(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭
પંચાસર મોરબી રોડ પર મામાદેવ મંદિર પાસેથી ૬૦ વર્ષીય વૃદ્ધ બાઈક લઈને પસાર થતા હતા અને કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા માથા અને હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધનું સર્વર દરમિયાન મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના શિવનગર (પંચાસર) ગામના રહેવાસી વાલજીભાઈ લવજીભાઈ રૂપાલા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગત તા. ૦૬ ના રોજ સવારના દશેક વાગ્યે પોતાનું બાઈક જીજે ૦૩ એજે ૭૭૯૮ લઈને પંચાસરથી મોરબી આવતા હતા ત્યારે પંચાસર રોડ પર મામાદેવ મંદિર પાસે બાઈક સ્લીપ થતા વાલજીભાઈ પડી ગયા હતા અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા અને જમણા હાથે અને જમણા પગે મુંઢ ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા સારવારમાં વૃદ્ધનું મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

