New Delhi,તા.૨૧
ગોલ સ્ટેડિયમમાં પાંચમાં દિવસની પીચ સ્પિન બોલિંગ માટે સારી હતી. કુલદીપ યાદવ તેનો ફાયદો ઉઠાવી શક્યા હોત. પરંતુ તેમણે 11 ઓવરમાં 38 રન આપીને એક પણ વિકેટ લીધી ન હતી. માનવામાં આવી રહ્યું છે કે બીજી ટેસ્ટમાં કુલદીપની જગ્યાએ ઓફ-સ્પિનર સારાંશ જૈનને તક મળી શકે છે.
શ્રીલંકાની ટીમમાં ઘણા ડાબોડી બેટ્સમેનો છે, તેથી ઓફ-સ્પિનર તેમના સામે ઉપયોગી સાબિત થઈ શકે છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલની નજરમાં કુલદીપ ત્રીજા સ્પિનર હતા. તેમણે જાડેજા અને માનવ સુથાર પાસે બોલિંગ કરાવી હતી.
બંનેએ મળીને 46.4 ઓવર કરી અને 14 વિકેટ લીધી. કુલદીપના ખરાબ પ્રદર્શન માટે કેપ્ટન કે ટીમ મેનેજમેન્ટને દોષ દેવો સરળ નથી કારણ કે તેમણે આ બોલર પર પૂરતો ભરોસો ના દર્શાવ્યો.
કુલદીપને મળેલા 11 ઓવરમાં પણ તે એવું પ્રદર્શન ન કરી શક્યા જેથી તેમને વધુ બોલિંગ આપવામાં આવે. પહેલી ઇનિંગમાં પણ કુલદીપને એકમાત્ર વિકેટ મળી, જેમાં ગિલના શાનદાર કેચનું મોટું યોગદાન હતું.
બીજી ટેસ્ટ માટે પણ ગોલ જેવી પીચ
ભારતીય બેટ્સમેનોની સ્પિન સામેની મુશ્કેલીનો ફાયદો ઉઠાવવા માટે ભલે શ્રીલંકા ટર્નિંગ પીચ તૈયાર કરવાની લાલચ રાખે, પરંતુ બીજી ટેસ્ટ માટે સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ની પીચ ગોલ જેવી જ હોઈ શકે છે.
શ્રીલંકન અધિકારીઓનું માનવું છે કે, જરૂરિયાત કરતા વધારે સ્પિનને મદદગાર પીચ તૈયાર કરવી ઊંધી પડી શકે છે. એક અધિકારીએ કહ્યું, “શ્રીલંકા પાસે દિનેશ ચાંદીમલ, કુસાલ મેંડિસ અને પથુમ નિસાંકા સિવાય ઘણા અનુભવી ખેલાડીઓ નથી, તેથી અમારે યુવા બેટ્સમેનોને પણ તક આપવી પડશે

