દેશમાં વિશ્વમાં યુધ્ધની વિહવળતાં વચ્ચે પાંચ રાજ્યમાં વિધાનસભાની તથા આપણા રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયત મહા નગર પાલિકા, પાલિકાઓની ચૂંટણીઓનો માહોલ બરોબરનો જામી રહયો છે.પ્રજા વર્તમાન શાસન વ્યવસ્થાથી ત્રાહિમામ પોકારી ગઈ છે પણ તેનું પરિણામ શૂન્ય જ રહેતાં પ્રજાની વિહવળતાં પ્રજાના હૃદયમાં ધરબાયેલી જ રહે છે.આ ક્યાં લોકશાહી છે. લોકો અને કુદરત બંને વિહવળ હોય તેવું લાગે છે હવામાનમાં પલટો આવવો એ સામાન્ય બન્યું પણ જુઠ્ઠાણા આગળ પાંગળા દેખાઈ રહ્યા છે ત્યારે આજે આપણે ચિંતનાત્મક લેખમાં જોઇએ તો એક સમયે,એક શિષ્ય હતો જે પોતાના ગુરુને ખૂબ માન આપતો હતો. ગુરુને પણ આ શિષ્ય પ્રત્યે ખૂબ પ્રેમ હતો;જોકે,તે શિષ્ય પોતાના અભ્યાસમાં આળસુ અને સ્વભાવે ઢીલાશ વાળો હતો.તે સતત પોતાના અભ્યાસથી બચવાનો પ્રયાસ કરતો હતો અને આજના કાર્યોને આદતથી આવતીકાલ સુધી મુલતવી રાખતો હતો. પરિણામે, ગુરુ થોડા ચિંતિત થવા લાગ્યા, તેમને ડર હતો કે તેમના આ શિષ્યનો જીવનયુદ્ધમાં પરાજય થશે. સુસ્તીમાં વ્યક્તિને સંપૂર્ણપણે નિષ્ક્રિય બનાવવાની સંપૂર્ણ ક્ષમતા હોય છે. આવી વ્યક્તિ કોઈપણ પ્રયત્નો કર્યા વિના ફળ મેળવવા માંગે છે. તે તાત્કાલિક નિર્ણયો લેવામાં અસમર્થ હોય છે, અને જો તે નિર્ણય લેવામાં સફળ થાય તો પણ તે તેને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે.તે તેના નજીક ના વાતાવરણથી પણ અજાણ રહે છે અને ભાગ્ય દ્વારા તેને આપવામાં આવેલી તકોનો લાભ લેવાની કુશળતાનો અભાવ ધરાવે છે. તેના મનમાં,ગુરુએ તેના શિષ્યના કલ્યાણ માટે એક યોજના ઘડી.એક દિવસ,શિષ્ય ના હાથમાં કાળા પથ્થરનો ટુકડો આપતા, ગુરુએ કહ્યું,”હું આ જાદુઈ પથ્થર તમને બે દિવસ માટે સોંપી રહ્યો છું,કારણ કે હું બીજા ગામ જવા માટે જઈ રહ્યો છું.
તમે આ પથ્થરથી જે પણ લોખંડની વસ્તુને સ્પર્શ કરશો તે સોનામાં પરિવર્તિત થઈ જશે…” “તે થઈ જશે; જોકે, યાદ રાખો કે બીજા દિવસે સૂર્યાસ્ત સમયે, હું તમારી પાસેથી તે પાછું મેળવીશ.”
