Author: Vikram Raval

Morbi,તા.03 લાતીપ્લોટ મેઈન રોડ પરથી પોલીસે રીક્ષામાં દારૂની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને દારૂની ૪૮ બોટલ અને રીક્ષા સહીત ૮૪ હજારનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતીપ્લોટ મેઈન રોડ પર શેરી નં ૧૨ માંથી ધોબી શેરી તરફ જતી રીક્ષાને આંતરી તલાશી લેતા દારૂની ૪૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો કીમત રૂ ૨૪ હજાર અને રીક્ષા કીમત રૂ ૬૦ હજાર મળીને કુલ રૂ ૮૪ હજારનો મુદામાલ કબજે લઈને આરોપી અવેશ રમજુ ચાનિયાને ઝડપી લીધો છે અન્ય આરોપી તૌફીક દાઉદ ચાનીયાનું નામ ખુલતા તપાસ ચલાવી છે

Read More

Ahmedabad,તા.03 દેશભરમાં ઓપરેશન સિંદુર અને જે રીતે ભારતીય સેનાએ પાકિસ્તાનને પરાજય આપ્યો તેનો સંતોષ છે તે વચ્ચે હવે ગુજરાત સરકારે કચ્છમાં પાકિસ્તાન સાથેની સીમા પાસે એક ઓપરેશન સિંદુર મેમોરીયલ પાકે ઉભો કરવાની તૈયારી કરી છે. ઓપરેશન સિંદુર સમયે પાક સેનાએ કચ્છ પર ડ્રોન વિ. હુમલા કર્યા હતા પણ તે તમામ મારી હટાવાયા હતા અને સમગ્ર ક્ષેત્રને ભારતીય સેનાએ સુરક્ષિત રાખ્યુ હતું. કચ્છ એ અગાઉ પણ પાક સાથેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેથી હવે આ સરહદી ‘સિંદુર-વન’ ઉભુ કરાશે અને લગભગ દોઢ વર્ષમાં તે ઉભુ કરી દેવામાં આવશે. આ માટે ભુજ-માંડવી રોડ પર મીર્ઝાપુર ક્ષેત્રમાં વનવિભાગ આઠ હેકટર જમીન સંપાદીત…

Read More

New Delhi,તા.03 વડાપ્રધાન  નરેન્દ્ર મોદી તા.6ના જમ્મુના કતરાની મુલાકાત લેશે. ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાનની આ પ્રથમ જમ્મુ-કાશ્મીર મુલાકાત હશે. શ્રી મોદી કતરા (વૈષ્ણોદેવી)થી શ્રીનગર વચ્ચે વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપશે. કાશ્મીરને દેશના અન્ય ભાગોથી રેલમાર્ગે જોડવાના 42 વર્ષ પુર્વેના પ્રોજેકટ હવે સાકાર થશે. અગાઉ તા.19 એપ્રિલના આ ટ્રેનને લીલીઝંડી આપવા વડાપ્રધાન શ્રી મોદી કાશ્મીર જવાના હતા પણ ખરાબ હવામાનના કારણે તેમનો પ્રવાસ મુલત્વી રહ્યો હતો. તે બાદ તા.21 એપ્રિલના રોજ પહેલગામ હુમલો થતા ભારત અને પાકિસ્તાન વચ્ચે મીની યુદ્ધ પણ ખેલાઈ ગયુ હતું. શુક્રવારે શ્રી મોદીની કતરા મુલાકાત પુર્વેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે હજુ વડાપ્રધાન કાર્યાલય તરફી વડાપ્રધાનના…

Read More

New Delhi,તા.03 દેશમાં મેડીકલ માફીયાઓ તબીબો-ફાર્મા કંપનીઓની સાંઠગાંઠના અનેક કેસો બહાર આવે છે તો ચોકકસ કંપનીઓની દવાજ ખરીદવા જે રીતે તબીબો પ્રિસ્કાઈબ કરે છે તેને ગઠબંધન તોડવામાં સરકારને સફળતા મળી નથી પણ હવે તમામ સરકારી હોસ્પીટલોમાં ફાર્મા કંપનીઓના જે મેડીકલ રીપ્રેઝન્ટેન્ટીવ માટે પ્રવેશબંધી જાહેર કરી છે. એમ.આર. તરીકે ઓળખતા આ દવાના સેલ્સમેન જેવી ભૂમિકા ભજવતા પ્રોફેશનલ ચોકકસ દવાઓ લખવા તબીબોને ભલામણ કરે છે જેના બદલામાં તબીબોને ફાર્મા કંપનીઓ ‘સાચવી’ લે છે અને અનેક લાભો આપે છે પણ હવે ડિરેકટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ એ એક આદેશમાં કોઈપણ સરકારી હોસ્પીટલોમાં આ એમ.આર.ના પ્રવેશ પર જ પ્રતિબંધ મુકી દીધો છે. જો તેઓ…

Read More

New Delhi,તા.03 ઓપરેશન સિંદુરના પગલે ભાજપ સાંસદો અને વિદેશ નીતિના નિષ્ણાંતોના પ્રતિનિધિમંડળ વિશ્વના 33 દેશોમાં પાકિસ્તાનના અસલી ચહેરાને ખુલ્લુ પાડવા મોકલ્યા છે તે સમયે સ્પેનમાં આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા ડીએમકેના સાંસદ કનીમોઝીએ ભારતની રાષ્ટ્રીય ભાષા અંગેના એક પ્રશ્નનો ખૂબજ બૌદ્ધિક અને સુંદર જવાબ આપીને પ્રશ્ન પૂછનારને પણ સ્તબ્ધ કરી દીધો હતો. સ્પેનમાં તેઓ અહી વસતા ભારતીયોના એક સમૂહને સંબોધીત કરી રહ્યા હતા. તે સમયે તેઓને ભારતની ત્રણ ભાષાની ફોર્મ્યુલા મુદે પ્રશ્ન પુછાયો અને તેઓ ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ તેના જવાબમાં કનીમોઝીએ કહ્યું કે, ભારતની રાષ્ટ્રીય ભાષા એકતા અને વૈવિધ્યતાની છે તેણે અહી જ નહી અટકતા એ પણ કહ્યું કે આ…

