- Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
- Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
- Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
- Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
- Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
- Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
- Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
- Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
Author: Vikram Raval
Bhuj,તા.11 ભાતીગળ પ્રદેશ કચ્છને વર્ષ 2001માં તારાજ કરનારા મહાભૂકંપની વરવી યાદો લોકોના માનસપટ પર વારંવાર જીવંત કરી સતત ધ્રુજાવી રહેલા આફ્ટરશોક્સની વણથંભી વણઝાર ચાલુ રહી છે તેવામાં મંગળવારની મધ્યરાત્રીના 1 અને 11 મિનિટે 2.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. આ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 11મી માર્ચની રાત્રીના સમયે 1 અને 11 મિનિટે ભચાઉથી 14 કિલોમીટર દૂર હલરા અને રામપર ગામ વચ્ચે કેન્દ્રબિંદુ ધરાવતા 2.8ની તીવ્રતાનું કંપન ઉદભવ્યું હતું. ભૂકંપના આ કંપનની અસર કેન્દ્રબિંદુ આસપાસના વિસ્તારમાં વિશેષ અનુભવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈશુના નવા વર્ષ 2025ના શરૂઆતી માસમાં 3થી ઉપરની તીવ્રતા ધરાવતા છથી વધુ…
Canada,તા.11 સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં જસ્ટિન ટ્રુડો ખુરશી પકડીને ચાલતા જોઈ શકાય છે. આ દરમિયાન, તે કેમેરા જોઈને ઉત્સાહિત જોવા મળે છે. હાઉસ ઓફ કોમન્સમાં તેમના હાથમાં પોતાની ખુરશી છે. કેનેડાના નવા વડા પ્રધાનની પસંદગી થઈ ગઈ છે. માર્ક કાર્ની દેશના નવા વડા પ્રધાન બનશે. પરંતુ તેમના રાજ્યાભિષેક પહેલા સોમવારે લિબરલ પાર્ટીનું એક સંમેલન યોજાયું હતું. આ દરમિયાન જસ્ટિન ટ્રુડોને સત્તાવાર રીતે વિદાય આપવામાં આવી. પરંતુ આ સમય દરમિયાન, ટ્રુડોની એક તસવીર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરમાં જસ્ટિન ટ્રુડો ખુરશી પકડીને ચાલતા જોઈ શકાય છે. આ દરમિયાન, તે કેમેરા જોઈને…
Washington,તા.11 અમેરિકામાં ટ્રમ્પ શાસનના આગમન બાદ વિઝા સહિતના જે ઈમીગ્રેશન નિયમો કડક બનાવાયા છે તેમાં લોસ એન્જલસ પહોંચેલા પાકિસ્તાનના તુર્કમેનીસ્તાન રાજદૂતને પણ અમેરિકામાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો અને તેમને તાત્કાલીક અમેરિકા છોડવા જણાવી દઈને પાકિસ્તાનનું જબરુ અપમાન કરાયુ હતું. તુર્ક મેનીસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે.અહેસાસ વાગન પાસે અમેરિકાના પ્રવેશના અને રોકાણના તમામ માન્ય વિઝા હતા અને તેઓ લોસ એન્જલસની વ્યક્તિગત ખાનગી મુલાકાતે પહોંચ્યા હતા પણ તેમને એરપોર્ટ પર જ અટકાવી દેવામાં આવ્યા. એટલું જ નહી તેમના દસ્તાવેજો માન્ય હોવા છતાં પણ અમેરિકી ઈમીગ્રેશન અધિકારીઓએ તેમને પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને બીજી એક ફલાઈટમાં પરત ચાલ્યા ગયા…
