(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૦
જામનગર તાલુકાના ધ્રાંગડા ગામે વાડી વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની પરપ્રાંતીય યુવતીએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પંચ-એ પોલીસ મથકમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.
પોલીસમાં જાહેર કરાયેલી વિગતો મુજબ મલકીબેન વિકેશભાઈ બાંભણીયા (ઉ.વ.૨૩) મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના એરામ ગામના વતની હતા અને હાલ ધ્રાંગડા ગામે વાડીમાં રહેતા હતા. મલકીબેનને પોતાના વતનમાં આંટો મારવા જવું હતું, પરંતુ પતિ વિકેશભાઈ પાસે હાલ પૈસા ન હોવાથી તેમણે જવાની ના પાડી હતી. આ બાબતે માઠું લાગી આવતા મલકીબેને ગત તા.૩ ઓગસ્ટે પોતાની રીતે ઝેરી દવા પી લીધી હતી.ઝેરી દવા પીધા બાદ તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તા.૯ ઓગસ્ટે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પંચ-એ પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.આર. પરમારે તપાસ હાથ ધરી છે.

