Author: Vikram Raval

Ahmedabad,  અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જે બાદ બંને ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.  એક ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.અહેવાલો અનુસાર, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વહેલી સવારે 4 વાગ્યાને 15 મિનિટે બે ટ્રકની ટક્કર બાદ આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. બન્ને ટ્રક સંપૂર્ણપણે બળી ગયા છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.  નેશનલ એક્સપ્રેસવે 1 પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે.

Read More

Surendranagar,તા.05 થનના ગુગલીયાણા ગામ પાસે આવેલી શિવ ઈન્ડસ્ટ્રીઝમાંથી પુરવઠા અને ફુડ સેફટી વિભાગે ૧૩.૧૬ લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડયું હતું. તંત્રની ટીમે ૫૨૦ કિલો લુઝ ઘી, બ્રાન્ડેડ ઘીના ૧૯૫૦ પેકેટ સહિત મુદ્દામાલ જપ્ત કરી પાંચ જેટલા શંકાસ્પદ નમુનાઓ લઈ લેબોરેટરીમાં મોકલાયા હતા. થાન ચોટીલા રોડ ઉપર ગુગલીયાણા ગામ પાસે આવેલી શિવ ઈન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગ અને ફૂડ સેફટી વિભાગની સંયુક્ત ટીમના ચેકિંગ દરમિયાન લુઝ ઘી ૫૨૦ કિલો, શ્રી ભોગ બ્રાન્ડ ઘી ૧૯૫૦ પેક, વિકાસ પેસ્ચ્યુરાઈઝ બટર ૬૫ બોક્ષ સહિત કુલ રૃા.૧૩.૧૬ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. જ્યારે તંત્ર દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ ઝડપાયેલ જથ્થો શંકાસ્પદ જણાઈ આવતા પાંચ જેટલા સેમ્પલ લઈ…

Read More

Limbdiતા.05 લીંબડીની આર.આર.હોસ્પિ. પાછળ વાડી વિસ્તારમાં વીજ વધઘટથી રહીશો પરેશાન થઇ ઉઠયાં છે. વોલ્ટેજની વધઘટથી વીજ ઉપકરણોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. પીજીવીસીએલ કચેરીએ અનેકવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.લીંબડી આર.આર.હોસ્પિટલિ પાછળ આવેલ વાડી વિસ્તારમાં બે વર્ષથી વીજ વોલ્ટેજ વધઘટ થતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે આ સમસ્યાને લઈને સ્થાનિક રહીશો દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે અનેકવાર રજુઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી. જેને કારણે સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ પીજીવીસીએલ કચેરી ખાતે તંત્રના અધિકારીને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે આર…

Read More

Mumbai,તા.05 બુધવારે બેંગલુરુમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગની ઘટનામાં લગભગ 11 લોકોના મોત થયાની પુષ્ટી થઈ છે. આ દુર્ઘટના અંગે આરસીબીના દિગ્ગજ વિરાટ કોહલીની પ્રતિક્રિયા સામે આવી છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે આ ઘટના બાદ હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું અને મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી.વિરાટ કોહલીએ આ સાથે આરસીબીનું સત્તાવાર નિવેદન શેર કર્યું હતું. આરસીબીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, ’બપોરે બેંગલુરુમાં ટીમની રાહ જોઈ રહેલા લોકોની ભીડ વિશે મીડિયા રિપોર્ટ્સ દ્વારા પ્રકાશિત કરાયેલી કમનસીબ ઘટનાઓ વિશે જાણી અમે ખૂબ જ દુ:ખી છીએ. દરેકની સલામતી અને…

Read More

Mumbai,તા.05 હાલમાં રણબીર કપૂર અનેક મોટી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તે ’ઍનિમલ’ પછી સંદીપ રેડ્ડી વાંગા સાથે ‘ઍનિમલ પાર્ક’માં કામ કરી રહ્યો છે. આ સિવાય તેને રામ તરીકે ચમકાવતી નિતેશ તિવારીની ’રામાયણ’નો પહેલો ભાગ દિવાળીમાં રિલીઝ થશે, પરંતુ એ પહેલાં તેની ‘લવ ઍન્ડ વોર’ રિલીઝ થશે. હાલમાં સમાચાર આવ્યા હતા કે રણબીર ’ધૂમ 4’માં પણ કામ કરી રહ્યો છે. હવે લેટેસ્ટ અપડેટ પ્રમાણે રાજકુમાર હીરાણી ‘PK’ની સીક્વલ ’PK 2’ બનાવવાના છે અને એમાં રણબીર એલિયનનો રોલ કરવાનો છે. હાલમાં આવેલા રિપોર્ટ પ્રમાણે આમિર ખાન, રાજકુમાર હીરાણી અને અભિજાત જોશી પાસે ‘PK 2’ માટે એક ધમાકેદાર પ્લોટ છે જેના કારણે…

Read More

New Delhi,તા.5 ભારતનાં કેરળથી મહારાષ્ટ્ર સુધીનાં ભાગોમાં નૈઋત્ય ચોમાસાનાં વહેલા આગમનથી સર્જાયેલી ખુશી દબાઈ ગઈ હોય તેમ કેટલાંક દિવસોથી સીસ્ટમ સ્થગીત છે તેવા સમયે યુરોપની હવામાન એજન્સીએ સિસ્ટમ જુલાઈ મહિના સુધી સક્રિય ન થાય તેવી સંભાવના છે. યુરોપીયન સેન્ટર ફોર મીડીયમ ફોર્મ ફોરકાસ્ટ વેધરના રીપોર્ટમાં જણાવ્યુ છે કે, ભારતના બાકીનાં ભાગોમાં જુલાઈ પુર્વે ચોમાસું સક્રિય ન થાય તેવુ બની શકે છે. જોકે સૌથી વધુ વરસાદ ધરાવતા જુલાઈના પ્રથમ બે સપ્તાહમાં ચોમાસુ પૂર્ણ રીતે સક્રિય થઈ શકે છે. બંગાળની ખાડીમાં તામીલનાડુ તથા આંધ્રપ્રદેશના દરીયાકાંઠે સરકયુલેશન સર્જાશે અને તેની સારી મદદ મળશે.  ભારતમાં ચોમાસુ હાલ મુંબઈની નજીક સ્થગીત થયાની દશામાં હોવાનું ઉલ્લેખનીય…

