Author: Vikram Raval

Mumbai,તા.૫ સ્ટાર વિકેટકીપર બેટ્‌સમેન જીતેશ શર્માએ આરસીબી ટીમને ખિતાબ જીતવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે આઇપીએલ સમાપ્ત થયા પછી, તે વિદર્ભ પ્રો ટી ૨૦ લીગમાં રમતા જોવા મળશે. જ્યાં તે એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટર ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે સંજય રામાસ્વામી આ ટીમના ઉપ-કપ્તાન રહેશે. જીતેશ પાસે પહેલાથી જ કેપ્ટનશિપનો અનુભવ છે અને તે આઇપીએલમાં પંજાબ કિંગ્સ અને આરસીબીનું નેતૃત્વ કરી ચૂક્યો છે. જિતેશ શર્માની ટીમ ૬ જૂને એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટર લીગમાં પોતાની પહેલી મેચ ભારત રેન્જર્સ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે ૨ઃ૪૫ વાગ્યે શરૂ થશે. જ્યારે વિદર્ભ પ્રો ટી ૨૦ લીગની શરૂઆતની મેચમાં, પગરિયા સ્ટ્રાઈકર્સનો મુકાબલો…

Read More

હિન્દુ તહેવારોની વિશાળ શ્રેણીમાં, એકાદશી ભગવાન વિષ્ણુ પ્રત્યે આધ્યાત્મિક ચિંતન અને ભક્તિને સમર્પિત દિવસ તરીકે એક વિશેષ સ્થાન ધરાવે છે. વાર્ષિક ધોરણે ઉજવાતી 24 એકાદશીઓમાં, નિર્જલા એકાદશી, જેને ભીમ અગિયારસ અથવા ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તેના કડક પાલન અને ગહન મહત્વ માટે અલગ પડે છે. હિન્દુ મહિના જ્યેષ્ઠ (મે-જૂન)માં શુક્લ પક્ષના 1મા ચંદ્ર દિવસે (એકાદશી) ઉજવવામાં આવે છે, આ વ્રતમાં ભક્તો સંપૂર્ણ 24 કલાક માટે ખોરાક અને પાણી બંનેનો ત્યાગ કરે છે. નિર્જલા શબ્દનો અર્થ “પાણી વિના” થાય છે. એવું માનવામાં આવે છે કે આ એક જ અગિયારસ રાખવાથી વર્ષની બધી 24 એકાદશીઓ જેટલું પુણ્ય મળે…

Read More

વૃક્ષોનું જતન, આબાદ વતન વૃક્ષોનું વાવેતર કરી, જંગલોનું રક્ષણ થાય, પર્યાવરણ સંવર્ધન થકી દેશમાં સમૃદ્ધિ આવે એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. જંગલો કપાતા જાય છે જેનાથી માત્ર માણસોને જ નહીં પરંતુ વન્ય જીવોને પણ નુકસાન થઈ રહ્યું છે. જો આપણે માત્ર એટલો વિચાર કરીએ કે કોઈ આપણી પાસેથી આપણું ઘર છીનવી લે તો ? એથી વિશેષ જેમની પાસે ખરેખર રહેઠાણની વ્યવસ્થા નથી એમને ફૂટપાથ પર કે જુદા જુદા સ્થળે ઝુપડી બાંધીને રહેતા આપણે જોયા છે. એમના સ્થાને ક્યારેક સ્વને અનુભવીને આપણે…

Read More

મશરૂમ ક્લાઉડ્‌સનો સંબંધ સામાન્ય રીતે પરમાણુ વિસ્ફોટ હોય છે. ગત દિવસોમાં ઓપરેશન સિંદૂર દરમ્યાન પરમાણુ પ્રતિષ્ઠાનને નિશાનો બનાવવાની અટકળો પણ વહેતી થઈ. આ અટકળો વચ્ચે ફેક ન્યૂઝ, પ્રોપેગેંડા અને ત્યાં સુધી કે મીડિયાના એક હિસ્સા દ્વારા ફેલાવાઇ રહેલી અફવાઓનો સ્ફિોટ ચોક્કસ જોવા મળ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય ટકરાવ અટકવાને તમે જે નામ આપો તે, પરંતુ તેના એક પખવાડિયા બાદ પણ જાતજાતની કહાનીઓ તરી રહી છે. પોતપોતાની કહાનીઓ સાચી ગણાવવાનું અભિયાન ચાલુ છે. લોકો પણ પોતાની રુચિ અને ઝોક અનુસાર તેમને માન્યતા આપી રહ્યા છે. જ્યારે સીમાની બંને તરફ જ્યાં એક પછી એક પ્રહાર થઈ રહ્યા હતા, એ જ દરમ્યાન…

