- Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
- Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
- ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
- દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
- વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
- Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
- South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
- રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
Author: Vikram Raval
અવિમુક્તેશ્વરાનંદે બાંકે બિહારી કોરિડોરનું સમર્થન કરતા સાંસદ પર કહ્યું કે તે મુસ્લિમ છે તેમને ધર્મનું જ્ઞાન નથી Mathura, તા.૪ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વૃંદાવનમાં પ્રસ્તાવિત બાંકે બિહારી કોરિડોર અંગે ખૂબ ગુસ્સે દેખાય છે. તેમણે કહ્યું છે કે આ આપણી ધાર્મિક માન્યતાઓને તોડવા જેવું છે. જો ઠાકુરજીના મંદિરમાં કોઈ બાંધકામ કરવાનું હોય, તો સૌ પ્રથમ ધાર્મિક નેતાને પૂછવું જોઈએ. પરંતુ સરકાર પોતાની યોજના સાથે સીધી મંદિરમાં પ્રવેશ કરી રહી છે. સુવિધાઓ વધારવાના નામે આ રીતે મંદિરને સરકારી નિયંત્રણમાં લેવું એ સનાતની ગરિમાને તોડવા જેવું હશે. આ પહેલા પણ, આપણે વારાણસીમાં જોયું હતું કે કોરિડોરના નામે કેવી રીતે ધાર્મિક માન્યતાઓને તોડવામાં આવી હતી.…
Chandigarh, તા.૪ જ્યોતિ મલ્હોત્રા બાદ, પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે વધુ એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જ્યોતિ મલ્હોત્રાના ફ્રેન્ડ, પંજાબના યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ કરી છે. જસબીર ’જાન મહલ’ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથે મળીને જાસૂસી કરવાનો આરોપ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, જસબીર પાકિસ્તાની ગુપ્તચર અધિકારી શાકિર ઉર્ફે જટ્ટ રંધાવા, હરિયાણાના યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાની હાઇ કમિશનમાંથી કાઢી મૂકવામાં આવેલા અધિકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં હતો. જેમાંથી જ્યોતિ મલ્હોત્રાની પહેલાથી જ ધરપકડ કરવામાં આવી છે અને હાલ જસબીર પણ પકડાયો છે. રિપોર્ટ અનુસાર, પંજાબ પોલીસને ગુપ્ત માહિતી…
ટેક્સ અને સ્પેન્ડિંગ બિલ ગત મહિને પ્રતિનિધિ સભામાં એક વોટથી પાસ : સેનેટ દ્વારા તેની સમીક્ષા થઈ રહી છે Washington તા.૪ અબજપતિ કારોબારી અને ટેક્નોલોજી જગતના દિગ્ગજ એલન મસ્કે ટ્રમ્પ પ્રશાસનના નવા ટેક્સ અને ખર્ચ બિલ (tax-and-spending bill) પર આકરા પ્રહાર કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એલન મસ્કે આ બિલને ખુબ જ જઘન્ય (disgusting abomination) ગણાવતા કહ્યું કે આ બિલ ખર્ચને વધારશે. આ સાથે જ મસ્કે લખ્યું કે ’માફ કરો. પરંતુ હું હવે વધુ સહન કરી શકું નહી…’ આ કોંગ્રેસનું ખર્ચથી ભરેલું, વાહિયાત અને શરમજનક બિલ છે. જે લોકોએ તેના પક્ષમાં મતદાન કર્યું છે તેમને પોતાના પર શરમ…
ફ્યુઝેરિયમ ગ્રામીનેરમ નામની આ ફૂગ ઘઉં, જવ, મકાઈ અને ચોખામાં જીવલેણ રોગનું કારણ બને છે China, તા.૪ ચીન વિશ્વ બજાર પર રાજ કરવા માંગે છે. દરરોજ તેના પર અન્ય દેશોની સરહદોમાં પ્રવેશવાનો, તેની સરહદોની બહાર નવી ઇમારતો બનાવવાનો અને અન્ય દેશોને આર્થિક અને સામાજિક નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવે છે. હવે અમેરિકાએ ડ્રેગનનું નવું રહસ્ય ખોલ્યું છે. ખરેખર, અમેરિકાની ગુપ્તચર એજન્સી FBI એ બે ચીની નાગરિકોની ધરપકડ કરી છે જેઓ એક પ્રકારની ફૂગ (રોગ) સાથે અમેરિકામાં પ્રવેશ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેનો ઉદ્દેશ્ય અમેરિકાને ભારે આર્થિક નુકસાન પહોંચાડવાનો હતો. બે ચીની નાગરિકોની ઓળખ Yunqing Jian (33) અને…
મધ્ય પ્રદેશના ઝાબુઆના મેઘનગર વિસ્તારમાં વહેલી પરોઢે ભીષણ અકસ્માત થયો : મામલામાં પોલીસ તપાસ Bhopal, તા.૪ મધ્ય પ્રદેશના ઝાબુઆના મેઘનગર વિસ્તારમાં વહેલી પરોઢે ભીષણ અકસ્માત થયો. જેમાં ૯ લોકોના મોત થયા છે. રાજસ્થાનથી સીમેન્ટ લઈને આવતો એક ટ્રક મારુતિ ઈકો કાર પર પલટી ગયો. આ અકસ્માતમાં કારનું તો પડીકું વળી ગયું. ઈકોમાં સવાર ૧૧ લોકોમાંથી ૯ લોકોના મોત થઈ ગયા. આ અકસ્માત મળસ્કે આશરે ૩થી ૪ વાગ્યાની વચ્ચે થયો. મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં બુધવારે મળસ્કે સીમેન્ટથી લદાયેલો ટ્રક વેન પર પલટી ગયો જેમાં ૯ લોકોએ જીવ ગુમાવ્યા અને બે લોકો ઘાયલ થયા. ઝાબુઆના એસપી પદમ વિલોચન શુક્લાએ…
