શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)
કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારમ્?
સદાવસન્તં હૃદયારવિન્દે ભવં ભવાની સહિતં નમામિ
હે ભગવાન શિવ, આપનો દેહ કપૂર જેવો ધવલ અને શાંત છે. આપ દયાના સાગર છો. આખું જગત આપનામાં જ સમાયેલું છે. આપના ગળામાં નાગરાજનો હાર શોભે છે. આપ હંમેશા માતા પાર્વતી સાથે ભક્તોના હૃદયમાં વાસ કરો છો. એવા આપને હું પ્રણામ કરું છું.
આ વર્ષે શ્રાવણ મહિનો પૂરા ૩૦ દિવસનોઃશ્રાવણ મહિના ની શરૂઆત ગુરૂવાર તારીખ ૧૩ ઓગસ્ટ ના દિવસથી થશે જ્યારે પૂર્ણાહુતિ ૧૧ સપ્ટેમ્બર શુક્રવારે થશે
સામાન્ય રીતે તેથી ના વધઘટને લીધે શ્રાવણ મહિનો ઘણીવાર ૨૯ દિવસ અથવા ૩૧ દિવસનો રહેતો હોય છે પરંતુ આ વર્ષે શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષ મા તેરસ ની વૃદ્ધિ તિથિ છે તથા વદ પક્ષ મા ચોથ ક્ષય તિથી છે આમ એક વૃદ્ધિ તિથિ અને એક ક્ષય તિથિ હોતા શ્રાવણ મહિનો પૂરા ૩૦ દિવસનો રહેશે
શ્રાવણ મહિનામાં શિવ પૂજાનુ મહત્વઃપૌરાણિક કથા પ્રમાણે સનત કુમારો શિવજીને પૂછે છે કે શ્રાવણ મહિનો જ શિવપૂજા માટે શા માટે ઉત્તમ ત્યારે શિવજી પોતે કહે છે કે શ્રાવણ મહિના ના દિવસો દરમિયાન માતા પાર્વતી એ શિવજી ને મેળવવા માટે તપસ્યા કરી તથા હતી અને માતા પાર્વતી ને શિવજી પ્રસન્ન થયા હતા અને શિવજી એ માતા પાર્વતી સાથે વિવાહ કર્યા હતા આથી શ્રાવણ મહિનો શિવ પૂજા માટે તે દિવસ થી મહત્વનો ગણવામાં આવે છે શ્રાવણ મહિનામાં શિવ પૂજા કરવાથી શિવજી જલ્દી પ્રસન્ન થાય છે.
ચારેય સોમવારે શિવલિંગ ઉપર આ પ્રમાણે એક મુઠ્ઠી ધાન્ય ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે અને શિવમૂષ્ટી પૂજા કહેવામાં આવે છે આ પૂજાનો પંચાંગ તથા પુરાણમાં ઉલ્લેખ છે.
(૧)તા.૧૭ ઓગસ્ટ ને પહેલા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી ચોખા ચડાવવા,
(૨)તા.૨૪ ઓગસ્ટ નેબીજા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી કાળા તલ ચડાવવા,
(૩) તા.૩૧ ઓગસ્ટ ને ત્રીજા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી મગ ચડાવવા,
(૪) નવગ્રહ શાંતિ માટે કાળા તલથી (૫) રાજયોગ માટે ગાયના ઘી થી
(૬) માનસિક બીમારી દૂર કરવા માટે સાકરવાળા પાણીથી
(૭) શત્રુ દૂર કરવા માટે સરસવના તેલથી શિવલિંગ ઉપર અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
શ્રાવણ મહિના દરમિયાન શુક્રવાર ના દિવસે બહેનો જીવંતીકા મા નું વ્રત રહેતા હોય છે જે સંતાનોની રક્ષા માટે છે અને સારા આરોગ્ય માટે છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ શુક્રવાર હોવા થી બહેનોને જીવંતીકા મા ના વ્રત નો લાભ પાંચ શુક્રવાર સુધી મળશે રક્ષાબંધન તા ૨૮ ઓગસ્ટ ને શુક્રવારે અને જન્માષ્ટમી તા.૪ સપ્ટેમ્બર શુક્રવાર ના રોજ છે