Read More

 વૈશ્વિક સ્તરે જૂથબંધીના યુગમાં નવી અને અદ્ભુત યુદ્ધ વ્યૂહરચના જોઈને, પોતાને સંપૂર્ણ વિકસિત દેશોની શ્રેણીમાં માનતા દેશો પણ આજે આંગળી ચીંધી રહ્યા છે કે રશિયા જેવો સંપૂર્ણ વિકસિત દેશ તેની સુરક્ષામાં આટલી મોટી ખામી કેવી રીતે કરી શકે છે કે 117 ડ્રોન રશિયાની સરહદ પાર કરીને આખરે ઓપરેશન સ્પાઇડર વેબને અમલમાં મૂકવા માટે રશિયામાં પ્રવેશ્યા? મારા જેવો સામાન્ય માણસ તેના સપનામાં પણ એવું વિચારી શકતો નથી. હવે તેની સરખામણી ૧૯૪૧ના પર્લ હાર્બર હુમલા સાથે કરવામાં આવી રહી છે. યુક્રેનના ડ્રોન હુમલાને પર્લ હાર્બર હુમલા સાથે જોડવામાં આવી રહી છે. જે રીતે યુક્રેને આ હુમલામાં રશિયાને આશ્ચર્યચકિત કર્યું હતું, તેવી જ…

Read More

વૈશ્વિક સ્તરે, વિશ્વ એવા જૂથોમાં વહેંચાઈ રહ્યું છે જેમાં બે કે તેથી વધુ દેશો નાની નાની બાબતો પર અથડામણ કરે છે અને યુદ્ધના પરિમાણ સુધી પહોંચે છે. તાજેતરમાં આપણે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે થોડા કલાકો સુધી ચાલેલું ભીષણ યુદ્ધ જોયું જેમાં એક સૈનિક શહીદ થયો હતો. બીજી તરફ, ભારત-પાકિસ્તાન, તાલિબાન-પાકિસ્તાન, દક્ષિણ અને ઉત્તર કોરિયા સહિત ઘણા દેશો વચ્ચે અથડામણો થઈ રહી છે. બીજી તરફ, રશિયા-યુક્રેન હમાસ-ઇઝરાયલ યુદ્ધ લાંબા સમયથી ચાલી રહ્યું છે. સ્વાભાવિક રીતે, તેમના સભ્ય દેશોનો એક જૂથ તેમની પાછળ સામેલ છે, જેના કારણે યુદ્ધ લાંબું થતું રહે છે, જેની સીધી અસર અર્થતંત્ર અને વિદેશી હૂંડિયામણ ભંડાર પર પડે…

Read More

હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે.  જેનું મન જેમાં ચોંટી ગયું હોય,જેના મનમાં જે ઠસી ગયું હોય તેને તેમાં જ આનંદ મળે છે પછી ભલેને તેનું મન માયામાં કે મોહમાં લાગ્યું હોય કે પછી પરમાત્મામાં હોય. જે જેના ખાસ ગુણોને જાણતો હોય તે તેના ગુણોનો લાભ લે છે. કોયલ ફક્ત કેરી જ ખાય છે જ્યારે કાગડો લિંબોળી ખાય છે. છાણનો કીડો મળને જ વખાણે છે માટે જેણે જે વસ્તુમાં ફાવતું આવે તેના જ વખાણ કરે છે. દરેક જણ પોતે પોતાની જ પસંદગીને સારી દેખાડવા પ્રયાસ કરે છે એવી નીતિ જગતમાં ચાલતી આવી છે. જમાના ચાલ્યા…

Read More

Kutch.તા.05 કચ્છથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં અંજાર-સતાપર રોડ પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વાહનો લપેટાઈ ગયા હતા. માહિતી અનુસાર એક પૂરપાટ ગતિએ દોડતી કારે અન્ય વાહનોને અડફેટે લીધા હતા જેના લીધે બે લોકો મૃત્યુ પામી ગયા હતા. આ અકસ્માતમાં અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. હાલમાં ઘાયલોને તાત્કાલિક સારવાર હેતુસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. માહિતી અનુસાર અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. કારચાલકે બેથી 3 બાઇકને અડફેટે લીધી હતી. જેના લીધે ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થઈ ગયા હતા. જ્યારે બે વ્યક્તિના મોતની પુષ્ટી થઈ હતી. સ્થાનિકોએ કારચાલકને પકડવાનો…

Read More

Dwarka,તા.05 દ્વારકાની ગોમતી નદીમાં અવાર-નવાર યાત્રિકો ડૂબતા હોવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે જામનગરના સાત યાત્રીઓ ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. સાત યાત્રીઓમાં ચાર યુવક અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે. યાત્રીઓને ડૂબતાં જોઇ સ્થાનિક લોકો અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. હાલ યાત્રાળુઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો બીજી આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળતો હોય છે. ત્યારે દરિયાનો પ્રવાહ…

Read More

Ahmedabad,તા.05  ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષ પહેલા મે મહિનામાં શિક્ષકો નિવૃત થયા છે, ત્યારે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને શહેરની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવાની માગ કરી છે. હાલ શાળામાં વેકેશન ચાલી રહ્યું છે. આમ શાળા શરૂ થાય તે પહેલા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવે તેવી શાળા સંચાલકોએ માગ કરી હતી. જેમાં અમદાવાદમાં 800થી વધુ શિક્ષકો-આચાર્યની ઘટ હોવાનું સામે આવ્યું છે. જ્યારે અમદાવાદ શહેરની ગ્રાન્ટેડ શાળાઓમાં 80 આચાર્ય અને 800 શિક્ષકોની ઘટ છે. આમ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલા જિલ્લા કક્ષાએ કેમ્પ રાખીને જ્ઞાન સહાયકોને તાત્કાલિક ધોરણે શાળા ફાળવવામાં આવે તેવી માગ કરી હતી. નવા શૈક્ષણિક વર્ષમાં શાળામાં…

Read More