Jaipurતા.11 રાજસ્થાન હાઈકોર્ટની જયપુર બેન્ચે 13 વર્ષની બળાત્કાર પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. ન્યાયાધીશ સુદેશ બંસલની કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, જો પીડિતાને બાળકની ડિલિવરી માટે દબાણ કરવામાં આવે તો તેણીને જીવનભર પીડા સહન કરવી પડશે. આમાં બાળ સહાયથી લઈને અન્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે. બાળકને જન્મ આપવાથી પીડિતાના માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે. આને અવગણી શકાય નહીં. કોર્ટે મહિલા હોસ્પિટલ, સાંગાનેર (જયપુર) ના અધિક્ષકને મેડિકલ બોર્ડ પાસેથી સગીર છોકરીના ગર્ભપાતની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો. જો ગર્ભ જીવંત મળી આવે, તો તેને જીવંત રાખવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. ભવિષ્યમાં, રાજ્ય સરકારના ખર્ચે ગર્ભનું પાલન-પોષણ કરવામાં આવશે.…
New Delhi,તા.11 ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું અંગત જીવન હાલના સમયમાં સમાચારોમાં છે. ગયા વર્ષે હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા પછી, હાલમાં જ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાની ચર્ચા ઇન્ટરનેટ પર છે. આ દરમિયાન, ક્રિકેટર મનીષ પાંડે અને તેની પત્ની આશ્રિતા શેટ્ટી દ્વારા લેવામાં આવેલા પગલાં તેમના વૈવાહિક જીવનમાં ખટાશ તરફ ઈશારો કરે છે. ભારત માટે 68 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર મનીષ પાંડેએ ડિસેમ્બર 2019 માં અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. જોકે, સોશિયલ મીડિયા પર તેમની તાજેતરની પ્રવૃત્તિઓએ તેમના વૈવાહિક દરજ્જા અંગે અફવાઓને વેગ આપ્યો છે. ઘણીવાર સાથે જોવા મળતું આ કપલ છેલ્લા ઘણા દિવસોથી કોઈ જાહેરમાં જોવા મળ્યું નથી.…
New Delhi તા.11 ભારત અને અમેરિકા વચ્ચેના કવાડ સહિતની સમજુતીઓમાં આ વર્ષના અંતે ભારતમાં કવાડ રાષ્ટ્રોની શિખર બેઠક યોજાનાર છે તે પુર્વે અમેરિકી સુરક્ષા અને સંરક્ષણ વિભાગ સાથે જોડાયેલા સીનીયર અધિકારીઓ અને મંત્રીઓના ભારતમાં પ્રવાસ શરુ થઈ ગયા છે. તેમાં હાલમાં જ અમેરિકી ઈન્ટેલીજન્સ વિભાગના વડા તરીકે નિયુક્ત થયેલા તુલસી ગબાર્ડ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ટ્રમ્પ શાસને તુલસી ગબાડને આ મહત્વના પદ પર જવાબદારી સોંપ્યા બાદની તેમની આ પ્રથમ વિદેશ મુલાકાત છે. તેઓ જાપાન, થાઈલેન્ડ અને ભારતની મુલાકાત લેનાર છે. 43 વર્ષીય તુલસી ગબાર્ડ અમેરિકી સૈન્યના પુર્વ સૈનિક છે અને ત્રણ વખત તેણે ઈરાક યુદ્ધમાં ભાગ લીધો હતો અને આફ્રિકા…
