- Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
- Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
- Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
- Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
- Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
- Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
- Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
- Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
Author: Vikram Raval
હૂથી, હમાસ અને હીઝબુલ્લાહના પ્રતિનિધિઓની ખુલ્લેઆમ હાજરીના કારણે આખું વિશ્વ સ્તબ્ધ થયું Tehran, તા.૭ ઇરાનના સર્વોચ્ચ વડા ખામેનેઈના અંતિમ સંસ્કાર ફક્ત અંતિમવિધિ ન રહેતા ઇરાન માટે વિશ્વ સમક્ષ રાજકીય પ્રદર્શનનું માધ્યમ બન્યા હતા. આ પ્રદર્શનમાં હુથી, હમાસ અને હીઝબુલ્લાહના પ્રતિનિધિઓની હાજરીએ દર્શાવ્યું કે ઇઝરાયેલ સામે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ ભારે નુકસાન છતાં પણ યથાવત્ છે. તેનો હજી પણ પ્રભાવ છે. આ અંતિમયાત્રા સાથે ઇરાને તેનો રાજકીય પ્રભાવ બતાવ્યો હતો.નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઇરાને એક રીતે તેનું રાજકીય શક્તિ પ્રદર્શન જ કર્યુ છે. ઇરાન એ બતાવવા માંગતુ હતું કે તેનો સહયોગી સમૂહ ફક્ત લશ્કરી સંગઠન જ નથી, પરંતુ એક વ્યાપક રાજકીય અને વૈચારિક…
દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ન્યૂક્લિયર ફ્રી વિસ્તારમાં પરીક્ષણ કરીને ચીને ૪૦ વર્ષ જૂના કરારનો ભંગ કર્યો China, તા.૭ ચીને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ન્યૂક્લિયર સબમરીનમાંથી બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. તેની સામે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને જાપાને ઉગ્ર વિરોધ નોંધાવીને ચીનની આ હરકતને ઉશ્કેરણીજનક ગણાવી હતી. જોકે, ચીનની સરકારે તેને વાર્ષિક લશ્કરી કવાયતના ભાગરૂપે થયેલું પરીક્ષણ ગણાવ્યું હતું અને એમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. એક ડમી નિશાનને સફળતાથી તોડી પાડવામાં આવ્યું હતું એવું ચીનની નેવીએ સત્તાવાર નિવેદન આપ્યું હતું.ચીનના સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ન્યૂક્લિયર સબમરીનમાંથી બેલાસ્ટિક મિસાઈલ છોડીને પરીક્ષણ કરાયું હતું. નક્કી કરેલા લક્ષ્ય પર…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ભારતીય શેરબજારમાં શરૂઆત સકારાત્મક રહી હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા અનુકૂળ સંકેતો, બેન્કિંગ અને માહિતી પ્રૌદ્યોગિકી શેરોમાં શરૂઆતની ખરીદી તથા વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિમાં સુધારાને કારણે બજાર ઊંચા સ્તરે ખુલ્યું હતું. જોકે દિવસના બીજા ભાગમાં નફાવસૂલીનું દબાણ વધ્યું અને ખાસ કરીને મોટા શેરોમાં વેચવાલી જોવા મળતાં બજારની શરૂઆતની તેજી ધીમે ધીમે ઓછી થઈ ગઈ. અંતિમ કલાકોમાં વેચવાલી વધતાં બજાર નબળાઈ સાથે બંધ થયું. આ દર્શાવે છે કે રોકાણકારો ઊંચા સ્તરે સાવચેત બની રહ્યા છે અને આગામી કોર્પોરેટ પરિણામો પહેલાં જોખમ ઘટાડવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે. સેન્સેક્સમાં સવારે મજબૂત વધારો જોવા મળ્યો હતો, પરંતુ અંતિમ કલાકોમાં બેન્કિંગ, નાણાકીય અને…
