- Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
- રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
- Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
- એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
- Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
- ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
- ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
- જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
Author: Shri Nutan Saurashtra
Mumbai,તા.09 આયુષમાન ખુરાના તથા શર્વરી વાઘની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નું શૂટિંગ હવે પૂર્ણતાના આરે છે. ફિલ્મનું માંડ એકાદ સપ્તાહ ચાલે તેટલું શૂટિંગ બાકી રહ્યું છે. મોટાભાગે આ મહિનાના અંત સુધીમાં શૂટિંગ પૂર્ણ કરી દેવાશે. બાદમાં પોસ્ટ પ્રોડક્શન શરુ કરાશે. સૂરજ બડજાત્યાએ આ ફિલ્મનું શૂટિંગ ગત નવેમ્બરમાં શરુ કર્યું હતું. આમ છ જ માસમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ રહ્યું છે. સૂરજની સ્ટાઈલ પ્રમાણે આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા હશે જેમાં આયુષમાનને નવા જમાનાના પ્રેમ તરીકે રજૂ કરવામાં આવશે. ફિલ્મમાં અનુપમ ખેર, સુપ્રિયા પાઠક સહિતના કેટલાક સિનિયર કલાકારો પણ કામ કરી રહ્યા છે.
Mumbai,તા.09 આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર 2’ 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, ત્યારથી બોક્સ ઓફિસ પર રણવીર સિંહની આ ફિલ્મ એકહથ્થુ શાસન કરી રહી છે. ફિલ્મને રિલીઝ થયાને 20 દિવસ થઈ ગયા છે અને હજુ પણ બોક્સ ઓફિસ પર તેની કમાણી ચાલુ છે. આ એક્શન-થ્રિલર બોક્સ ઓફિસ પર અત્યારે પણ ડબલ ડિજિટમાં કમાણી કરી રહી છે અને કમાણીના મામલે આ ફિલ્મ હવે ચોથા નંબરે પહોંચી ગઈ છે. રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર 2’ વિશ્વભરમાં 1,642 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે અને હવે નંબર 1 પોઝિશનથી થોડી જ દૂર છે. ધુરંધર 2 ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, બોક્સ…
Mumbai,તા.09 સાઉથ સિનેમાના મોસ્ટ ફેવરિટ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. રશ્મિકા અને વિજયે 26 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા, જેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. તાજેતરમાં 6 એપ્રિલે, રશ્મિકાના 30મા જન્મદિનના એક દિવસ પછી, કર્ણાટકના કોડાગુ(કુર્ગ) ખાતે લગ્નના 40 દિવસ બાદ એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરાજપેટના સેરેનિટી કન્વેન્શન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રશ્મિકા તેના મૂળ વારસાને સન્માન આપતા પરંપરાગત કુર્ગી સાડીમાં જોવા મળી હતી.આ રિસેપ્શનમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા એકબીજાના હાથમાં હાથ પરોવીને એન્ટ્રી લેતા જોવા મળ્યા હતા. રશ્મિકાએ પિંક અને ઓલિવ ગ્રીન કલરની…
Mumbai,તા.09 સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનના 44મા જન્મદિવસ નિમિત્તે ફેન્સને સૌથી મોટી ભેટ મળી છે. અત્યાર સુધી જે પ્રોજેક્ટને ‘AA22xA6’ કહેવામાં આવતો હતો, તેનું ઓફિશિયલ નામ હવે જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું નામ ‘રાકા'(RAAKA) રાખવામાં આવ્યું છે. સન પિક્ચર્સ દ્વારા સોશિયલ મીડિયા પર ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેણે રિલીઝ થતાની સાથે જ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે પહેલીવાર દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મના પોસ્ટરમાં અલ્લુ અર્જુનનો લુક અત્યંત ડરામણો અને ઇન્ટેન્સ છે. પોસ્ટરમાં તેનો ક્લોઝ-અપ લુક બતાવવામાં આવ્યો છે, જેમાં અડધા કપાયેલા વાળ,…
Mumbai,તા.09 બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 8 એપ્રિલના રોજ અભિનેત્રીની માતા પરવીન ખાનનું અવસાન થયું છે. પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, બુધવારે સવારે 10 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ઝરીન ખાન તેની માતાની ખૂબ જ નજીક હતી અને તેમના નિધનથી તે સંપૂર્ણપણે ભાંગી પડી છે. ઝરીન ખાનની માતા લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમની તબિયત લથડતા ઑક્ટોબર 2025માં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેની જાણકારી ઝરીને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી હતી. હોસ્પિટલમાંથી પરત આવ્યા બાદ થોડો સમય તેમની સ્થિતિ સુધારા પર હતી, પરંતુ 2026માં ફરી તબિયત બગડતા…