શિષ્ય આ સુવર્ણ તક પ્રાપ્ત કરીને ખૂબ જ ખુશ હતો; છતાં, સ્વભાવે આળસુ હોવાથી, તેણે પોતાનો આખો પહેલો દિવસ દિવાસ્વપ્નોમાં ખોવાઈ ગયો- કલ્પના કરી કે જ્યારે તેની પાસે સોનાની વિશાળ સંપત્તિ હશે ત્યારે તે કેટલો ખુશ, આનંદિત, સમૃદ્ધ અને સંતુષ્ટ હશે, અને તેની પાસે એટલા બધા નોકરો હશે કે તેને પાણીનો ગ્લાસ પણ લાવવાની જરૂર નહીં પડે.પછી, બીજી સવારે,જ્યારે તે જાગ્યો, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ બીજો અને છેલ્લો દિવસ છે જે તેને સોનું મેળવવા માટે ઉપલબ્ધ છે. તેણે દ્રઢ નિશ્ચય કર્યો કે,ગમે તે થાય,તે તેના ગુરુ દ્વારાઆપવા માં આવેલા કાળા પથ્થરનો સંપૂર્ણ ઉપયોગ કરશે. તેણે નક્કી કર્યું કે તે બજારમાં જશે,મોટી લોખંડની વસ્તુઓ ખરીદશે અને તેને સોનામાં રૂપાંતરિત કરશે. દિવસ વીતતો ગયો,છતાં તે જ્યાં હતો ત્યાં જ બેઠો રહ્યો, પોતાને એ વિચારથી શાંત રાખતો હતો કે હજુ પણ ઘણો સમય બાકીછે કે તે ફક્ત બજારમાં જઈ શકે છે અને જ્યારે ઈચ્છે ત્યારે વસ્તુઓ લઈ શકે છે.તેણે મનમાં વિચાર્યુંકે હવે “તો, હું મારું ભોજન કર્યા પછી જ સામાન લાવવા નીકળીશ.જોકે, જમ્યા પછી આરામ કરવાની તેમની આદત હતી, અને મહેનત કરવા ઉભા થવાને બદલે,તેમણે થોડી રાહત લેવાનું વધુ યોગ્ય માન્યું. છતાં, તેમનું શરીર સુસ્તીથી ઘેરાયેલું ઊંઘના ઊંડાણમાં વહી ગયું, અને જ્યારે તે જાગ્યો, ત્યારે સૂર્ય આથમવાની અણી પર હતો પછી તે બજાર તરફ ઉતાવળમાં દોડવા લાગ્યો;જો કે,રસ્તામાં જ તેમને તેમના ગુરુ મળ્યા.તેમને જોતાં જ,તે તેમના પગે પડ્યો અને જાદુઈ પથ્થરને ફક્ત એક દિવસ માટે રાખવાની વિનંતી કરી.પરંતુ ગુરુ અડગ રહ્યા અને શિષ્યનું ધનવાન બનવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.તેમ છતાં,આ ઘટનાએ શિષ્યને એક ઊંડો પાઠ શીખવ્યો તેને પોતાની આળસ માટે ઊંડો પસ્તાવો થવા લાગ્યો. તેને સમજાયું કે આળસ તેના જીવન પર એક અભિશાપ છે અને તેણે પ્રતિજ્ઞા લીધી કે તે ફરી ક્યારેય પોતાની ફરજોથી દૂર નહીં રહે, તેના બદલે પોતાને એક મહેનતુ, સતર્ક અને સક્રિય વ્યક્તિ તરીકે સાબિત કરવાનો સંકલ્પ કરશે.
એક ગોપી શૃંગાર કરતી હતી, ત્યાં કનૈયાની વાંસળીનો અવાજ તેણે સાંભળ્યો. સુધબુધ ભૂલી ચંદ્રહાર ગળામાં પહેરવાને બદલે હાથમાં પહેરી તેણે દોટ મૂકી.
એક ગોપી ઘરમાં લીંપવાનું કામ કરતી હતી અને હાથ છાણથી ખરડાયેલા હતા.વાંસળીસાંભળી કે હાથ પણ ધોયા વગર શ્રીકૃષ્ણ ને મળવા દોડવા લાગી.
રાસલીલામાં જો લૌકિક કામની વાત હોય તો ગોપી શ્રૃંગાર કરી દર્પણમાં મુખ જોઈ હવે હું કેવી સુંદર લાગું છું તેની ખાતરી કરી શ્રીકૃષ્ણ પાસે જાય, પરંતુ અહીં તો ગોપીઓ છાણવાળા હાથે દોડે છે.આ બતાવે છે કે,આ લૌકિક કામની વાત નથી.
ઈશ્વરને મળવા માટે આવી આતુરતા જોઇએ. રામકૃષ્ણ પરમહંસ આનું દૃષ્ટાંત આપે છે.
એક શિષ્યે પોતાના ગુરુને પૂછ્યું કે, ઈશ્વરને માટે કેવી જિજ્ઞાસા જોઇએ? ઈશ્વરને પ્રાપ્ત કરવા કેવી વ્યાકુળતા જોઇએ?ગુરુએ કહ્યું, એ શબ્દનો વિષય નથી. શબ્દથી તેનું વર્ણન થઈ શકે નહીં. એ અનુભવનો વિષય છે. પ્રસંગ મળશે ત્યારે તને સમજાવીશ.
