New Delhi, તા. 13
શ્રીલંકા સામેની ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારતીય ઝડપી બોલરોની કસોટી થશે. સ્પિનરો માટે સાનુકૂળ પિચ પર પોતાની સ્વિંગથી વિકેટ લેવી ભારતીય પેસરો માટે આસાન નહીં હોય. ઝડપી બોલિંગ આક્રમણની જવાબદારી મોહમ્મદ સિરાજ પર રહેશે.
ટીમ મેનેજમેન્ટ તેમની સાથે બીજા પેસર તરીકે પ્રસિદ્ધ ક્રિષ્ના અથવા વળી ગુરનૂર બરાડ અને આકિબ નબીમાંથી કોને ડેબ્યૂની તક આપે છે તે જોવું રસપ્રદ રહેશે. પહેલી ટેસ્ટ 15 ઓગસ્ટથી ગોલમાં શરૂ થશે.
અહીંની ધીમી પિચ પર ફિરકીબોલરોનું રાજ ચાલે છે. આનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં સૌથી વધુ વિકેટ લેનારા ટોચનાં દસ બોલરોમાં માત્ર એક જ ઝડપી બોલર (ચામિંડા વાસ, 27 વિકેટ, સાતમા સ્થાને) છે. તે પણ 30 વિકેટનો આંકડો સ્પર્શી શક્યા નથી, જ્યારે વિકેટ લેનારા બાકીનાં પાંચ બોલરોમાં તમામ સ્પિનર છે. આમાંથી બે સત્તાવનથી વધુ જ્યારે ત્રણ પચાસથી વધુ વિકેટ લઈ ચૂક્યાં છે.
જસપ્રીત બુમરાહની ફિટનેસ સાથે જોડાયેલા પડકારો વચ્ચે સિરાજ પર માત્ર નવી બોલથી શઆતી વિકેટ અપાવવાની જ નહીં, પરંતુ લાંબા અને આક્રમક સ્પેલ ફેંકીને બોલિંગ આક્રમણને મજબૂતી આપવાની પણ જવાબદારી હશે.
ચારેય ભારતીય ઝડપી બોલરો પહેલીવાર શ્રીલંકાની ધીમી પિચ પર ટેસ્ટ રમશે. સિરાજની ખાસિયત માત્ર તેમની ગતિ અથવા બોલને બંને તરફ સ્વિંગ કરાવવાની ક્ષમતા નથી; તેમની સૌથી મોટી તાકાત લાંબા સમય સુધી સતત બોલિંગ કરવાની ક્ષમતા છે.
હાલમાં જ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની સિરીઝમાં તેમણે 185.3 ઓવર બોલિંગ કરી હતી. આ છતાં સિરીઝની છેલ્લી મેચ સુધી તેઓ પ્રભાવશાળી બની રહ્યાં. આ તેમની શારીરિક ફિટનેસ અને માનસિક મજબૂતી બંનેનું પ્રમાણ છે.
શ્રીલંકા એકાદશ સામેની અભ્યાસ મેચમાં તેમણે બેટથી પણ ઝડપી રન બનાવીને નીચલા ક્રમમાં ઉપયોગી યોગદાન આપવાની ક્ષમતા દર્શાવી છે માટે બોલથી તો ભારતને ઉમ્મીદ હશે જ, સાથે જ જરૂર પડ્યે બેટથી પણ કેટલાક રન ઉમેરી શકે છે.
પંજાબના ઊંચા કદના 26 વર્ષીય ગુરનૂરને પદાર્પણની તક મળી શકે છે. તેમણે અભ્યાસ મેચમાં ન માત્ર શ્રીલંકન બેટ્સમેનોને પરેશાન કર્યા બલ્કે ત્રણ વિકેટ પણ ઝડપી. વધારાનો ઉછાળ, ઝડપી રફતાર અને આક્રમક વલણ તેમની દાવેદારીને મજબૂત બનાવે છે.
નાના-નાના સ્પેલથી તે બેટ્સમેનોની લય તોડવાની અને મેચની દિશા બદલવાની ક્ષમતા ધરાવે છે. જમ્મુ-કાશ્મીરને રણજી ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા નબીને રાહ જોવી પડી શકે છે.
ગોલમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોચના દસ બોલરોમાં એક પેસર
ગોલમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોચનાં 10 બોલરોમાં માત્ર એક જ ઝડપી બોલર શ્રીલંકાનાં ચામિંડા વાસ છે. મુરલીધરન (111) પહેલાં, રંગના હેરાથ (102) બીજા, પ્રભાત જયસૂર્યા (81) ત્રીજા, રમેશ મેન્ડિસ (64) ચોથા અને દિલવાન પરેરા (57) પાંચમા ક્રમે છે અને આ તમામ સ્પિનરો છે. ભારત તરફથી અશ્વિને ચાર ઈનિંગ્સમાં 3.21ની ઈકોનોમીથી સૌથી વધુ 14 વિકેટ ઝડપી છે.
રહાણે કમેન્ટ્રીથી કરશે પોતાની નવી ઈનિંગની શરૂઆત
ભારતનાં પૂર્વ બેટ્સમેન અજિંક્ય રહાણે આ બે મેચની સિરીઝથી ટેસ્ટ કમેન્ટ્રીમાં પદાર્પણ કરશે. તેમને સોની સ્પોર્ટ્સ નેટવર્કના કમેન્ટ્રી પેનલમાં સામેલ કરવામાં આવ્યાં છે. રહાણેએ પ્રથમ શ્રેણી ક્રિકેટમાં પદાર્પણ કર્યાના લગભગ 18 વર્ષ સુધી ચાલેલી પોતાની શાનદાર ક્રિકેટ કારકિર્દીને હાલમાં જ અલવિદા કહ્યું હતું. તેઓ કમેન્ટ્રેટર તરીકે નવી ભૂમિકામાં જોવા મળશે. તેમણે કહ્યું કે, તેઓ ટેસ્ટ કમેન્ટ્રીની શરૂઆત કરવા માટે ઉત્સાહિત છે.
જાડેજા બની શકે છે એક્સ ફેક્ટર
અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાના એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. બોલરોમાં જાડેજા અને કુલદીપને જ શ્રીલંકામાં ટેસ્ટ રમવાનો અનુભવ છે. જાડેજાએ અહીં એક મેચની બે ઈનિંગ્સમાં 2.91ની ઈકોનોમીથી સાત વિકેટ ઝડપી છે. સાથે જ 153 રન પણ બનાવ્યા છે.
વળી કુલદીપે એક મેચમાં 3.20ની ઈકોનોમીથી પાંચ વિકેટ ઝડપી છે. જાડેજાની સાથે માનવ સુથારને રમાડવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. તેમણે અભ્યાસ મેચમાં બોલ અને બેટ બંનેથી પોતાને સાબિત કર્યા છે.
અફઘાનિસ્તાન સામે પદાર્પણ મેચમાં તેમણે ઈનિંગ્સમાં પાંચ વિકેટ સહિત કુલ સાત વિકેટ ઝડપી હતી. ત્રીજા સ્પિનર તરીકે કુલદીપ અને સારાંશ જૈનમાંથી કોઈ એકને તક મળશે.
સિરાજને માફક આવે છે વિદેશી પિચો
સિરાજને વિદેશી પિચો ખૂબ માફક આવે છે. તેમણે પોતાની કુલ ટેસ્ટ વિકેટોમાંથી મોટા ભાગની વિકેટો વિદેશમાં ઝડપી છે. તેમણે પોતાની સ્વદેશી ધરતી પર 25.71 ટકા (36) વિકેટ ઝડપી છે. જેમાંથી સૌથી વધુ 46 વિકેટ ઈંગ્લેન્ડમાં છે.
મુખ્ય આંકડાકીય હાઈલાઈટ્સ
► 01 વર્તમાન ભારતીય ટીમનાં ઝડપી બોલરોમાંથી કોઈએ આ પહેલાં શ્રીલંકામાં એક પણ ટેસ્ટ મેચ રમી નથી.
► 08 ગોલમાં ભારતીય પેસરો તરફથી ઈશાંત શર્માએ છ ઈનિંગ્સમાં 4.25ની ઈકોનોમીથી સૌથી વધુ 8 વિકેટ ઝડપી છે.
► 05 ટેસ્ટ મેચ ભારતે ગોલમાં રમી છે, જેમાંથી બે જીત્યા છે અને ત્રણ હાર્યા છે. 2017માં રમાયેલી છેલ્લી મેચમાં ભારત 304 રનથી જીત્યું હતું.