Mumbai,તા.11 દેશમાં વિમાની સેવા અને એરપોર્ટ પર બોમ્બની સતત મળી રહેલી ધમકીઓ આજે મુંબઈથી ન્યુયોર્ક જતી ફલાઈટ ટોઈલેટમાં બોમ્બ હોવાની ધમકી આપતી ચિઠ્ઠી મળતા જ જબરી અફડાતફડી મચી ગઈ હતી અને વિમાન મુંબઈ વિમાની મથકે પરત ફર્યુ હતું. તમામ મુસાફરોને વિમાનમાં ઉતારીને પછી તલાશી લેવામાં આવી રહી છે. 322 મુસાફરો અને ક્રુમેમ્બર સાથેની ફલાઈટ એઆઈ 119માં ટોઈલેટમાં એક નાની ચીઠ્ઠી મળી હતી જેમાં બોઈંગ 771-300માં બોમ્બ ગોઠવાયો હોવાની ધમકી અપાઈ હતી. વિમાન આ સમયે તેની ન્યુયોર્કનો પ્રવાસ શરૂ કર્યો હતો અને એર ઈન્ડીયાની યાદીમાં જણાવ્યા મુજબ સુરક્ષા પ્રોટોકોલ મુજબ ફલાઈટને તુર્તજ મુંબઈ અરપોર્ટ પર પરત બોલાવાઈ હતી અને મુસાફરોને સલામત…
Jaipur,તા.11 દેશમાં મહિલાઓ પર અત્યાચાર ઉપરાંત દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ પર આક્રોશ વ્યક્ત કરતા રાજસ્થાનના રાજયોને હરિભાઉ બાગડેમાં દુષ્કર્મ આચરનારની કુતરાની માફક નસબંધી કરી તેને નપુસંક બનાવી દેવાની હિમાયત કરતા વિવાદ સર્જાઈ ગયા છે. તેઓએ રાજયના ભરતપુર જીલ્લામાં એક કાર્યક્રમમાં બાર એસો.ના સભ્યોને સંબોધન કરતા મહારાષ્ટ્રમાં જે રીતે કુતરાઓની નસબંધી કરી તેની વસતિ વધતી અટકાવાઈ હતી તેનું દ્રષ્ટાંત આપ્યુ હતું. તેઓએ કહ્યું કે, દુષ્કર્મ કરનારાઓ પર આ જ પ્રકારે કાર્યવાહી થવી જોઈએ જેથી તે બીજા માટે એક બોધપાઠ બની રહેશે. તેઓએ કહ્યું કે જો મહિલાઓ સામે દુષ્કર્મ સહિતના અપરાધો પર નિયંત્રણ લગાવવામાં આવશે નહી તો પછી મહિલાઓ સમાજમાં સલામત રહેશે…
Patna તા.11 ધુળેટીના દિવસે મુસ્લીમોને ઘરમાં જ રહેવાની ઉતરપ્રદેશના સંભલના પોલીસ અધિકારીની સલાહને મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે પણ સમર્થન આપ્યા બાદ હવે બિહારમાં પણ ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુરે સમાન ચેતવણી ઉચ્ચારતા જબરો વિવાદ સર્જાયો છે. હિન્દુઓનો રંગોત્સવ-ધુળેટીનો તહેવાર તથા રમજાનમાં મુસ્લીમોની જુમ્માની નમાજનો દિવસ એક જ હોવાથી તનાવની સ્થિતિ સર્જાવાની ભીતિથી સરકાર-તંત્ર એલર્ટ છે જ ત્યારે ઉતરપ્રદેશ બાદ બિહારમાં પણ ભાજપના ધારાસભ્યે આક્રમક વિધાન કર્યુ છે. બિહારના મધુબની જિલ્લાના ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુરે કર્યુ કે આ વખતે ધુળેટી શુક્રવારે છે. મુસ્લીમોના રમજાનના જુમ્મા પણ તે જ દિવસે છે ત્યારે મુસ્લીમોએ ધુળેટીના દિવસે ઘરમાં જ રહેવુ જોઈએ અને ધુળેટીના તહેવારમાં કોઈ વિધ્ન…
Kolkata, પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટીની દિવાલ પર આઝાદ કાશ્મીર અને મુક્ત પેલેસ્ટાઇનનું ચિત્ર (ગ્રેફિટી) બનાવવામાં આવ્યું હતું. આ ગ્રેફિટી 10 માર્ચે પરીક્ષા ચાલી રહી હતી ત્યારે બનાવવામાં આવી હતી. આ અંગે, પોલીસ કથિત રીતે સાદા કપડામાં કેમ્પસમાં પહોંચી હતી. આ કેસમાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનના સમર્થકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુનિવર્સિટીના એક પ્રોફેસર શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે સંકળાયેલા છે. આ પેઇન્ટિંગ યુનિવર્સિટીના ગેટ નંબર ત્રણ પાસેની દિવાલ પર બનાવવામાં આવ્યું હતું. એવું પણ લખ્યું હતું કે ફાસીવાદી શક્તિઓનો નાશ કરવો જ જોઇએ. આ પેઇન્ટિંગ બનાવવામાં કઈ સંસ્થાનો સમાવેશ થાય છે તે હજુ…
