Author: Shri Nutan Saurashtra

Amreli, તા.8 અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા થી ખાખરીયા તરફ ના રોડ પર સવારે અગિયાર વાગ્યાં આસપાસ એક અકસ્માત સર્જાયો હતો. અમરેલી તરફ થી વડિયા તરફ આવતી ઓટો રીક્ષા એક બાઈક સાથે અથડાતા બાઈક ચાલાક ને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે વડિયા હોસ્પિટલ ખાસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે રીફર કરાયા હતા જાણવા મળતી વિગત મુજબ ઈજાગ્રસ્ત વ્યક્તિગત ખાખરીયા ગામના રેલવે ના નિવૃત કર્મચારી છે. જયારે આ અકસ્માત માં ઓટોરીક્ષા પલ્ટી મારતા તેમાંથી દેશી દારૂના પોટલાંની રેલમ છેલ રસ્તા પર જોવા મળી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ એક શખ્સ અમરેલી તરફ થી ઓટો રિક્ષામાં દેશી દારૂ લઇ…

Read More

Amreli, તા.8 અમરેલી જિલ્લામાં આગામી તા.26 ના રોજ એક જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત, 6 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જે અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરતાંની સાથે જ સોમવારથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થયો છે. અમરેલી જિલ્લામાં સોમવારે પ્રથમ દિવસે જિલ્લા પંચાયતમાં બે ફોર્મ તથા તાલુકા પંચાયતમાં ત્રણ ફોર્મ મળી કોંગેસના ઉમેદવાર દ્વારા કુલ પાંચ ઉમેદવારીપત્ર જે તે ચૂંટણી અધિકારી સમક્ષ રજુ થવા પામેલ હતાં. ત્યારે ગઈકાલે મંગળવારે જાફરાબાદ તાલુકા પંચાયતમાં વધુ 6 ઉમેદવારીપત્ર ભરાયાં છે. જ્યારે મંગળવારે બીજા દિવસે પણ 6 પાલિકાઓમાં એક પણ ઉમેદવારીપત્ર રજુ થવા પામેલ નથી. અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઈકાલે ઉમેદવારીપત્રો ભરવાનાં બીજા દિવસે જાફરાબાદ…

Read More

Amreli તા.8 નિકુંજનાયક શ્રી દ્વારકાધીશજી પ્રભુની અસીમ કૃપાથી પુષ્ટિમાર્ગના સ્થાપક અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય શ્રીમહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવ આગામી તા. 13, સોમવારે અમરેલી ખાતે ભવ્ય રીતે ઉજવાશે. આ ઉત્સવના ભાગરૂપે તા. 13 ના રોજ સવારે 7:30 કલાકે મંગળા દર્શનથી કાર્યક્રમનો પ્રારંભ થશે. ત્યારબાદ શ્રૃંગાર દર્શન ભીતર યોજાશે. સવારે 10:15 કલાકે પાલના નંદમહોત્સવ (નંદોત્સવ) રાજભોગ દર્શન થશે અને ભોગ આરતી સાંજે 5 કલાકે શ્રી ગોવર્ધનનાથજી હવેલી, કેરીયા રોડથી વરણાંગી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અમરેલીની શ્રી દ્વારકાધીશજી હવેલી ખાતે પહોંચશે. ત્યાર બાદ શયન દર્શન સાથે ફુલના બંગલા દર્શનનો લાભ ભક્તોને મળશે. તિલક આરતી ફુલ મંડળી દ્વારા યોજાશે.…

Read More

(મિલાપ રૂપારેલ)  Amreli, તા.8 યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા સંચાલિત સંસ્કૃત શક્તિત ગુરૂકુળનાં બાળકોએ ભવ્ય સિદ્ધિ હાંસલ કરી સંસ્થા તેમજ ગુરૂકુળનું નામ ઉજાગર કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે શત સુભાષિત કંઠપાઠની હરીફાઈ યોજાઈ હતી. જેમાં 3 બાળકોએ રાજય કક્ષાએ નંબર પ્રાપ્ત કર્યો હતો. જે અંતર્ગત રાજભવન, ગાંધીનગર ખાતે સંસ્કૃત શત સુભાષિત રાજયસ્તરીય એવોર્ડ ર0ર6નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્કૃત શક્તિત ગુરૂકુળનાં ત્રણ તેજસ્વી વિજેતા બાળકો હિરવા રામાવત,  હેતાંશ રામાવત, તનીષા દવેરાને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનાં વરદહસ્તે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. દરેક વિજેતા વિદ્યાર્થીને પ્રોત્સાહન રૂપે રૂા.ર1000 ની રોકડ રકમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારતભૂષણ મહેશભાઈ…

Read More

(મિલાપ રૂપારેલ) Amreli, તા.8 અમરેલી જિલ્લાના ધારી ગામના પ્રેમપરા વિસ્તારમાં બનેલા ગંભીર માર્ગ અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ગત તા. 2 એપ્રિલે બનેલી આ ઘટનાના વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક કાર હવામાં ફંગોળાઈને ત્રણ ગુલાટી મારતી સ્પષ્ટ દેખાઈ રહી છે. જેમાં એક આશાસ્પદ યુવકનું મોત નિપજ્યાનું જાણવાં મળેલ છે. આ બનાવમાં પ્રાપ્ત વિગતો મુજબ બગસરાના સાપર ગામેથી ધારી તરફ આવી રહેલી એક કાર ફુલ સ્પીડમાં હોવાને કારણે અચાનક નિયંત્રણ ગુમાવતા હવામાં ઉછળી ગઈ હતી અને માર્ગ પર અનેક ગુલાટો ખાધી હતી. ઘટનાની ભયાનકતા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જે જોઈને લોકો…

