Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 07 જૂનનું પંચાંગ
    • 07 જૂનનું રાશિફળ
    • કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો
    • Rajkotમાં હિટ એન્ડ રન, બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું
    • પૂજા રાજગોર અકસ્માત પ્રકરણમાં Rajkot સિવિલ હોસ્પિટલના તબીબ અને પોલીસ વચ્ચે તું તું મે મેં
    • હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું
    • Rajkotના વૃદ્ધનો વાંકાનેરમાં ભત્રીજાના ઘરે આપઘાત
    • Rajkotમાં હત્યા કેસની ટ્રાયલ ડિલેના બહાને ફાઇનાન્સરની જામીન અરજી રદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ચાર કારણસર Shreyas Iyer બની શક્યો T20માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન
    ખેલ જગત

    ચાર કારણસર Shreyas Iyer બની શક્યો T20માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 6, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.06

    ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચા પર વિરામ મૂકતાં BCCIએ શ્રેયસ અય્યરને ભારતીય T20 ક્રિકેટ ટીમનો નવો કેપ્ટન બનાવી દીધો છે. આ નવા નિર્ણયની સાથે જ ટીમ ઇન્ડિયામાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપના સમયનો અંત આવ્યો છે. સૂર્યકુમારના નેતૃત્વમાં ભારતીય ટીમે ઘણી શાનદાર જીત મેળવી હતી, પરંતુ છેલ્લા બે વર્ષથી બેટિંગમાં તેમનું ફોર્મ ઘણું નબળું રહ્યું હતું. આ ઉપરાંત, બોર્ડની ભવિષ્યની વ્યૂહનીતિ અને 2028માં રમાનારા આગામી T20 વર્લ્ડકપના પ્લાનિંગમાં સૂર્યકુમાર ફિટ બેસતો નહોતો, જેના કારણે આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે શ્રેયસ અય્યરની આગેવાનીમાં ભારતની એક નવી યુવા ટીમ ભવિષ્યની ટૂર્નામેન્ટ માટે મેદાનમાં ઉતરશે.

    જોકે, અય્યર માટે કેપ્ટન પદ મેળવવું એટલું સરળ નહોતું. રેસમાં ઘણા મોટા નામો સામેલ હતા, પરંતુ આખરે આ 4 મુખ્ય કારણોને લીધે શ્રેયસ અય્યર બાજી મારી ગયો.

    1. વનડે અને T20માં એક જ કેપ્ટન રાખવાની નીતિ

    BCCI છેલ્લા ઘણા સમયથી વ્હાઇટ-બોલ ક્રિકેટ (વનડે અને T20) માટે એક જ કેપ્ટન રાખવાની નીતિ પર કામ કરી રહ્યું હતું. વિરાટ કોહલી અને રોહિત શર્માએ 2024નો T20 વર્લ્ડકપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. ત્યારપછી બોર્ડે સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલને અજમાવી જોયા, પરંતુ સૂર્યકુમાર વનડે ટીમમાં સેટ ન થઈ શક્યો અને ગિલ T20 ફોર્મેટમાં ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં. કેપ્ટન બનવાની આ રેસમાં સંજુ સેમસન, ઇશાન કિશન અને તિલક વર્મા પણ સામેલ હતા. તિલક વર્મા ભવિષ્યના ત્રણેય ફોર્મેટનો ખેલાડી છે, પરંતુ કેપ્ટન તરીકે તેનો ઓછો અનુભવ શ્રેયસ અય્યર માટે ફાયદાકારક સાબિત થયો.

    2. કેપ્ટનશિપનો લાંબો અને શાનદાર અનુભવ

    ચીફ સિલેક્ટર અજીત અગરકરની આગેવાની હેઠળની સમિતિએ અય્યરના બહોળા અનુભવને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે. શ્રેયસ અય્યર પાસે IPLમાં 100થી વધુ મેચમાં કેપ્ટનશિપ કરવાનો શાનદાર રેકોર્ડ છે. તે એમ.એસ. ધોની, રોહિત શર્મા, વિરાટ કોહલી અને વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીર પછી IPLમાં 100 મેચોમાં કેપ્ટનશિપ કરનારો પાંચમો ભારતીય ખેલાડી છે. અય્યરે દિલ્હી કેપિટલ્સ માટે 41, KKR માટે 30 અને પંજાબ કિંગ્સ માટે 20 મેચમાં કેપ્ટનશિપ કરી છે.

