મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથદાદા પાટીલે સભા ગજવી
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૨
મોરબીના જેતપર ગામે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતો બે માસથી વીજ લાઈન વળતર મુદે લડત ચલાવી રહ્યા છે જેને સમર્થન પણ મળી રહ્યું છે અગાઉ ખેડૂત નેતા રાકેશ ટિકેત સહિતના અગ્રણીઓએ છાવણીની મુલાકાત લઈને સમર્થન આપ્યું હતું તો ગત મંગળવારે રાત્રીના મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ દાદા પાટીલે સભાને સંબોધન કર્યું હતું
જેતપર ગામે સભાને સંબોધન કરતા મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથદાદા પાટીલે જણાવ્યું હતું કે દેશમાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે ખેડૂતોની હાલત સતત બગડી રહી છે અને ખેડૂતો વળતર માટે આંદોલન કરી રહ્યા છે સરકર અદાણી-અંબાણીને લાખો એકર જમીન આપી દીધી છે પરંતુ ખેડૂતની જમીનમાંથી થાંભલા, તાર નીકળે એટલે પાકને અસર થાય છે જમીન બિન ઉપજાઉ બની જાય છે જેથી ખેતી થઇ ના સકે. જે કીમત આપો છો તે પુરતી નથી જમીન અમારી તો ભાવ અમારો રહેશે તેમ જણાવ્યું હતું તો છેલ્લે ગાંધીમાં માનનાર છીએ પરંતુ સુભાષચંદ્ર બોઝને ભૂલ્યા નથી કહીને ગર્ભિત ચેતવણી પણ ઉચ્ચારી હતી લોકશાહીમાં માનીએ છીએ, શાંતિપૂર્ણ લડત ચલાવી રહ્યા છીએ કહીને ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું

