Author: Vikram Raval

Mumbaiતા.૩૦ આરસીબી ટીમે પંજાબ કિંગ્સને શાનદાર રીતે ૮ વિકેટથી હરાવીને આઇપીએલ ૨૦૨૫ ની ફાઇનલમાં પ્રવેશ કર્યો. પંજાબ કિંગ્સ ટીમે પહેલા બેટિંગ કરતા ૧૦૧ રન બનાવ્યા. આ પછી, ફિલ સોલ્ટની અડધી સદીને કારણે આરસીબી ટીમે સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કર્યું. મેચ પછી, આરસીબીના કેપ્ટન રજત પાટીદારે ફિલ સોલ્ટ અને સુયશ શર્માની પ્રશંસા કરી છે. રજત પાટીદારે મેચ પછી કહ્યું કે અમે કેવી રીતે બોલિંગ કરવી તે અંગે અમારી યોજનામાં ખૂબ જ સ્પષ્ટ હતા. ઝડપી બોલરોએ પિચનો સારો ઉપયોગ કર્યો અને સુયશ શર્માએ પણ સારી બોલિંગ કરી. તે સ્ટમ્પ પર બોલિંગ કરે છે જે તેની તાકાત છે. જો તે આ પ્રક્રિયામાં કેટલાક રન…

Read More

Mumbai,તા.૩૦ આરસીબી ટીમ આઇપીએલ ૨૦૨૫ ની ફાઇનલમાં પ્રવેશી છે. ટીમે ક્વોલિફાયર-૧ માં પંજાબ કિંગ્સને ૮ વિકેટથી હરાવ્યું. આરસીબી કેપ્ટન રજત પાટીદારનો દરેક દાવ સાચો ગયો. આ મેચમાં, તેણે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી, પંજાબના બેટ્‌સમેનો આરસીબી બોલરો સામે ટકી શક્યા નહીં અને આખી ટીમ ફક્ત ૧૦૧ રનમાં સમેટાઈ ગઈ. આરસીબીએ ૧૦ ઓવરમાં આ લક્ષ્ય સરળતાથી હાંસલ કરી લીધું. આરસીબી ટીમ ચોથી વખત આઇપીએલ ફાઇનલમાં પહોંચી છે. અગાઉ, ટીમ ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૬ ની  આઇપીએલ ફાઇનલ રમી હતી, પરંતુ ટીમ ત્રણેયમાં હારી ગઈ હતી. હવે આરસીબી ટીમ ૯ વર્ષ પછી ફરીથી ફાઇનલમાં પહોંચી છે અને તેનાથી દરેકની…

Read More

Mumbai,તા.૩૦ વિરાટ કોહલીની ગણતરી વિશ્વના મહાન બેટ્‌સમેનોમાં થાય છે. સમય સાથે તેની બેટિંગમાં પણ સુધારો થઈ રહ્યો છે. તેણે વર્તમાન સિઝનમાં પણ ૬૦૦ થી વધુ રન બનાવ્યા છે. આરસીબી ટીમે પંજાબ કિંગ્સને ૮ વિકેટથી હરાવીને આઇપીએલ ૨૦૨૫ ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં, બોલરો અને બેટ્‌સમેનોએ આરસીબી માટે શાનદાર પ્રદર્શન કર્યું. આરસીબી બોલરો સામે પંજાબ કિંગ્સના બેટ્‌સમેન ટકી શક્યા નહીં અને આખી ટીમ ૧૦૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ પછી, આરસીબીએ ફક્ત ૧૦ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. સુપર સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલીએ મેચમાં ૧૨ બોલમાં ૧૨ રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. વિરાટ કોહલીએ ૧૨ રનની…

