યુનિવર્સલ ફેલ સેફ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટનું સફળતાપૂર્વક કમિશનિંગ
Rajkot તા.૧
રેલવે સેફ્ટી અને તકનીકી ઉત્કૃષ્ટતા પ્રત્યેની પોતાની કટિબદ્ધતાને આગળ ધપાવતા પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને લવણપુરનવલખી રેલખંડમાં પ્રચલિત નોન-બ્લોક ટેલિફોન (ગઇઝ) બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટના સ્થાને યુનિવર્સલ ફેલ સેફ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટ (ઞઋજઇઈં) નું સફળતાપૂર્વક કમિશનિંગ કરીને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાસલ કરી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ અંતર્ગત બ્લોક સિગ્નલિંગ સિસ્ટમના આધુનિકીકરણ માટે નીચે મુજબના મુખ્ય કાર્યો કરવામાં આવ્યા છેઃ
આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલા મુખ્ય કાર્યોઃ
૧) નવલખી સ્ટેશન પર પરંપરાગત વીજ પુરવઠા સિસ્ટમના સ્થાને જઝઅઝઈઘગ નિર્મિત ઇન્ટિગ્રેટેડ પાવર સપ્લાય) સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી, જેનાથી વીજ પુરવઠાની વિશ્વસનીયતા અને કાર્યક્ષમતામાં વધારો થયો છે.૨) લવણપુરનવલખી રેલખંડમાં ડિજિટલ એક્સલ કાઉન્ટર સિસ્ટમ (ઉઅઈત) સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી બ્લોક સેક્શનમાં ટ્રેનોની ઉપસ્થિતિ અને રિક્તતાની (ખાલી હોવાની) વધુ ચોક્કસ તથા વિશ્વસનીય દેખરેખ સુનિશ્ચિત થશે.૩) નવલખી સ્ટેશન પર અગાઉ સ્થાપિત રિમોટ ટર્મિનલ યુનિટ (છઝઞ) ના સ્થાને આધુનિક નેટવર્ક ડેટા લોગર સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનાથી સિગ્નલિંગ સિસ્ટમનું અદ્યતન મોનિટરિંગ, ડેટા રેકોર્ડિંગ અને ઝડપી ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સની સુવિધા ઉપલબ્ધ થશે.
આ તકનીકી અપગ્રેડેશનથી મળનારા મુખ્ય લાભોઃ
૧) રેલવે સેફ્ટી અને સિગ્નલિંગ સિસ્ટમની વિશ્વસનીયતામાં વધારો.૨) ટ્રેનોના સુરક્ષિત અને સુચારુ સંચાલનને વધુ મજબૂતી.૩) માનવ ભૂલોની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો.૪) બહેતર મોનિટરિંગ, ઝડપી ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ અને મેન્ટેનન્સ (જાળવણી) માં સુવિધા.૫) સંચાલન ક્ષમતામાં વધારો તથા માલવાહક ગ્રાહકોને વધુ ભરોસાપાત્ર અને ગુણવત્તાયુક્ત રેલ સેવાઓ.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, નસ્ત્રસેફ્ટી ભારતીય રેલવેની આધારશિલા છે અને આધુનિક ટેકનોલોજી તેને સશક્ત બનાવવાનું સૌથી અસરકારક માધ્યમ છે. રાજકોટ ડિવિઝન અદ્યતન સિગ્નલિંગ સિસ્ટમ્સને સતત અપનાવવા માટે કટિબદ્ધ છે, જેનાથી સેફ્ટી સુદ્રઢ બને, સંચાલન ક્ષમતામાં વધારો થાય તથા ટ્રેન સંચાલન વધુ વિશ્વસનીય બને. લવણપુરનવલખી રેલખંડમાં યુનિવર્સલ ફેલ સેફ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટ (ઞઋજઇઈં) નું સફળતાપૂર્વક કમિશનિંગ રાજકોટ ડિવિઝનના સિગ્નલિંગ માળખાને વધુ સુદ્રઢ કરવા, ટ્રેનોના સંચાલનને વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને કાર્યક્ષમ બનાવવા તથા માલવાહક ગ્રાહકોને વધુ સારી અને ભરોસાપાત્ર રેલ સેવાઓ પૂરી પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.