વર્લ્ડ રેકોર્ડનો દાવોઃ આ શોમાં અંદાજે ૮,૫૦,૦૦૦ જેટલા ફટાકડા ફોડીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરાયો Washington, તા.૭ અમેરિકાના ૨૫૦ મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત પાટનગર વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવેલી ૪૦ મિનિટની રેકોર્ડબ્રેક આતશબાજી હવે ભારે પડી રહી છે. આ ભયાનક ફટાકડાના ધુમાડાના કારણે રવિવારે વોશિંગ્ટન ડીસીની હવા વૈશ્વિક સ્તરે દુનિયાના કોઈ પણ મુખ્ય શહેર કરતાં સૌથી વધુ પ્રદૂષિત અને ઝેરી નોંધાઈ હતી. શહેરમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સપાટીએ પહોંચતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ‘કોડ રેડ એર ક્વોલિટી એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.પ્રદૂષણનું મોનિટરિંગ કરતી વૈશ્વિક સંસ્થા ‘ૈંઊછૈિ’ ના રેન્કિંગમાં વોશિંગ્ટન ડીસી થોડા સમય માટે દુનિયામાં પ્રથમ નંબરે પહોંચી…
એઆઈ એજન્ટે ટાર્ગેટ સિસ્ટમને તપાસી, સિક્યોરિટી ખામી શોધી અને અંતે ડેટાબેઝને એન્ક્રિપ્ટ કરી દીધો : ભવિષ્યમાં રેન્સમવેર ગેંગ્સ એઆઈ એજન્ટ્સનો ઉપયોગ કરીને એકસાથે અનેક સંસ્થાઓ પર એટેક કરશે California તા.૭ સાયબર ક્રાઇમની દુનિયામાં એક એવો કેસ સામે આવ્યો છે, જેને ભવિષ્યના ખતરાની ઝલક માનવામાં આવી રહ્યો છે. સાયબર સિક્યોરિટી કંપની જીઅજઙ્ઘૈખ્તના રિસર્ચર્સે દાવો કર્યો છે કે તેમણે દુનિયાનો પહેલો એઆઈ-રન રેન્સમવેર એટેક ઓળખ્યો છે. હેકર્સ અત્યાર સુધી એઆઈનો ઉપયોગ કોડ લખવા કે ફિશિંગ ઇ-મેઇલ તૈયાર કરવા જેવા કામમાં કરતા હતા, પરંતુ આ કેસમાં એઆઈએ જાતે જ હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.રિપોર્ટ અનુસાર, ત્નટ્ઠઙ્ઘીેઁકકીિ નામના એઆઈ એજન્ટે ટાર્ગેટ સિસ્ટમની…
અભિનેતા અનંત વિજય જોશી મોટા પડદા પર યોગી આદિત્યનાથની ભૂમિકા ભજવતા જોવા મળશે Mumbai, તા.૬ ઉત્તર પ્રદેશના ફાયરબ્રાન્ડ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આજે જન્મદિવસ છે. ૫ જૂન ૧૯૭૨ના રોજ ઉત્તરાખંડના પૌરી ગઢવાલમાં જન્મેલા યોગી આદિત્યનાથ આજે ૫૩ વર્ષના થયા છે. આ ખાસ પ્રસંગે, તેમના જીવન પર બની રહેલી ફિલ્મ ‘અજયઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં યોગી આદિત્યનાથની ભૂમિકા ભજવનાર અભિનેતાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.યોગી આદિત્યનાથના જન્મદિવસે, નિર્માતાઓએ તેમને એક મોટી ભેટ આપી છે. ટીઝરમાં બધું છોડીને ત્યાગના માર્ગ પર ચાલવાની તેમની સફર બતાવવામાં આવી છે. ટીઝરમાં લાગણી અને બલિદાનનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે.…
