Ahmedabad,તા.૭
શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મહાદેવજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી ભકતોએ શિવ પૂજા કરી હતી અમદાવાદ સહિત ગુજરાતભરના મહાદેવના મંદિરોમાં સવારથી જ ભકતોની ભીડ ઉમટી પડી હતી અને ભકતોએ શિવના શિવલીંગ પર દુધ,પાણી,બિલીપત્રનો અભિષેક કર્યો હતાં કેટલાક મહાદેવના મંદિરોમાં શિવપુરાણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારે ધોળેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં ભક્તિ, ભજન અને ભોજનનો અનોખો સંગમ જોવા મળ્યો છેલ્લા સોમવારે મહાદેવજીના શિવલિંગને શણગાર કરવામાં આવ્યો આ ઉપરાંત અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં મંદિરના પટાંગણમાં ભવ્ય ફૂલોની રંગોળી બનાવવામાં આવી છે.
આ ઉપરાંત આજના દિવસે દીપમાળા, ચાર પ્રહર આરતી, ફૂલોનો શણગાર, પ્રસાદ, યજ્ઞ અને અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું મંદિરમાં આયોજન કરવામાં આવ્યું હતું
શ્રાવણ માસમાં સમગ્ર અમદાવાદના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે અને દરેક શિવાલયમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. કર્ણાવતી નગરના નગરદેવતા કર્ણમુક્તેશ્વર મહાદેવમાં આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત નિર્ણયનગર ખાતે આવેલા રામેશ્વર મહાદેવમાં ભારે ભકતો ઉમટી પડયાં હતાં અને ભકતોએ મહાદેવના દર્શન કર્યા હતાં આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