Read More

New Delhi તા.3 એક્સિઓમ-4 મિશનમાં, ભારતના શુભાંશુ શુક્લા પાઇલટ તરીકે જઈ રહ્યા છે. આ ઐતિહાસિક મિશનમાં, શુભાંશુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં માઇક્રોગ્રેવિટીનું પણ પરિક્ષણ કરશે. આ મિશન 8 જૂને લોન્ચ કરવામાં આવશે. ભારત માટે આ મિશન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કેમ કે ત્યાર બાદ ગગનયાન મિશન પર ધ્યાન આપવામાં આવશે. આ મિશન ઇસરો, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીનો સંયુકત પ્રોજેકટ છે. શુભાંશુ શુક્લા આ મિશન દરમિયાન અંતરિક્ષમાં લાંબા સમય સુધી ટકી રહેતા ભોજન અંગે રિસર્ચ કરશે. તે માઇક્રોગ્રેવિટીમાં મગની દાળ અને મેથી ઉગાડવાની કોશિશ કરશે. આ પાક ઉગી શકે કે નહીં? ઉગે તો એની શું અસર થાય છે? કેવા પડકારો આવે…

Read More

Ayodhya ,તા.3 પાંચ જુને ગંગા દશેરાના દિવસે શ્રીરામ મંદિરમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે.પરંતુ રામ દરબારના દર્શન હાલ શ્રધ્ધાળુ નહીં કરી શકે. તેમાં સમય લાગી શકે છે. શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્રનાં મહાસચીવ ચંપતરાયે રામ ભકતોને પ્રાણ પ્રતિષ્ઠાન દિવસે અયોધ્યા ન આવવા અપીલ કરી છે. સોશ્યલ મિડીયા પર એક સંદેશ જાહેર કરી તેમણે કહ્યું છે.હવામાનને ધ્યાનમાં રાખીને કોઈ મોટો કાર્યક્રમ નથી કરવામાં આવી રહ્યો લોકો નિયમીત રીતે દર્શન કરી શકશે.માત્ર પ્રાણ પ્રતિષ્ઠા માટે યોજના બનાવીને ન આપે. શ્રીરામ જન્મભુમિ પર બનેલા ભવ્ય રામ મંદિરનાં પ્રથમ માળનાં રામ દરબાર અને કમ્પાઉન્ડ વોલના 6 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેમાં ગણેશ ભગવાન…

Read More

તા.03-06-2025 મંગળવાર મેષ આજે કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે. જો તમે ભાર ક્યાંક ફરવા જાયી રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારી ને પહેરો। જો તમે આવું નહિ કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારા થી ગુસ્સે થયી જાય. મહત્વના લોકો સાથે હળો-મળો ત્યારે તમારા આંખ-કાન ખુલ્લા રાખો-કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મુકશે. વૃષભ આજના દિવસે તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી…

Read More

તા.03-06-2025 મંગળવાર તિથિ અષ્ટમી (આઠમ) – 21:58:56 સુધી નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની – 24:59:19 સુધી કરણ વિષ્ટિ ભદ્ર – 09:13:08 સુધી, ભાવ – 21:58:56 સુધી પક્ષ શુક્લ યોગ હર્ષણ – 08:07:43 સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:53:28 સૂર્યાસ્ત 19:21:47 ચંદ્ર રાશિ સિંહ ચંદ્રોદય 12:45:00 ચંદ્રાસ્ત 25:22:59 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947   વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 20 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:28:19 અશુભ સમય દુર મુહુર્ત 08:35:08 થી 09:29:02 ના કુલિક 13:58:28 થી 14:52:21 ના દુરી / મરણ 06:47:22 થી 07:41:15 ના રાહુ કાળ 15:59:43 થી 17:40:45 ના કાલવેલા/અર્ધ્યામ 08:35:08 થી 09:29:02 ના યમ ઘંટા 10:22:55 થી 11:16:48 ના યમગંડ 09:15:33 થી 10:56:36 ના ગુલિક કાલ…

Read More

New Delhi,તા.૨ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ઓફિસમાંથી કરોડોની ચોરી થઈ છે. આ ઘટના લોધી રોડ પર સ્થિત દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ઓફિસમાં અંજામ આપવામાં આવ્યો છે. દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ એન્ટી ટેરર સ્ક્વોડ તરીકે કામ કરે છે, જે દેશભરમાં ગેંગસ્ટરો અને આતંકવાદીઓ સાથે સંબંધિત કેસોની તપાસ કરે છે. ચોરી સેલ ઓફિસના વેરહાઉસમાં થઈ હતી. દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ ખુર્શીદ પર ચોરીનો આરોપ છે. પોલીસે ૫૦ લાખ રૂપિયા રોકડા અને મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું છે. આરોપી હેડ કોન્સ્ટેબલ ખુર્શીદ પહેલા સ્પેશિયલ સેલના વેરહાઉસમાં તૈનાત હતો, બાદમાં તેને પૂર્વ દિલ્હી જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી વેરહાઉસમાં પહોંચ્યો…

Read More