Surat,તા.૧
રાજ્યમાં મેઘરાજા ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ધૂંઆધાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૫ તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં તોફાની મેઘમહેર જોવા મળી છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને નદીઓ બે કાંઠે વહેવા લાગી છે.
છેલ્લા ૨૪ કલાકમાં સુરતના અંબિકા તાલુકામાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં સૌથી વધુ ૨૪ ઈંચ (૫૬૫ મિમી) કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અન્ય મુખ્ય વિસ્તારોમાં પડેલા ભારે વરસાદની વાત કરીએ તો તાપી (ડોલવણ) ૧૭ ઈંચ (૪૨૫ મિમી), ખેડા (વસો) ૧૬.૫ ઈંચ (૪૧૬ મિમી), નવસારી (વાંસદા) ૧૬.૫ ઈંચ (૪૧૩ મિમી), સુરત (ઉમરપાડા) ૧૫ ઈંચ, ખેડા (નડિયાદ) ૧૩.૭૫ ઈંચ (૩૪૧ મિમી), ભરૂચ (નેત્રંગ)ઃ ૧૩.૨૫ ઈંચ, વલસાડ (ધરમપુર) ૧૧ ઈંચથી વધુ, ડાંગ (વઘઈ) અને સુરત ( માંગરોળ) ૧૧-૧૧ ઈંચ, આણંદ (ખંભાત) અને ડાંગ (સુબીર) ૧૦.૫ ઈંચ અને ખેડા (મહુધા) ૧૦ ઈંચનો સમાવેશ થાય છે.
સૌથી વધુ સુરતના અંબિકા તાલુકામાં ૨૪ ઈંચ,તાપીના ડોલવણમાં પણ ૧૭ ઈંચ,ખેડાના વસોમાં ૧૬.૫ ઈંચ,નવસારીના વાંસદામાં પણ ૧૬.૫,સુરતના ઉમરપાડામાં ૧૫ ઈંચ,ખેડાના નડિયાદમાં પણ ૧૩.૭૫ ઈંચ,ભરૂચના નેત્રંગમાં ૧૩.૨૫ ઈંચ,વલસાડના ધરમપુરમાં ૧૧ ઈંચ,ડાંગના વઘઈમાં ૧૧ ઈંચ, સુરતના માંગરોળમાં ૧૧ ઈંચ, આણંદમાં ૧૧, ડાંગના સુબીરમાં ૧૦.૫ ઈંચ,આણંદના ખંભાત ૧૦.૫ અને ખેડાના મહુધામાં ૧૦ ઈંચ વરસાદ થયો છે
રાજ્યના કુલ ૧૩ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધુ અને ૧૪૫ તાલુકાઓમાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬ થી ૧૦ વાગ્યાના ટૂંકા સમયગાળામાં પણ સુરેન્દ્રનગરના લખતરમાં ૧૧૦ મિમી, વઢવાણમાં ૧૦૨ મિમી અને તિલકવાડામાં ૯૯ મિમી વરસાદ ખાબક્યો હતો.છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યનો સરેરાશ વરસાદ ૭૯.૮૪ મિમી નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ ૫૮૮.૫૬ મિમી પર પહોંચ્યો છે, જે સરેરાશ વરસાદના ૬૪.૭૬ ટકા જેટલો થાય છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશના રેકોર્ડબ્રેક ૯૧.૩૫ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૪.૪૬ ટકા ભરાઈ ગયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં સરેરાશ ૪૯.૧૯ ટકા જળસંગ્રહ થયો છે. ૨૨ ડેમ હાઈ એલર્ટ પર, ૮ ડેમ એલર્ટ પર, ૧૧ ડેમ વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે.નવસારી જિલ્લામાં આકાશી આફતને કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટી વટાવી ગઈ હતી. પૂર્ણા નદીના પૂરના પાણી શહેરમાં ફરી વળતા નવસારીનો ૩૦ ટકા ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે, હાલ વરસાદનું જોર ઘટતાં ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યા છે જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ભારે વરસાદના પરિણામે વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. રાજ્યમાં ૧૯૩ બસ રૂટ અને ૮૫૭ ટ્રિપ પ્રભાવિત થઈ છે તથા અનેક નાના-મોટા રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યનો સરેરાશ ૭૯.૮૪ મિમી વરસાદ નોંધાયો

