New Delhi,તા.21
તેલંગાણાના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીને તેલંગાણા રાઈજીંગ પ્રતિનિધિમંડળ સાથે અમેરિકાની મુલાકાત લેવાની મંજુરી કેન્દ્ર સરકારે આપી નથી તેઓ બોસ્ટન જવાના હતા અને અહી વ્યાપાર ઉદ્યોગના પ્રતિનિધિઓને મળવાના હતા.
હાલ તેઓ લંડનમાં છે અને ત્યાંથી જ પરત ફરશે. તેલંગાણા મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત અને અમેરિકામાં અન્ય રોકાણકારોને મળવા માટે રેવંત રેડ્ડી તા.30 ઓગષ્ટ સુધી અમેરિકામાં રોકાવાના હતા પરંતુ કેન્દ્ર સરકારે આ યાત્રાને મંજુરી આપી ન હતી. કોઈપણ કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી કે રાજયના મંત્રીને વિદેશ મુલાકાત લેવા માટે પહેલા કેન્દ્ર સરકારની મંજુરી લેવી જરૂરી બને છે.
વિદેશમંત્રાલય દ્વારા આ મંજુરી આપવામાં આવે છે અને મુખ્યમંત્રી તેલંગાણા રાઈજીંગ પ્રતિનિધિમંડળ કે જે તેલંગાણામાં વિવિધ ઉદ્યોગપતિઓ છે તેમની સાથે બ્રિટન અને અમેરિકાની મુલાકાત લેનાર હતા પરંતુ હાલ તેમને હવે બ્રિટનથી જ પરત ફરવું પડશે. જેના કારણે પણ નવો વિવાદ સર્જાવાની શકયતા છે.