થોડા દિવસ પછી ગુરુ-શિષ્ય નદીએ સ્નાન કરવા ગયા. શિષ્ય જેવી જળમાં ડૂબકી મારી કે, ગુરુએ એનું મસ્તક પકડીને જળમાં અંદર દબાવી દીધું. શ્વાસ રુંધાતાં શિષ્યનો જીવ મૂંઝાવા લાગ્યો. એકદમ વ્યાકુળ થઇને તરફડિયાં મારવા લાગ્યો, ત્યારે ગુરુએ તેને છોડયો. શિષ્ય કહે, બાપ રે, મને તો લાગ્યું કે હમણાં જ મારા પ્રાણ હવા વગર છૂટી જશે! ગુરુએ કહ્યું કે, બસ તો! હવા માટે તું જેવો તરફડતો હતો. જીવ જ્યારે પ્રભુ માટે તરફડે ત્યારે પ્રભુ મળે! આવી વ્યાકુળતા વગર ઈશ્વર મળતા નથી.
ગોપી કથાએ સાધારણ સ્ત્રીની કથા નથી. દેહાધ્યાસ નષ્ટ થયા પછીની જીવની દશાની આ કથા છે. ગોપીઓને સગાંસંબંધીઓ અટકાવે છે પણ તે અટકતી નથી અટકી શકતી નથી. કારણ કે અટકવાનો વિચાર કરનારું મન એમની પાસે છે જ નહીં. એમનું મન એમની પાસેથી હરાઈ ગયુંછે મીરાંબાઈ એક ભજનમાં કહે છે કે,પ્રભુ,મારો જીવ પાણી બહાર પડેલી માછલીની પેઠે તરફડેછે. તારાં દર્શન વગર મને ચેન પડતું નથી.
હૃદયનો શુદ્ધ ભાવ છે તે ગોપી.
દર્શનમાં સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ભૂલે એ ગોપી.ઇન્દ્રિયોદ્વારા ભક્તિરસનું પાન કરે તે ગોપી.
ઘરમાં રહી ભક્તિ કરવી કઠણ છે.પોતાની સ્ત્રીમાં પણ માતૃભાવ રાખતાં આવડે તો ઘરમાં રહીને ભક્તિ થાય.ભક્તિ માં તન્મયતા આવે,પછી હું પુરુષ છું કે સ્ત્રી તેનું પણ ભાન રહેતું નથી.સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન જ્યાં સુધી છે ત્યાં સુધી કામ મનમાંથી જતો નથી.આ ગોપી ઓ સાધારણ જીવ નથી પણ ઋષિમુનિઓ છે. ગોપીઓમાં કેટલીક સાધનસિદ્ધા ગોપીઓ હતી,કેટલીક ઋષિરૂપા ગોપીઓ હતી,કેટલીક શ્રુતિરૂપા ગોપીઓ હતી,કેટલીકસ્વયંસિદ્ધા હતી, ત્યારે કેટલીક અનન્યપૂર્વા ગોપીઓ હતી.અનન્યપૂર્વા ગોપી ઓ અતિ અદ્ભુત છે. સંસારનો ભોગ ભોગવ્યા વિના જેને વૈરાગ્ય આવે છે તેવા જીવ એ અનન્ય પૂર્વા ગોપીઓ છે. હજારો વર્ષની તપસ્યા પછી થાકીને ઋષિમુનિ ઓએ ગોપીનો અવતાર લીધો છે.ઋષિઓ તપશ્ચર્યા કરી,યોગ સાધના કરી કંટાળી ગયેલા,તેથી પોતાનો કામ શ્રીકૃષ્ણને અર્પણ કરવા ગોપી ઓ થઇને આવેલાછે ઈશ્વરને અર્પણ કરેલા કામ નિષ્કામ બને છે.
વાચક ચાહક મિત્રો સૌને જય માતાજી સુપ્રભાત આજેઆપણે ચિંતનાત્મક લેખની શરૂઆતમાં જે વાત જોઈ તે જીવનમાં દરેક વ્યક્તિને અસાધારણ તકો મળે છે,છતાં ઘણા લોકો ફક્તપોતાની આળસને કારણે તેને ગુમાવે છે. તેથી, મારો સંદેશ આ છે:જો તમે સફળ,સુખી,ભાગ્યશાળી, ધનવાન અથવા મહાન બનવાની ઇચ્છા રાખો છો,તો આળસ અને વિલંબને બાજુ પર રાખો. તેના બદલે, તમારામાં શાણપણ, ખંતપૂર્વક પ્રયાસ અને સતત તકેદારી જેવા ગુણો કેળવો. અને જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ કાર્ય મુલતવી રાખવાનો વિચાર તમારા મનમાં આવે,ત્યારે તમારી જાતને એક સરળ પ્રશ્ન પૂછો: “આજે કેમ નહીં?”આજે આપણે અહીં અટકીએ અસ્તુ.
*યશપાલસિંહ ટી વાઘેલા દરબારગઢ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા-૯૪૨૮૬૭૮૬૯૯*