Read More

ભારતની આઝાદી બ ાદથી જ કાશ્મીરનો મુદ્દો દેશ માટે એક મોટી સમસ્યા બની ગયો છે. કાશ્મીરને લઈને ત્રણ યુદ્ઘ ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ ચૂક્યાં છે અને ૯૦ના દાયકાથી પાકિસ્તાને કાશ્મીરને આતંકવાદ દ્વારા અશાંત કર્યું છે. હંમેશાં એ વાત કહેવામાં આવે છે કે પંડિત નેહરુ જ કાશ્મીર સમસ્યા માટે જવાબદાર છે, જો તેમણે કાશ્મીરના ભારતમાં વિલય સમયે દિલથી નહીં દિમાગથી વિચાર્યું હોત તો આજે સ્થિતિ કંઇક જુદી હોત. પીએમ મોદીએ હાલમાં જ આ વાતને ઉખેડી છે અને કહ્યું કે આઝાદી બાદ પંડિત નેહરુએ સરદાર પટેલનું ન સાંભળ્યું, જો સાંભળ્યું હોત તો કાશ્મીરની આ હાલત ન હોત. ભારતના ભાગલા બાદથી જ…

Read More

રેડ કાર્પેટ પર ડેબ્યુ માટે તેણે તરુણ તાહિલાની દ્વારા ડિઝાઇન કરેલો અસલ બનારસી ટીશ્યુનો ડ્રેસ પહેર્યો હતો મુંબઈ, તા.૩૦ જાન્હવી કપૂરે તાજેતરમાં જ ૭૮મા કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે, તેની ફિલ્મ ‘અનબાઉન્ડ’નું સ્ક્રીનિંગ થયું હતું. રેડ કાર્પેટ પર ડેબ્યુ માટે તેણે તરુણ તાહિલાની દ્વારા ડિઝાઇન કરેલો અસલ બનારસી ટીશ્યુનો ડ્રેસ પહેર્યો હતો. હેન્ડ ક્રશ્ડ ટેક્સ્ચરનો આ ડ્રેસ સિલ્ક ઓરિગામી પ્રકારનો ડ્રેસ હતો. તેનાં આ લૂકને તેની માતા શ્રીદેવી અને ઐશ્વર્યાનાં રેટ્રો લૂક સાથે સરખાવવામાં પણ આવ્યો હતો. જ્યારે પોતાની ફિલ્મના સ્ક્રીનિંગ વખતે જાન્હવીએ અનામિકા ખન્ના કુટ્યોરનો કસ્ટમ ડ્રેસ પહેર્યો હતો. તેની સાથે તેણે પરંપારગત ઇન્ડિયન જ્વેલરી અને જેડ એન્ડ…

Read More

મને માનસિક ત્રાસ આપ્યો, મને હાનિ પહોંચડવા આયોજકો કોઈ પણ હદે જઈ શકે છે, પૂર્વ સ્પર્ધકોએ પણ ટેકો આપ્યો Mumbai, તા.૩૦ રશેલ ગુપ્તા પહેલી ભારતીય હતી, જેણે ૨૦૨૪માં મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલનો ગોલ્ડન તાજ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. સમગ્ર દેશ માટે આ એક ઐતિહાસિક ઘટના બની ગઈ હતી. તેના પછી તેને એક મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ તરીકે અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો હતો. પરંતુ બુધવારે મોડી રાત્રે તેણે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી કે આ પદ છોડી રહી છે અને તેણે મહેનતથી જીતેલો તાજ પાછો આપી રહી છે. તેણે કહ્યું કે તેણે ઘણી મહેનતથી આ સ્પર્ધા જીતી હતી, તેથી તેના માટે આ નિર્ણય લેવો…

Read More

હાલ તો રિતીક વૉર ૨ની તૈયારીમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે કિઆરા અડવાણી અને જુનિયર એનટીઆર પણ છે Mumbai, તા.૩૦ રિતિક રોશનને સાઉથના સુપર સ્ટાર્સ સાથે કોલબરેશન ફાવી ગયું છે. પહેલાં ‘વૉર’ અને ‘વૉર ૨’માં જુનિયર એનટીઆર સાથે કામ કર્યું અને હવે તે કેજીએફ ળેન્ચાઇઝી અને કંતારાના પ્રોડ્યુસર હોમ્બેલ ફિલ્મ્સ સાથે હાથ મિલાવ્યા હોવાની ચર્ચા છે. આ પ્રોડક્શન હાઉસ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું, તેમની આગામી ફિલ્મ “કપચી, ભવ્યતા અને કિર્તી”ની કહાણી છે, જે વધુ ધારદાર અને કાલ્પનિક હશે.તેમણે પોતાના પ્રોડક્શન હાઉસના સોશિયલ મીડિયા પર આપેલાં નિવેદનમાં જણાવ્યું કે, લોકો તેને ગ્રીક ગોડ કહે છે.…

