- Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
- Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
- ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
- દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
- વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
- Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
- South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
- રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
Author: Vikram Raval
Rajkot,તા.05 રાજકોટમાં વર્ષોથી રેસકોર્સમાં યોજાતા લોકમેળામાં ટ્રાફિક જામ, પ્રદુષણની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય સહિત ભાજપના નેતાઓએ કલેક્ટર સાથે સંકલન બેઠકમાં વારંવાર લાંબા સમયથી આ સ્થળ બદલવા રજૂઆત કરી હતી. પરંતુ ઉપલા લેવલે રજૂઆત હજુ સુધી સ્વીકારાઈ નથી. હવે જિલ્લા કલેક્ટર કચેરીની લોકમેળા સમિતિએ રેસકોર્સ મેદાનમાં 14મીથી 18મી ઓગષ્ટ 2025 સુધી પાંચ દિવસ માટે લોકમેળો યોજવાની જાહેર કરી છે. ત્યારે આ વખતે રાઈડ્સ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)માં કોઈ ફેરફાર કરાયો નથી. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં કોઈ મોડી દુર્ઘટના ના ઘટે તે માટે તંત્ર દ્વારા કડક એસઓપી…
Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે 5 જૂન અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘હર ઘર એક વૃક્ષ વાવીએ અને પર્યાવરણનું જતન કરીએ’ ઉપરાંત ‘એક પેડ માઁ કે નામ, આ સૂત્રને સાર્થક કરવા માટે હાપા વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જામનગર મહાનગર પાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, સાથે સાથે રોપા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ નગરજનોને રોપાનું વિતરણ પણ કરાયું હતું, તદુપરાંત પર્યાવરણની જાગૃતિને અનુલક્ષીને પ્લાસ્ટિક મુક્તિ અભિયાનને વેગ આપવા માટે જામનગર મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય તેમજ ગો ગ્રીનના સંદેશા સાથેની વિશેષ પ્રકારની બેગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ શહેરના ધારાસભ્ય દિવ્યેશ…
New Delhi,તા.05 છેલ્લાં ઘણાં સમયથી ઓપરેશન સિંદૂર ખૂબ ચર્ચામાં છે. પાકિસ્તાન સામે ભારતે આ નામ હેઠળ કાર્યવાહી કરી, જેમાં દુશ્મન દેશને કારમી હારનો સામનો કરવો પડ્યો. આ ઐતિહાસિક સફળતા બાદ સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા અને અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી. આ જાહેરાતો પૈકી એક છે ગુજરાતમાં ‘સિંદૂર વન’ બનાવવાની પહેલ. સિંદૂર એક વનસ્પતિનો ભાગ છે પરંતુ, સિંદૂર વન કેવી રીતે બનશે? ઘણાં લોકોને કદાચ એ પણ ખબર નહીં હોય કે સિંદૂર પણ એક વનસ્પતિનો જ ભાગ છે! બજારમાં આપણે જે સિંદૂર જોઈએ છીએ તે મોટાભાગે કેમિકલ પ્રક્રિયા દ્વારા બનાવેલા ગુલાલ જેવું હોય છે. ખરું સિંદૂર એક ખાસ પ્રકારના…
Ahmedabad,તા.05 અમદાવાદ ગ્રામ્ય પોલીસે સરકારી અધિકારીઓ તરીકે ઢોંગ કરતા ચાર વ્યક્તિઓની ધરપકડ કરીને એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. આ વ્યક્તિઓ રાષ્ટ્રીય પ્રતીક, અશોક સ્તંભવાળા ઓળખપત્રો ધરાવતા હતા અને કેન્દ્ર સરકારના એક નિકાય સાથે સંકળાયેલા હોવાનો ખોટો દાવો કરતા હતા. આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) કાર્યાલયમાં એક કથિત તપાસ સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ તરીકે રજૂ થઈને પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરતી વખતે પકડવામાં આવ્યા હતા. બાદમાં તેમને વધુ તપાસ માટે સરખેજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. મકરબા ખાતે SOG માં ફરજ બજાવતા ASI મનુભાઈ વાજુભાઈ જાદવ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, આ ઘટના 3 જૂન 2025 ના રોજ આશરે બપોરે 2:45…
Surat ,તા.05 સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાયમી શાસનાધિકારી મુકતા નથી અને હાલમાં ઈનચાર્જ શાસનાધિકારી તરીકે કામગીરી કરતા અધિકારીને હવે વધારાની જવાબદારી સોંપવામા આવી છે. આ ઉપરાંત લાંબા સયમથી મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરની જવાબદારી પણ સોંપવામાં આવી છે. હાલમાં સમિતિના કાર્યભાર હેઠળ દબાયેલા ઈનચાર્જ શાસનાધિકારીને આ કામગીરી સોંપાતા સમિતિની કામગીરી પર માઠી અસર પડે તેવી શક્યતા નકારી શકાતી નથી. સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યાર્થીઓની સંખ્યા 1.90 લાખ થઈ ગઈ છે અને 1200 કરોડનું બજેટ થઈ ગયું છે. તેમ છતાં શિક્ષણ સમિતિના કાયમી શાસનાધિકારી અને કાયમી ઉપશાસનાધિકારીનો દુષ્કાળ છે. ભાજપ શાસકોમાં ચાલતા આંતરિક રાજકારણના કારણે લાંબા સમયથી…