New Delhiતા.09 દિલ્હી કેપિટલ્સ IPL 2026 માં જીતની હેટ્રિકથી દૂર રહી ગયું. બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સીઝનની 14મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે DC ને એક રનથી હારનો સામનો કરવો પડ્યો. પહેલા બેટિંગ કરતા ગુજરાતે 210 રન બનાવ્યા. દિલ્હીને છેલ્લા બે બોલમાં બે રનની જરૂર હતી પરંતુ તે હારી ગયું. દિલ્હી કેપિટલ્સની હાર બાદ, અક્ષર પટેલે કહ્યું કે બંને ટીમોએ સારું ક્રિકેટ રમ્યું. મેચ પછી બ્રોડકાસ્ટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં, તેમણે કહ્યું, “જે રીતે અમે રમી રહ્યા છીએ, મને લાગે છે કે બંને ટીમોએ ખૂબ જ સારું ક્રિકેટ રમ્યું છે. મને લાગે છે કે આવી નજીકની મેચમાં, તમે કોઈપણ વસ્તુ પર આંગળી…
New Delhi,તા.09 બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી એક રોમાંચક મેચમાં, દિલ્હી કેપિટલ્સનો ગુજરાત ટાઇટન્સ સામે માત્ર એક રનથી પરાજય થયો. વિજયની ખૂબ નજીક આવી રહેલી આ હારથી દિલ્હીના કેમ્પમાં નિરાશા છવાઈ ગઈ. ખાસ કરીને સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલર પરિણામથી ખૂબ જ દુઃખી થઈ ગયો. મેચ પછી, દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલ મિલરને દિલાસો આપતા અને પીઠ થપથપાવતા જોવા મળ્યા. લક્ષ્યનો પીછો કરતી વખતે, મેચની અંતિમ ક્ષણોમાં બધો ઉત્સાહ ખોવાઈ ગયો. દિલ્હીને છેલ્લા બે બોલમાં જીતવા માટે ફક્ત બે રનની જરૂર હતી. ક્રીઝ પર રહેલા મિલરે પાંચમા બોલ પર સ્ટ્રાઈક રાખવા માટે એક પણ રન લેવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પ્રસિદ્ધ…
Kolkata,તા.09 પોતાની લય શોધવા માટે સંઘર્ષ કરી રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આજે IPL માં લખનૌ સુપરજાયન્ટ્સ (LSG) સામે રમશે.ત્યારે તેઓ બદલાયેલી લાઇનઅપ સાથે પોતાની પહેલી જીત મેળવવાનો પ્રયાસ કરશે. KKR પોતાની પહેલી બે મેચ હારી ગઈ છે, જ્યારે તેની પાછલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. KKR એ અત્યાર સુધી અજિંક્ય રહાણે અને ફિન એલનની ઓપનિંગ જોડીને અજમાવી છે, જેમા તેમણે સફળતા મળી નથી. તેઓ આ મેચમાં એલન અને ટિમ સીફર્ટની ન્યૂઝીલેન્ડની જોડીને અજમાવી શકે છે. ન્યૂઝીલેન્ડનો બીજો ખેલાડી રચિન રવિન્દ્ર પણ મિડલ ઓર્ડરમાં સ્થાન મેળવવાનો દાવેદાર છે. KKR ની સૌથી મોટી ચિંતા સુનીલ નારાયણ અને ભારતીય સ્પિનર વણ…
New Delhi, તા.9 ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇંડિયન પ્રીમિયર લીગ દરમિયાન મેદાન પર શિસ્ત જાળવવા માટે નવા અને કડક નિયમો અમલમાં મુકાયા છે. ખાસ કરીને બેન્ચ પર બેઠેલા અને પ્લેઇંગ ઇલેવનની બહારના ખેલાડીઓને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે. હવે મેચ પહેલા આપવામાં આવતી 16 ખેલાડીઓની યાદીમાં સમાવિષ્ટ ખેલાડીઓને જ મેદાનમાં પ્રવેશવાની મંજૂરી મળશે. નવી માર્ગદર્શિકા અનુસાર, 16 ખેલાડીઓની યાદીમાં નામ ન હોય તેવા કોઈપણ ખેલાડી માટે મેદાનમાં જવું કે બાઉન્ડ્રી પાસે ઉભા રહેવું સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે. અગાઉ ડગઆઉટમાં બેઠેલા ખેલાડીઓ ડ્રિંક્સ, મેસેજ કે સાધનો આપવા માટે મેદાનમાં જતા હતા, પરંતુ હવે આ પર સંપૂર્ણ રોક લગાવી…
Mumbai, તા. 9 ગયા વર્ષે નવેમ્બર 2025માં ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલના લગ્ન થવાના હતા. બધી તૈયારીઓ થઈ ગઈ હતી. પ્રી-વેડિંગ ફંક્શન પૂરા થઈ ગયા હતા. પરંતુ લગ્નના એક રાત પહેલા સંબંધ તૂટી ગયો. સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત બગડવાની વાત સામે આવી. પછીથી જાણવા મળ્યું કે પલાશને લગ્ન પહેલા સ્મૃતિએ છેતરતા પકડ્યો હતો. હવે બંને પરિવારો વચ્ચે બધું બરાબર થઈ ગયું છે. ઇન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. તેમાં સ્મૃતિ મંધાનાના પિતાને પલાશની બહેન પલક મુચ્છલ અને તેમના પતિ મિથુન સાથે જોવામાં આવ્યા. વીડિયો જોઈને લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો. તેમાં સ્મૃતિના…