Read More

કોલંબિયાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર ભારતના હુમલામાં મોતને ભેટેલા લોકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી Bogota, તા.૩૦ કોંગ્રેસ સાંસદ શશી થરૂર હાલ કોલંબિયાની રાજધાની બોગોટામાં છે. તેઓ આતંકવાદના વિરોધમાં ભારતના સફળ ઓપરેશન સિંદૂરની જાણકારી આપવા માટે બનાવેલા એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે છે. તેમણે બોટોગામાં પાકિસ્તાનના આતંકના ચહેરાને ઉજાગર કરતા કહ્યું કે, અમને બરાબર ખબર છે કે, પાકિસ્તાનમાં ૮૧ ટકા ડિફેન્સ સાધનો ચીનથી આવે છે. ડિફેન્સ એક ખૂબ જ ઉદાર શબ્દ છે. પરંતુ, હકીકતમાં આ પાકિસ્તાનના સંરક્ષણ અને સૈન્ય ઉપકરણ નથી. તેમાંથી મોટાભાગનો ઉપયોગ તે સંરક્ષણ માટે નહીં પરંતુ, હુમલા માટે કરે છે. પાકિસ્તાનમાં ચીનનો સૌથી મોટો પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ…

Read More

Uttar Pradesh , તા.૩૦ ઉત્તર પ્રદેશના હાપુરમાં આવેલી મોનાડ યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૮ થી બનાવટી ડિગ્રી બનાવવા-વેચવાનો ધંધો ચાલતો હોવાની માહિતી તપાસ ટુકડીને મળી છે. જેથી રાજ્ય પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (જી્‌હ્લ) એ યુનિવર્સિટીના ચેરમેન અને પ્રો-વાઈસ ચાન્સેલરની વિવિધ યુનિવર્સિટી અભ્યાસક્રમોની ડિગ્રી અને માર્કશીટ બનાવટી બનાવવા અને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવવાના આરોપસર ધરપકડ કર્યા બાદ હાપુડ જિલ્લા વહીવટીતંત્રે યુપી સરકારને મોનાડ યુનિવર્સિટીની માન્યતા રદ કરવા જણાવ્યું છે. આ માટે પોલીસની સાથે જ એસટીએફની બે ટીમોને પણ જોડવામાં આવી છે. આ બાજુ, એસટીએફની કાર્યવાહીની માહિતી મળતા જ મોનાડના પૂર્વ-માલિક તથા જવાબદાર પદો પર રહેલા કર્મચારીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. એમને કાર્યવાહીની જાળમાં…

Read More

New Delhi, તા.૩૦ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ્‌સએપ મેસેજ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવકની ભાગલપુરના સુલતાનગંજથી ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે સાંજે ધરપકડ કરાયેલો યુવક સમીર રંજન છે, જે સુલતાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મહેશી ગામના કુમાર શરદ રંજનનો ૩૫ વર્ષીય પુત્ર છે.ગુપ્તચર અધિકારીઓ પાસેથી માહિતી મળતાં, ભાગલપુરના એસએસપી હૃદય કાંતે તાત્કાલિક ડીએસપી ચંદ્રભૂષણ, ઇન્સ્પેક્ટર સુલતાનગંજ મૃત્યુંજય કુમાર અને ટેકનિકલ સેલના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રણજીત કુમારને તૈનાત કર્યા. ચાર કલાકની મહેનત પછી, ધમકી આપનાર વ્યક્તિ સમીરની ધરપકડ કરવામાં આવી. જ્યારે જીજીઁ એ સમીર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપવા માટે ઉપયોગમાં લેવાયેલ નંબર ટેકનિકલ સેલ દ્વારા ચકાસ્યો, ત્યારે તે ૭૧…

Read More