Read More

Rajkot, તા.5 સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને ભાવનગર જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ આવવાનું ચાલુ રહ્યું છે. જામનગરમાં  ફરી ગઇકાલે સાત નવા કેસ બહાર આવ્યા છે. તો રાજકોટ શહેરમાં પણ બુધવારે સાત નવા દર્દી નોંધાયાનું આજે જાહેર થયું છે. ભાવનગરમાં પણ ચાર દર્દી નોંધાયા છે. રાજકોટમાં 24 વર્ષના યુવાનથી માંડી 83 વર્ષના વૃધ્ધને કોરોના નિદાન થયું છે. મારૂતિનગર, અંબિકા ટાઉનશીપ, ગણેશ પાર્ક, સંતોષીનગર, ભકિતધર સોસાયટી, રાજન સોસાયટી અને રેસકોર્સ રોડ પર નવા દર્દી નોંધાયા છે. આ તમામ લોકોએ વેકસીનના બે થી ત્રણ ડોઝ લીધા છે. ત્રણ દર્દીની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તો અન્ય ચાર ધરમપુર, નાથદ્વારા, અમદાવાદ અને રાજસ્થાનથી પરત ફર્યા હતા.…

Read More

Bengaluru,તા.05 આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની જીતની ઉજવણી દરમિયાન બેંગ્લુરુમાં થયેલી ભાગદોડમાં 11 લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં. આરસીબી, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને કર્ણાટક સરકારે આ સમગ્ર મામલાથી હાથ ખંખેરી લીધા હતા. પરંતુ હવે કર્ણાટક હાઈકોર્ટે આ મામલે કાર્યવાહી કરી છે અને આ ઘટનાની સુઓમોટો નોંધ લીધી છે અને આજે કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરાશે. અહેવાલો અનુસાર, કર્ણાટક હાઈકોર્ટ ગુરુવારે (પાંચમી જૂન) આરસીબીની વિક્ટ્રી પરેડ દરમિયાન થયેલી નાસભાગ સંબંધિત કેસની સુનાવણી કરશે. આ મામલો કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વી. કામેશ્વર રાવ અને ન્યાયાધીશ સીએમ જોશીની બેન્ચ સમક્ષ ઊઠાવવામાં આવ્યો છે.કર્ણાટક સરકારે કોર્ટને આ ઘટના કેવી રીતે બની અને અત્યાર…

Read More

Dahod,તા.05 દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડને પગલે સરકારને ગળે હાડકું ભરાયું છે. અત્યાર સુધી મંત્રીપુત્રો સામે આરોપ ઘડાયાં છે ત્યારે હવે ખુદ મંત્રી બચુ ખાબડ સામે પણ આંગળી ચિંધાઇ રહી છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે, મંત્રી ખાબડની જમીનો પર વિકાસના કામો કરાયા નથી તેમ છતાંય રૂ.3 કરોડ ચૂકવાયાં છે. મહત્વની વાત છે કે, કૂવા, ચેકડેમ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ ઉપરાંત વનીકરણના કામો માટે વર્ક ઓર્ડર પર અપાયાં છે. એટલું જ નહીં, ક્યા સર્વેની નંબરની જમીન પર કયા કામો થયાં છે તે મનરેગાના પોર્ટલ પર વિગતો ઉપલબ્ધ છે. સ્થાનિકોનું કહેવુ છે કે,આ સર્વે નંબરની જમીનો મંત્રી અને તેમના પરિવારની છે. જે…

Read More

ભારતના પ્રીમિયમ એસયુવી ક્ષેત્રમાંતેની પ્રબળ હાજરીને મજબૂત બનાવતા, ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ)એ આજે ફોર્ચ્યુનર અને લિજેન્ડરની 3 લાખ ગાડીઓના સંચિત વેચાણ નોંધપાત્ર ઉપલબ્ધીની જાહેરાત કરી. આ સિદ્ધિ ફક્ત આ પ્રીમિયમ એસયુવીની અજોડ લોકપ્રિયતા જ નહીં પરંતુ વિશ્વસનીય અને શક્તિને ચોકસાઇ સાથે સંપૂર્ણ રીતે મિશ્રિત કરતાઉચ્ચ-પ્રદર્શન પ્રદાન કરવાની ટોયોટાની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂકે છે જે કરે છે. 2009માં તેની શરૂઆત થઈ ત્યારથી, ટોયોટા ફોર્ચ્યુનર લાંબા સમયથી એસયુવી ક્ષેત્રમાંઅદમ્ય મજબૂતીને શ્રેષ્ઠતા પ્રદર્શન સાથે એકીકૃત રીતે જોડતું માપદંડ સ્થાપિત કર્યુંછે. પ્રભાવશાળી 204 પીએસ પાવર અને 500 એનએમ ટોર્ક જનરેટ કરતા 2.8 લીટર ડીઝલ એન્જિનથી સજ્જ, ફોર્ચ્યુનર તેની અદભુત ઓફ-રોડ ક્ષમતા માટે પ્રખ્યાત…

Read More