- Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
- રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
- Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
- એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
- Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
- ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
- ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
- જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
Author: Shri Nutan Saurashtra
બે વાર હાર્ટ એટેક આવી ગયા બાદ નાદુરસ્ત રહેતા હોવાથી એસિડ ગટગટાવી ભર્યું અંતિમ પગલું Rajkot,તા.09 શહેરના કાલાવડ રોડ પર નાના મવા સર્કલ પાસે આવેલા ભીમનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લાંબા સમયની બીમારીથી કંટાળીને ૫૪ વર્ષીય આધેડે એસિડ ગટગટાવી લેતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ, ભીમનગર શેરી નંબર-૩ માં રહેતા કાળુભાઈ દેવાભાઈ સોંદરવા (ઉં.વ. ૫૪) એ ગઈકાલે પોતાના ઘરે એસિડ પી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે લેન્ડમાર્ક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને…
Rajkot,તા.09 ગોંડલ રોડ ચોકડી નજીક આવેલી મહિરાજ હોટલ પાસે કારમાંથી વિદેશી દારૂની ૨૩૧ બોટલ મળી રૂ.૧૦.૪૬ લાખના મુદ્દા માલ સાથે કુલદીપ પાથર નામના બુટલેગરની પીસીબીની ટીમે ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન પેટ્રોલિંગ અને નાઈટ કોમ્બિંગ હાથ ધરવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ આપેલી સૂચનાના પગલે, પીસીબી ઇન્ચાર્જ પી.આઈ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, ગોંડલ રોડ ચોકડી નજીક આવેલી મહિરાજ હોટલ ની સામે GJ-03 -PJ – 8246 નંબરની થારમા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ હેરા ફેરી કરે છે.બાતમીના પગલે પીસીબી ની…
ડીસીપી જગદીશ બાંગરવા અને ઝોન 1 ડીસીપી હેતલ પટેલની અધ્યક્ષતા યોજાયો કાર્યક્રમ Rajkot,તા.09 શહેરમાં વ્યાજખોરોને ડામી દેવા પોલીસે લાલ આંખ કરતા વ્યાજખોરોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી જગદીશ બાંગરવા અને ઝોન 1 ડીસીપી હેતલ પટેલ ની અધ્યક્ષતા વ્યાજખોરી કરતા ઇસમો વિરુધ્ધ જાગૃતિ લાવવવા અને આર્થિક જરૂરિયાત મંદ લોકો વિવિધ યોજના વિશે માહિતી આપવાની આયોજન કરવામાં આવ્યું હતું.વધુ વિગત મુજબ રાજ્યમાં વ્યાજખોરી ને ડામી દેવા અને કડક હાથે કામગીરી કરી વ્યાજના ચુંગાલમાં ફસાયેલા લોકોની વાહરે આવી બેંકો અને ફાઇનાન્સ કંપની તેમજ સહકારી ક્ષેત્રની બેંકો નો લોન મેળો યોજવા રાજ્યના પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવએ અનેરું…
જીપીઆઇડી એકટના ગુન્હામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો Rajkot,તા.09 શહેરમાં ગંભીર ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ અસરકારક કામગીરી કરી રહી છે. દરમિયાન પેરોલ ફર્લો સ્કોવડની ટીમે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જીપીઆઇડી એકટના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં સાત મહિનાથી ફરાર દંપતીને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.જાણવા મળતી વિગતો મુજબ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેરમાં ગંભીર ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી છે. જેને લઇ પેરોલ ફર્લો સ્કોવડના પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જી.તેરૈયા તથા તેમની ટીમ ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે પ્રયત્નશીલ…
Amreli તા.09 અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તથા જાફરાબાદ પંથકમાં બે અલગ અલગ બનાવમાં એક મહિલા તથા એક યુવતિએ ગળાફાસો ખાઇ લેતાં બંનેનાં મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે. આ પ્રથમ બનાવમાં સાવરકુંડલા ગામે જેસરરોડ ઉપર આવેલ ગીતાંજલી સોસાયટીમાં રહેતાં અનસુયાબેન મુકેશભાઇ પાચાણી નામની ૪૫ વર્ષીય મહિલાની દિકરીની સગાઇ થતી ન હોય અને છેલ્લા બે વર્ષથી તેણી ટેન્શનમાં રહેતા હોય જેથી ગત તા.૭ ના રોજ સવારે ૧૦/૩૦ વાગ્યાના સમયે પોતે પોતાની મેળે પોતાના ઘરે ગળાફાસો ખાઇ લેતાં મહિલાનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે. જ્યારે બીજા બનાવમાં જાફરાબાદ…