Read More

(મિલાપ રૂપારેલ) Amreli, તા.8 અમરેલી જિલ્લામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ સાથે ‘માય સિટી માય રન’ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર, રમતગમત વિભાગ, એન્વીજન ઇન્ડિયા તથા ઇન્સ્ટિટ્યૂટ ફોર સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ રિસર્ચ એન્ડ રિફોર્મના સંયુકત ઉપક્રમે યોજાયેલી આ દોડમાં શહેરના પ00 થી વધુ ઉત્સાહી નાગરિકો અને રમતવીરો જોડાયા હતા. સરદાર પટેલ રમત સંકુલ, જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર ખાતેથી પ્રારંભ થયેલી આ દોડ પ કિમી અને 10 કિમી એમ બે કેટેગરીમાં યોજાઈ હતી. જેમાં જિલ્લા રમતગમત અધિકારી પી.બી. કુંભાણી, જિલ્લા સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ ઓફિસર પૂનમ ફુમકીયા, ડીવાય.એસ.પી. ચિરાગ દેસાઈ, પ્રાંત…

Read More

(મિલાપ રૂપારેલ) Amreli, તા.7 અમરેલી તાલુકાના જાળીયા પંથકમાં રહેતી એક 16 વર્ષીય તરૂણીને 7 વર્ષ પહેલાં જાળીયા ગામે રહેતો આરોપી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બદઇરાદે ભગાડી લઇ ગયેલ હતો. આ અંગે જે તે સમયે તરુણીના પિતાએ આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી. આ અંગેનો કેસ અમરેલીની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલને કોર્ટે માન્ય રાખી આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમનાશિક્ષાપાત્ર ગુનામાં 14 વર્ષની સખત કેદ તથા રૂપિયા 30,000 ના દંડની સજાનો હુકમ ફરમાવેલ હતો. અમરેલી તાલુકાના જાળીયા પંથકમાં રહેતી એક 16 વર્ષીય તરૂણીને ગત તા.26/3/19 ના રોજ સવારે 7/45 વાગ્યે જાળીયા ગામે રહેતો આરોપી વિપુલ ઉર્ફે માંગો જગદીશભાઇ…

Read More

(મિલાપ રૂપારેલ) Amreli, તા.8 અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પક્ષના 46માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાવનગર લોકસભાના પૂર્વ સાંસદ આદરણીય રાજેન્દ્રસિંહ રાણાએ ઉપસ્થિત રહીને ભાજપના સંઘર્ષ નેતાઓના બલિદાન અને લોકસભામાં ર બેઠકથી લઈને ર8ર સુધીની સંઘર્ષ ગાથા આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હીરપરા, અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણી, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અને કાર્યક્રમના ઇન્ચાર્જ મનોજભાઈ મહીડા, ઉપપ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા, દિલીપભાઈ જોષી, જીલ્લા ભાજપના મંત્રી પ્રવિણભાઈ સાવજ, બધા મંડળોના પ્રમુખો/ મહામંત્રીઓ તેમજ તેમની ટીમ સહીત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાહતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યેશ વેકરીયાએ…

Read More

Amreli, તા. 7 રાજકોટમાં રહેતી તરૂણી ઉપર વળગાડ દુર કરવાની વિધિના બહાને અમરેલી પંથકના ભુવા સહિત બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યાનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને આરોપીઓને જીવનનાં અંતિમ શ્ર્વાસ સુધીની જેલવાસની સજા ફટકારી છે. રાજકોટ ગામે 150 ફૂટ રીંગ રોડ ઉપર રહેતી એક 14 વર્ષીય તરૂણીને છેલ્લા પંદર વીસ દિવસથી રાત્રીના નીંદરમા ઉભી થઈ તેમનાં દાદાનુ એકસીડન્ટના બાબતેની વાતો હું કર્યા કરતી અને નીંદરમા રડયા કરતી હતી જેથી તેણીના પપ્પાને એમ થયેલ કે, તેમને કોઇ વળગાડ હોય તેવુ લાગેલ જેથીગત કાલ તા.31/10/24 ના રોજ સાંજના છ વાગ્યે ઘરે હાજર હતી ત્યારે તેણીના પપ્પાના મિત્ર રાજકોટ રહેતાં આરોપી મનોજભાઈ જીવાભાઈ…

Read More

New Delhi,તા.08 બાંગ્લાદેશ ક્રિકેટ અત્યારે ગંભીર સંકટ અને વિવાદોમાં ફસાયું છે. ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હવે મેચ ફિક્સિંગના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર ઘટનામાં સાત ખેલાડીઓ પર પ્રતિબંધ ઝિંકાયો છે. આ ઉપરાંત સરકારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BBC)ના અધ્યક્ષને પણ પદ પરથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. સીજેકેએસ (CJKS) ટેલેન્ટ કપ 2026 દરમિયાન શંકાસ્પદ રીતે આઉટ થવા બદલ તપાસ બાદ બાંગ્લાદેશના સાત ખેલાડીઓને મેચ ફિક્સિંગના દોષિત ઠેરવી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં સાકિબ હુસૈન, ઓબેદુલ આલમ, ઓમર ફારુક, તિન ધાર, માહિર અનવર, મોહમ્મદ ઈકબાલ અને નજમુલ ઈસ્લામનો સમાવેશ થાય છે. આ કૌભાંડમાં માત્ર ખેલાડીઓ જ નહીં,…

Read More