Kodinar તા.૬ આગામી બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ, સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને ભય ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત, ગેરકાયદેસર ગૌવંશ કતલનો ખોટો વિડીયો વાયરલ કરનાર એક ઈસમને એલ.સી.બી. ગીર સોમનાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, કોડીનાર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કડવાસણ મુળદ્વારકા રોડ પાસેની પડતર જગ્યામાં, જ્યાં મૃત પશુઓના અવશેષો પડેલા હતા, ત્યાં બે ઈસમોએ ગૌવંશનું ગેરકાયદેસર કટીંગ થતું હોવાનો ખોટો વિડીયો બનાવ્યો હતો. બકરી ઈદના તહેવાર દરમિયાન સુલેહ શાંતિનો ભંગ કરવાના ઈરાદે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ…
Mangrol, હાલ વાર્ષિક ધોરણે અપાતી કામગીરી માટે સંબંધિત કોન્ટ્રાક્ટ તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ છેલ્લી ઘડીએ એકાએક એજન્સી ખસી ગઈ માંગરોળ નગરપાલિકામાં ભાજપે સત્તા સંભાળ્યા બાદ ચોમાસામાં વરસાદી પાણીના ભરાવાની સ્થિતિ નિવારવા તંત્રએ કમર કસી છે. તો બીજી તરફ પાણીને જમીનમાં ઉતારવા નવા બોર બનાવવા તથા સંબંધિત કામગીરી માટે વાર્ષિક ધોરણે અપાતા કોન્ટ્રાક્ટમાં તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ છેલ્લી ઘડીએ એકાએક એજન્સી ખસી જતાં અનેકવિધ ચર્ચા ઉઠી છે. ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા નાના બોર પૈકી અડધોઅડધ હાલ ચોકઅપ સ્થિતિમાં છે. ત્યારે ચોમાસામાં લોકોને પડતી મુશ્કેલીઓ આ વર્ષેય યથાવત રહેશે કે કેમ ? તેવો પ્રશ્ન ઉઠ્યો છે. …
Mangrol, ભીમરાવ યુવા ગ્રુપ દ્વારા રાત દિવસ જાતે મહેનત કરી 55 જેટલા યુવાનો દ્રારા પોતાના સૌ ખર્ચે એક વિશાળ પ્રવેશ દ્વાર બનાવવામાં આયોહતો જેનું આજ સમાજના યુનો એ નાની બાળા હસ્તે ગેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું માંગરોળ વર્ષો જૂના વણકર વાસના શાપુર દરવાજાના નામે ઓળખાતો આ ગેટ ને હવે આંબેડકર નગર ના નામે નવી ઓળખ આપવામાં આવી છે આમતો સરકારી સહાય થી મોટા ભાગના પ્રવેશદ્વાર ની કામગીરી કરવામાં આવતી હોય પરતું માંગરોળ ના આ યુવા ગ્રુપ પોતાના સૌ ખર્ચે નવું આંબેડકર નગર ના ગેટનું કાર્ય કરી બતાવ્યું છે
Jammu and Kashmir પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે 46,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. બહાદુર વીર જોરાવર સિંહની ભૂમિને વંદન કરતા, તેમણે ટિપ્પણી કરી કે આજનો કાર્યક્રમ ભારતની એકતા અને દૃઢ નિશ્ચયની ભવ્ય ઉજવણી છે. શ્રી મોદીએ કહ્યું કે માતા વૈષ્ણો દેવીના આશીર્વાદથી, કાશ્મીર ખીણ હવે ભારતના વિશાળ રેલ્વે નેટવર્ક સાથે જોડાયેલ છે. “આપણે હંમેશા મા ભારતીને ‘કાશ્મીરથી કન્યાકુમારી સુધી’ કહીને ઊંડા આદર સાથે બોલાવ્યા છે. આજે, આ આપણા રેલ્વે નેટવર્કમાં પણ વાસ્તવિકતા બની ગઈ છે”, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લાઇન પ્રોજેક્ટ ફક્ત એક નામ નથી…