કાશીમાં એક વિદ્વાન બ્રાહ્મણની નજર સામેથી એક ગાય દોડતી આવીને એક ગલીમાં ઘુસી જાય છે,તેની પાછળ એક માણસ દોડતો આવીને ગાયના વિશે પુછે છે.પંડીતજી માળા ફેરવી રહ્યા હતા એટલે કંઇ બોલ્યા નહી પરંતુ હાથના ઇશારાથી કહ્યું કે ગાય સામેની ગલીમાં ગઇ છે.પંડીતજીને ખબર નથી કે પુછનાર વ્યક્તિ કસાઇ છે અને ગાયમાતા તેના ચંગુલથી બચવા ભાગી રહ્યાં છે.કસાઇએ ગાયને પકડીને ગોવધ કરી નાખ્યો.અજાણતાં થયેલા આ ગંભીર પાપના પરીણામે પંડિતજીનો આગલો જન્મ એક કસાઈ પરિવારમાં થયો અને તેમનું નામ સદના રાખવામાં આવ્યું પરંતુ તેમના પૂર્વજન્મના પુણ્યકર્મોના કારણે કસાઈ હોવા છતાં તેઓ ઉદાર અને સદાચારી હતા. સદના ભક્તનો જન્મ સિંધ પ્રાંતના એક કસાઇ…
જે કર્મયોગ અનાદિ હોવા છતાં આ ભૂમંડલ ઉપર જાણવાવાળા વિશેષ પુરૂષોના ન રહેવાથી ચિરકાળ થી લુપ્તપ્રાપ્ય થઇ ગયો હતો તે જ કર્મયોગનું વર્ણન ફરીથી આરંભ કરતાં ભગવાન પહેલા ત્રણ શ્ર્લોકોમાં કર્મયોગની પરંપરા બતાવીને તેની અનાદિતા સિદ્ધ કરે છે. શ્રીભગવાન ઉવાચ.. ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્ વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેબ્રવીત્ (અહમ્-મેં, ઇમમ્-આ, અવ્યયમ્-અવિનાશી, યોગમ્-યોગ(કર્મયોગ), વિવસ્વતે-સૂર્યને, પ્રોક્તવાન-કહ્યો હતો પછી, વિવસ્વાન્-સૂર્યે પોતાના પૂત્ર, મનવે-વૈવસ્વત મનુને, પ્રાહ-કહ્યો અને, મનુઃ-મનુએ પોતાના પૂત્ર, ઇક્ષ્વાકવે-રાજા ઇક્ષ્વાકુને, અબ્રવીત-કહ્યો.) ભગવાન બોલ્યા કે..મેં આ અવિનાશી યોગ(કર્મયોગ) સૂર્યને કહ્યો હતો પછી સૂર્યે પોતાના પૂત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પૂત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યો હતો.(ગીતાઃ૪/૧) જ્ઞાનનાં બે રૂપ છેઃનવું શોધાયેલું અને જુનું દબાયેલું.પ્રયોગશાળામાં જે જ્ઞાન પ્રગટે છે તે નવું છે,તેથી તે જ વિજ્ઞાન કહેવાય…
સોશિયલ મીડિયા પર અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે કે પુરુષ સ્ત્રી કરતાં મહાન છે! પણ એમની સંવેદનાને કોઈ સમજતું નથી! બધાં સ્ત્રી, કે મા જ મહાન છે, એવી વાતો કરે છે! હકીકતમાં પુરુષ પોતાની લાગણી કે વિચારોને એટલી હદે પ્રસ્તુત કરી શકતો નથી! અથવા તો કરતો નથી! અને એટલે એને અન્યાય થાય છે! પણ કોઈ એક મહાન અને બીજું ઉતરતું એવું શું કામ? મારી રીતે તો સ્ત્રી અને પુરુષ બંને ગૃહસ્થીની ગાડીની સમાંતરે ચાલતાં છેડાઓ છે, અને એટલે જીવનની ગાડી ગમે તે મોડ પર વળાંક લે, તો બંને છેડાએ વળાંક લેવો પડે! અને જો એક છેડો વળાંક લેવાનો ઈન્કાર કરે…
આજકાલ હિટલર એલેક્ઝાન્ડર ના વેમમાં ઘણા ફરી રહયા છે કે અમારી પાસે સત્તા અને સંપત્તિ છે તો હવે અમે અમર છીએ કોઈની જરૂર પડવાની નથી ત્યારે આજે આપણે ચિંતનાત્મક લેખમાં એ વિશે મને ગમેલી એક વાત જોઇએ તો ઘણા સમય પહેલાની વાત છે,જ્યારે એલેક્ઝાન્ડર,પોતાની શક્તિના બળ પર આધાર રાખી ને,સમગ્ર વિશ્વ પર રાજ કરવા લાગ્યો.તે પોતાની શક્તિ પ્રત્યે એટલો ઘમંડી થઈ ગયો કે આખરે તેને અમર બનવાની ઈચ્છા થઈ.તે શોધવા માટે નીકળ્યો કે શું કોઈ દંતકથા જેવું પાણી છે,જેનો પ્રવાહ વ્યક્તિને શાશ્વત જીવન આપી શકે છે. દૂર દૂર સુધી ભટક્યા પછી, એલેક્ઝાન્ડરે આખરે તે સ્થાન શોધી કાઢ્યું જ્યાં તે અમરત્વનું…
૨૦૧૦ માં પ્રશંસનીય ફિલ્મ “ફાસ ગયે રે ઓબામા” એક કોમેડી હતી, જે એક દુર્ઘટનામાંથી જન્મી હતી. તેની વાર્તા એક એનઆરઆઇની આસપાસ ફરતી હતી જે રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન અમેરિકામાં ઉદ્ભવેલા આર્થિક સંકટનો સામનો કરવા માટે ભારત પરત ફર્યો હતો. જેમ અમેરિકામાં મંદીએ તે સમયે સમગ્ર વિશ્વને પરેશાન કર્યું હતું, તેવી જ રીતે આજે સમગ્ર વિશ્વ ઇઝરાયલ દ્વારા શરૂ કરાયેલા અમેરિકાના ઈરાન પરના સંયુક્ત હુમલાથી પરેશાન છે. આ યુદ્ધ શરૂ થયાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, અને તે ક્યારે સમાપ્ત થશે તે કહેવું મુશ્કેલ છે. જો અમેરિકાએ ઇઝરાયલને ટેકો ન આપ્યો હોત, તો આ યુદ્ધ પણ શક્ય ન…
