામે કરાયેલા…

Read More

સુરક્ષા એજન્સીઓએ સ્થાનિક બજારોમાં ફરતા રેલવે સુરક્ષા કર્મચારીઓને બિનજરૂરી તેમના બેરેકની બહાર નહીં નીકળવા ચેતવણી અપાઈ છે Srinagar,તા.૨૬ પહલગામમાં આતંકી હુમલાથી ભારતભરમાં આક્રોશ હજુ શાંત નથી થયો ત્યાં કાશ્મીર ખીણમાં હવે કાશ્મીરી પંડિતો અને રેલવે ઈન્ળાસ્ટ્રક્ચર પર હુમલાનું આતંકીઓ કાવતરું ઘડી શકે છે તેમ સુરક્ષા દળોનું માનવું છે. આ જોખમોને ધ્યાનમં રાખતાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. બીજીબાજુ પહલગામ આતંકી હુમલાના ચાર શકમંદ આતંકીઓ કઠુઆમાં દેખાયા હોવાનો એક મહિલાએ દાવો કરતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. પહલગામમાં આતંકીઓએ પર્યટકોને નિશાન બનાવતા હુમલો કરતાં ભારતભરમાં આક્રોશ ફેલાયેલો છે. હવે સુરક્ષા એજન્સીઓને એવા ઈનપુટ મળ્યા છે કે આતંકીઓ…

Read More

૨૦૧૦ પછી એક જ ત્રિમાસિક ગાળામાં નાદારી પામેલ કંપનીઓની આ સૌથી મોટી સંખ્યા છે Washington, તા.૨૬ અમેરિકામાં નાદારીમાં જતી કંપનીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરમાં અમેરિકામાં ૧૮૮ મોટી કંપનીઓ નાદાર થઈ ગઈ છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં ૪૯% વધુ છે. ૨૦૧૦ પછી એક જ ત્રિમાસિક ગાળામાં નાદારી પામેલ કંપનીઓની આ સૌથી મોટી સંખ્યા છે. ૨૦૨૦ની કોરોના મહામારી દરમિયાન પણ આ સંખ્યા ૧૫૦ને પાર કરી શકી નથી. આ રીતે મોટી અમેરિકન કંપનીઓના નાદારીનો ૧૫ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ગયા વર્ષે દેશમાં કુલ ૬૯૪ મોટી કંપનીઓ નાદાર થઈ ગઈ હતી.૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરમાં અમેરિકામાં ઔદ્યોગિક ક્ષેત્રની ૩૨…

Read More

ભારતે વિશ્વ બેંકની મધ્યસ્થી હેઠળ ૧૯૬૦માં હસ્તાક્ષર કરાયેલ સિંધુ જળ સંધિ પર પુનર્વિચાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે Lahore, તા.૨૬ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ક્રૂર હુમલામાં ૨૭ નિર્દોષ નાગરિકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી તણાવ વધુ ઘેરો બન્યો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આક્રમક અને ઉશ્કેરણીજનક નિવેદનો આપીને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી.એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિ અંગે ભારતને સીધી ધમકી આપી. તેમણે કહ્યું, “હું સિંધુ નદીના કિનારે ઊભા રહીને ભારતને કહેવા માંગુ છું કે સિંધુ…

Read More

હાલમાં પોલીસ બધાની પૂછપરછ કરવામાં આવી છે અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે Ahmedabad, તા.૨૬ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. આજે વહેલી સવારે ૩ વાગ્યાથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે,   ઝોન ૬ અને હેડક્વાર્ટરની ટીમો સાથે મળીને, અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઇમિગ્રન્ટ્‌સને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશનનું આયોજન કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન, ૪૦૦થી વધુ શંકાસ્પદ ઇમિગ્રન્ટ્‌સની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ પાસે ૪૫૭ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો વસતા હોવાની આધારભૂત માહિતીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન હાથ…

Read More

બલૂચ લિબરેશન આર્મીએ ક્વેટા નજીક માર્ગટ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર હુમલો કરીને ૧૦ સૈનિકોને ઠાર કર્યાનો દાવો કર્યો હતો Lahore તા.૨૬ બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના ઉપર મોટો હુમલો થયો હતો. બલૂચ લિબરેશન આર્મીએ ક્વેટા નજીક માર્ગટ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર હુમલો કરીને ૧૦ સૈનિકોને ઠાર કર્યાનો દાવો કર્યો હતો. આ હુમલો રિમોટ કંટ્રોલ ઈમ્પ્રોવાઇઝ એક્સપ્લોસિવ ડિવાઈસ દ્વારા કર્યો, જેમાં સેનાના વાહનો તબાહ થયા હતા.આ વિસ્તાર લાંબા સમયથી બલૂચ વિદ્રોહીઓની ગતિવિધિનું કેન્દ્ર રહ્યું છે. હુમલાને લઈ પાકિસ્તાની સેના તરફથી હાલ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. બલૂચ લિબરેશન આર્મી છેલ્લા થોડા સમયથી બલૂચિસ્તાનની આઝાદીની માંગને લઈ સંઘર્ષ કરી રહી છે.શુક્વારે મોડી રાત્રે…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળો તેમજ ભારત – અમેરિકા વચ્ચે દ્વિપક્ષિય વેપાર કરાર થવાની સંભાવનાઓ સાથે સ્થાનિક સ્તરે પણ જીડીપી અને ફુગાવો કાબૂના રહેવાના અહેવાલોએ વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં કમબેક કરતા ગત સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં સુધારોનો માહોલ જોવા મળ્યો હતો, જો કે સપ્તાહના અંતે પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારની કાર્યવાહી પર નજર સાથે જેપી મોર્ગને અમેરિકા અને વૈશ્વિક મંદીનો અંદાજ ૪૦%થી વધારી ૬૦% કરતાં અને ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ ૬.૩%થી ઘટાડી ૬.૧% કરતાં ડેરિવેટિવ્ઝ એક્સપાયરી પૂર્વે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ…

Read More

સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.1,058 અને ચાંદીમાં રૂ.3,675નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.243 લપસ્યો કોટન-ખાંડીના વાયદામાં રૂ.340ની તેજીઃ મેન્થા તેલ, નેચરલ ગેસ ઢીલાઃ બિનલોહ ધાતુઓમાં એકંદરે સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,36,900 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7,32,302 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.39 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 16થી 22 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 1,00,55,864 સોદાઓમાં કુલ રૂ.8,69,242.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,36,900.90 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7,32,302.92 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 11,06,474 સોદાઓમાં રૂ.91,560.61 કરોડનાં કામકાજ થયાં…

Read More