    કુલ 100 IPL મેચમાંથી તેણે 54 મેચમાં જીત મેળવી છે, જ્યારે 44માં હાર થઈ છે અને 2 મેચ પરિણામ વિનાની રહી છે. જો સ્થાનિક T20 મેચને પણ ઉમેરવામાં આવે, તો તે 127 મેચમાં કેપ્ટન રહ્યો છે જેમાંથી 74માં જીત મેળવી છે. તેની જ કપ્તાનીમાં KKR વર્ષ 2024માં ચેમ્પિયન બન્યું હતું અને ત્યારબાદના વર્ષે પંજાબની ટીમ ફાઇનલમાં પહોંચી હતી.

    3. કેપ્ટન તરીકે બેટિંગમાં તુફાની પ્રદર્શન

    શ્રેયસ અય્યરે માત્ર ટીમોને ચેમ્પિયન કે રનર્સ-અપ જ નથી બનાવી, પરંતુ પોતે આગળ રહીને બેટથી ધમાકેદાર પ્રદર્શન પણ કર્યું છે. ગયા વર્ષે અય્યરે પંજાબ માટે 17 ઇનિંગ્સમાં 50.33ની એવરેજથી 6 ફિફ્ટી સાથે 604 રન ફટકાર્યા હતા. જ્યારે તાજેતરમાં જ પૂરી થયેલી આ સીઝનમાં તેણે 14 મેચમાં 55.33ની શાનદાર એવરેજથી 1 સેન્ચુરી અને 5 ફિફ્ટીની મદદથી 498 રન બનાવીને સાબિત કર્યું કે તે જ ટીમ ઇન્ડિયાના કેપ્ટન પદ માટે સૌથી યોગ્ય દાવેદાર છે.

    4. સિલેકશન કમિટી અને ગૌતમ ગંભીર વચ્ચે ચર્ચા

    નવા કેપ્ટનની પસંદગી માટે સિલેક્શન કમિટીએ હેડ કોચ ગૌતમ ગંભીર સાથે લાંબી ચર્ચા કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, ગૌતમ ગંભીરે શરૂઆતમાં નવા કેપ્ટન તરીકે સંજુ સેમસનના નામની ભલામણ કરી હતી. પરંતુ જ્યારે કમિટીએ તેમની પાસેથી બીજો વિકલ્પ માંગ્યો, ત્યારે ગંભીરે શ્રેયસ અય્યરનું નામ આપ્યું હતું.

    બીજી તરફ, BCCIની એપેક્સ કાઉન્સિલ પણ અય્યરને જ નવો કેપ્ટન બનાવવાના પક્ષમાં હતી. આ તમામ સમીકરણો સાનુકૂળ રહેતા સિલેકશન કમિટી માટે શ્રેયસ અય્યરના નામ પર અંતિમ મહોર મારવી એકદમ સરળ બની ગઈ હતી.

    India T20 captain Shreyas Iyer
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ટીમ ઈન્ડિયામાં સામેલ થતાં જ Vaibhav Suryavanshi એ રચ્યો ઈતિહાસ,સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક

    June 6, 2026
    ખેલ જગત

    T20 માટે Team India ની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ

    June 6, 2026
    ખેલ જગત

    Afghanistan બાદ વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે

    June 6, 2026
    ખેલ જગત

    FIFA World Cup શરૂ થાય તે પહેલાં જ વિવાદોમાં : ટિકિટનાં ભાવ લાખોમાં

    June 6, 2026
    ખેલ જગત

    FIFA champion બનવાની ફોર્મ્યુલામાં બદલાવ : હવે 8 મેચ દૂર ટ્રોફી

    June 6, 2026
    ખેલ જગત

    Maharaja’s Trophy T20 Auction : કેએલ રાહુલ ‘અનસોલ્ડ’ રહ્યો, કરુણ નાયર સૌથી મોંઘો ખેલાડી

    June 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026

    Rajkotમાં હિટ એન્ડ રન, બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું

    June 6, 2026

    પૂજા રાજગોર અકસ્માત પ્રકરણમાં Rajkot સિવિલ હોસ્પિટલના તબીબ અને પોલીસ વચ્ચે તું તું મે મેં

    June 6, 2026

    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું

    June 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.