દરેક દુકાનદાર અને ડીલરને દુકાનમાં આવી જગ્યાએ ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી કિંમત યાદી ચોંટાડવાનો આદેશ New Delhi, તા.૪ સરકારે ૪૧ દવાઓની મહત્તમ છૂટક કિંમત નક્કી કરી છે. આ દવાઓનો ઉપયોગ ડાયાબિટીસ, હૃદય, તાવ, દુઃખાવો, તણાવ અને જીવનશૈલી સંબંધિત અન્ય રોગોની સારવારમાં થાય છે. મંગળવારે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. આમાં ૪૧ દવાઓની મહત્તમ છૂટક કિંમત નક્કી કરવામાં આવી છે. આ કિંમત ઉપરાંત ફાર્માસ્યુટિકલ કંપનીઓને નિશ્ચિત કિંમત પર વધારાનો GST ઉમેરવાની મંજૂરી આપવામાં આવશે. નોટિફિકેશનમાં, આને ’નવી દવાઓ’ કહેવામાં આવી છે. આ મુજબ, ઉત્પાદકે છૂટક કિંમતો નક્કી કરવી પડશે. દવા…
Jamnagar, તા. ૪, ભારત ના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં ડીજીપી આઇજીપી કોન્ફરન્સ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પ્રધાનમંત્રી તથા કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા રાજ્ય પોલીસને ત્રણ નવા કાયદા બાબત સામાન્ય લોકોમાં જનજાગૃતિ આવે તે માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવા માટેનું સુચન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને પોલીસ મહા નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાયના દિશા-નિર્દેશ, તેમજ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર ના માર્ગદર્શન તથા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ની સૂચના અનુસાર જામનગર જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નાગરિકોમાં જાગૃતિ લાવવા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ચિત્ર, ઓડિયો અને વિડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ…
Jamnagar તા ૪, જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી આજથી ત્રણ વર્ષ પહેલા એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, તે સગીરાને ઉઠાવી જનાર શખ્સને એન્ટી હુમન ટ્રાફિક યુનિટ ની ટુકડીએ ઊંડાણપૂર્વકની તપાસના આધારે રાજસ્થાનના પાલી જિલ્લામાંથી આરોપીને શોધી કાઢ્યો છે, અને તેની સાથે રહેલી ભોગ બનનાર કે જે હાલ પુખ્ત વયની થઈ ગઈ છે, અને તેણીએ પુત્રને પણ જન્મ આપ્યો છે. જેને સાથે લઈને જામનગર આવ્યા બાદ આરોપીની રિમાન્ડની કાર્યવાહી હાથ ધરીછે. આ બનાવની વિગત એવી છે કે જોડિયા પોલીસ મથકમાં આજથી ત્રણ વર્ષ પહેલા મધ્યપ્રદેશના વતની એક શ્રમિક પરિવારની ૧૬ વર્ષની પુત્રીનું અપહરણ થઈ ગયું હતું, અને કોઈ અજાણ્યા શખ્સો…
Jamnagar તા ૪, જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારે થી સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ૧૨ મીટર રસ્તો પહોળો કરવા માટેની ડીપી કપાતની કામગીરીનો પ્રારંભ કરાયો હતો, ગઈકાલ સુધીમાં ૩૧૫ મિલકતો તોડી પાડવામાં આવી હતી.જ્યારે આજે બાકી રહેલી બે ધાર્મિક સ્થળો સહિતની 30 મિલકતો માં પાડતોડ કરવામાં આવી રહી છે. જામનગરના સ્વામિનારાયણ નગર થી નવાગામ ઘેડ સુધી ૩.૫ કી.મી નો વિસ્તાર કે જેમાં ૩૩૧ મિલકત ધારકો ને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી, અને તેના ભાગરૂપે મેગા ડીમોલેસન હાથ ધરવામાં આવ્યું છે. અને પ્રથમ દિવસે ૧૧૧ મિલકતો માં માર્કિંગ કરાયેલી જગ્યા સુધી નું ડીમોલેશન કરી લેવામાં આવ્યું હતું,…
Jamnagar તા 4 જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના નકલી પોલીસ જવાનોએ રેઇડના નામે ૨૦ હજાર રૂપિયાનો તોડ કરી અને એક આસામી પાસેથી પણ દારૂના નામે આ જ નકલી પોલીસ અને કથિત પત્રકારે તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ સીટી બી. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવાઇ હતી, જેમાં જામનગર પોલીસે રાજકોટના ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે, અને ઓળખ પરેડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન નજીક વેલનગરમાં રહેતો હર્ષ જીગ્નેશભાઈ રાઠોડ ગત તા.૩૧/૫/૨૦૨૫ના રોજ બપોરે પોતાના ઘરે હતો, ત્યારે બપોરે બે વાગ્યાના સુમારે એક કાર પોતાના…
