પ્રૌઢનો મિત્ર અવારનવાર દર્શને જતો ત્યારે પરિચય કેળવી સજાતીય સંબંધ બાંધતો જેથી બનાવના દિવસે બંને વચ્ચે સંબંધ બાંધવા થયેલી માથાકૂટમા ઢીમ ઢાળી દીધુ, રાજકોટ એલસીબીએ ભેદ ઉકેલ્યો
Paddhari,તા.21
પડધરી ખાતે આવેલા કબ્રસ્તાનમાં છેલ્લા 25 વર્ષથી સેવા પૂજા કરતા મુક બધીર દિવ્યાંગની બોથડ પદાર્થના માથાના ભાગે ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી લીધાની ઘટનાનો એલસીબીએ ભેદ ઉકેલિ સજાતીય સંબંધ બાંધતો બાંધવા થયેલી માથાકૂટમા ઢીમ ઢાળી ની કબુલાત આપી હતી. વધુ વિગત મુજબ પડધરી ખાતે આવેલા કબ્રસ્તાનમાં છેલ્લા 25 વર્ષથી સેવા પૂજા કરતા દાઉદશા અનવરભાઈ શાહ મદાર નામના 46 વર્ષીય પ્રૌઢની હત્યા કર્યા ની પડધરી બસ સ્ટેન્ડ સામે રહેતા સબીર હુસેન અબ્દુલ રજાક કાદરીએ પડધરી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે મૃતક દાઉદ શાહ શાહ મદાર નામના પ્રૌઢ મુક બધીર દિવ્યાંગ હોય અને છેલ્લા 25 વર્ષથી કબ્રસ્તાનમાં ની ઓરડીમાં રહી સેવા પૂજા કરે છે તેમજ ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીકી લીધા હોવાથી લોહી લુહાણ હાલતમાં પડ્યા હોવાથી સ્થાનિકને જાણ થતા તેઓએ ઇજાગ્રસ્ત હાલતમાં પથમ પડધરીની હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા એલસીબી એ ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ મૂળ વાંકાનેરનો અને હાલ પડધરી ના ખાટકીવાસમાં રહેતો ઈકબાલ આસમ ખાટકી નામના શખ્સની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછમાં કબ્રસ્તાનમાં દર્શને જતો ત્યારે પરિચય કેળવી હો અવાર-સવાર સજાતીય સંબંધ બાંધતો જેથી બનાવના દિવસે બંને વચ્ચે સંબંધ બાંધવા થયેલી માથાકૂટમા ઢીમ ઢાળી દિધાા ની કબુલાત આપતા ઈકબાલની ધરપકડ કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીના અને એસોજીના ઇન્ચાર્જ પીઆઇ એફ એ પારગી પડધરી પોલીસ મથકના પીઆઈ એસ એન પરમાર એલસીબીના પી.એસ.એચ.સી ગોહિલ, કે એમ ચાવડા, આર બી બલદાણીયા , વીકે સુરાણી, જે જે વાળા અને આરબી રાણા સહિતની ટીમ દ્વારા કામગીરી બજાવવામાં આવી હતી.