Ahmedabad,તા.05 અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી લાપતા બાળકો પૈકી અનેક સગીર બાળકોને શોધવામાં પોલીસ નિષ્ક્રિય રહેતા વાલીઓમાં રોષની લાગણી જોવા મળી છે. જેથી હવે વાલીઓએ સંગઠિત થઈને ગૃહવિભાગ અને પોલીસની નબળી કામગીરી સામે લડત આપવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત અમદાવાદ ખાતે 40થી વધુ લાપતા બાળકોના વાલીઓની મીટીંગ મળી હતી અને આગામી સમયમાં રાજ્યના દરેક શહેરમાં મીટીંગ કરીને ડેટા તૈયાર કર્યા બાદ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું નક્કી કરાયું છે. જે અનુસંધાનમાં ગુમ થયેલા બાળકો માટે કામગીરી કરતા સર્ચ માય ચાઇલ્ડ નામની સંસ્થા સાથે સંકળાયેલા 40થી વધુ વાલીઓએ અમદાવાદ ખાતે મીટીંગ યોજી હતી. જેમાં પોલીસની કામગીરીમાં સંકલનનો અભાવ અને ઉચ્ચ…
Junagadh,તા.05 જૂનાગઢની ભવનાથ તળેટીમાં 12.66 હેક્ટર વિસ્તારમાં આવેલા લાલઢોરી ઉદ્યાનમાં અનેક પ્રકારના ફળ, વિલુપ્તીના આરે આવીને હવે જવલ્લે જ જોવા મળતાં વૃક્ષો અને ઔષધીય તેમજ સુગંધિત દ્રવ્યો ધરાવતી અવનવી વનસ્પતિનો ખજાનો આવેલો છે. અહીં સાગ, ચંદન અને ઇમારતી વૃક્ષો સહિત એક હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે. સમગ્ર વિસ્તારમાં અલગ અલગ વિભાગોમાં વૃક્ષો, ફળ, વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. 12.6 હેક્ટરમાં આંબાવાડીઓ આવેલી છે. તેમાં લંગડો, કેસર, દૂધ, પૈડો, લાડવી, જમાદાર, નીલમ પાયરી, બાદશાહ પસંદ, અસાઢીયો, ખોડી, સિંદુરીયો ઉપરાંત દેશી કેરીની વિવિધ જાતોનો પણ સમાવેશ થાય છે અને જર્મ પ્લાઝમ કલેક્શન આંબાની પણ વૈજ્ઞાનિક ઢબે જાળવણી કરવામાં આવી છે.…
Botad,તા.05 બોટાદના માંડવા-ઢસા રોડ નજીક બનેલાં હત્યાના એક ચકચારી બનાવમાં પ્રેમિકાને લઈને ભાગેલાં પ્રેમીને શોધવા યુવતીના પરિવારે પ્રેમીના મિત્રનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ પ્રેમી યુગલનું લોકેશન શોધી પ્રેમિકાની નજર સામે જ પ્રેમી પર ઘાતકી હુમલો કરી તેની કરપીણ હત્યા કરી પ્રેમિકાને લઈ ફરાર થઈ ગયા હતા. ઢસા પોલીસે આઠ શખ્સ વિરૂદ્ધ હત્યા, અપહરણ સહિતની કલમ અન્વયે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી. યાજ્ઞિક બાઈક લઈને ટીંબી આવવા નિકળ્યો ત્યારે રંઘોળા નજીક ઈકોમાં ધસી આવેલાં ગામમાં જ રહેતાં હિતેન્દ્રસિંહ ઉર્ફે કુશ બળવંતસિંહ ગોહિલ તથા ગામના અન્ય એક શખ્સે યાજ્ઞિકને આંતરી અપહરણ કરી માર માર્યો હતો. બીજી તરફ, જયદીપસિંહ ભગતસિંહ…
Visavadar,તા.05 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે પણ ચૂંટણી પંચ કડક બની નિયમ મુજબ કાર્યવાહી કરતું હોવાના દાવાઓ થઈ રહ્યા છે. ઉમેદવારોએ એફિડેવિટમાં નિયત તમામ વિગતો જાહેર કરવી ફરજિયાત છે. પરંતુ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ચૂંટણી પંચને આપેલી માહિતી ખોટી હોવાની વિગત બહાર આવી છે. તેમની પાસે લક્ઝરી કાર હોવા છતાં સોગંદનામામાં જાહેર કર્યું નથી. કડક કાર્યવાહીના દાવા કરતું ચૂંટણી તંત્ર ભાજપના ઉમેદવારે છૂપાવેલી વિગતો અંગે શું કાર્યવાહી કરશે તેને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વર્ષ 2017માં કિરીટ પટેલે વિસાવદર બેઠક પરથી ઉમેદવારી કરી હતી. ત્યારે આ કાર દર્શાવી પણ હતી પરંતુ આ વખતે ઉમેદવારીપત્રમાં કોઈ કારણસર કારની વિગત જાહેર…
Ahmedabad,તા.05 કડી-વિસાવદરની પેટાચૂંટણી વખતે જ ગુજરાત કોંગ્રેસમાં આંતરિક કકળાટ શરૂ થયો છે. ધારાસભ્ય મેવાણીએ પ્રદેશ નેતાગીરી સામે મોરચો માંડ્યો છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતાઓનું ભાજપ સાથે સેટિંગ છે તેવો આરોપ ઘડી પ્રવક્તા અમિત નાયકે કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યુ છે. મંગળવારે (3 જૂન) મધ્ય પ્રદેશમાં ખુદ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને ફટકાર લગાવતાં કહ્યું કે, ‘શહેર-જિલ્લાના માળખામાં સિનિયર નેતાઓના માનિતાઓને પદ આપી દેવાયુ છે. પ્રદેશ નેતાઓ હવે હાઈ-કમાન્ડના હિટલિસ્ટમાં છે ત્યારે બુધવારે (4 જૂવ) પ્રવક્તા અમિત નાયકે એવો આક્ષેપ કર્યો હતો કે, અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે રાજકીય સબંધ જગજાહેર છે. તેમના પર એવો પણ આક્ષેપ છે…
