Author: Vikram Raval

કોર્પોરેશનના હંગામી કર્મચારી પર  દેણું વધી જતા પગલું ભર્યું Rajkot,તા.05 માલવિયા નગર પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ અંકુર નગર માં રહેતા યુવાને વધુ પડતી ધેન ની દવા ખાઈ લેતા પરિવારમાં દોડાદોડી મચી ગઈ હતી અને બેભાન હાલતમાં યુવાનને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યોછે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કૃષ્ણનગર મેઇન રોડ નજીક અંકુર નગર શેરી નંબર ચારમાં રહેતા આશુતોષભાઈ રમેશભાઈ જોટાણીયા ૩૫ એ ગઈકાલે રાત્રે નીંદરની વધુ પડતી દવા લઈ લેતા અર્ધ બેભાન અવસ્થામાં સરી પડતા મૂંઝાઈ ગયેલા પરિવારજનોએ તાત્કાલિક આશુતોષને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઇમરજન્સી વોર્ડમાં સમયસરની સારવારથી તેની તબિયત સુધરી ગઈ હતી, આશુતોષ જોટાણીયા ને હોસ્પિટલ…

Read More

કૂતરો પાછળ દોડે છે , બચકા ભરે છે તેવો ઠપકો આપવા ગયાને ઝઘડાનુ કારણ બન્યું Rajkot,તા.05 તમારો પાડેલો કૂતરો પાછળ દોડે છે અને બચકા ભરે છે, તેને વારો.. નો ઠપકો આપવા ગયેલ નવાગામ રંગીલા ઢાલ નજીક પાડોશી મહિલા ની વાત સાંભળવાના બદલે આખા પરિવારે ઝઘડો કરી હુમલો કરવાનો બનાવ નોંધાયો છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા નજીક નવાગામ રંગીલા ઢાલ નજીક રહેતા હંસાબેન પ્રહલાદભાઈ ચૌહાણ ૫૦ સાથે ઝઘડો કરી બપોરે ત્રણ વાગે બાજુમાં જ રહેતા વીરાભાઇ, મધુબેન, અને પૂજાબેને હંસાબેન ના ઘરે આવી ધોકા લાકડી થી હુમલો કરી માથું ફાડી નાખ્યું હતું અને શરીરે ઇ જા કરી હતી લોહી…

Read More

ઘરમાં  ફાંસો ખાઘેલી હાલતમાં યુવાનને લટકતો જોઈ પરિવારે તાત્કાલિક નીચે ઉતારી ૧૦૮ ને બોલાવી Rajkot,તા.05 માનસિક બીમારીના સંતાપથી શહેરના રોહીદાસ પરા મેઇન રોડ પર આવેલ વાઇફાઇ ટાવર નજીક રહેતા યુવાન મરવા મજબૂર થયા નો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શહેરના રોહીદાસ પરા મેઇન રોડ પર આવેલ વાઇફાઇ ટાવર નજીક રહેતા શ્રમજીવી યુવાન દિનેશ મનજી પરમાર ૩૫ નું પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું, પરિવાર એ દિનેશને છત પર લટકતો જોતા તાત્કાલિક નીચે ઉતારી 108 ને બોલાવતા ડોક્ટરોએ દિનેશને મૃત જાહેર કર્યો હતો,થોરાળા પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં રવાના…

Read More

ભક્તિનગર પોલીસે દારોડો પાડી શખ્સની ધરપકડ કરી 10250નો મુદ્દામાલ કબજે કર્યો Rajkot,તા.05 શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલા હસનવાડી નજીક ત્રિશુલ ચોકની પાસે નારાયણ નગર શેરી નંબર 2 માં મકાનમાં ધમધમતા જુગારધામ પર ભક્તિનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 6 ની ધરપકડ કરી 10250નો મુદ્દામાલ કબજે કરી ધોરણ છ ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં ભીમ અગિયારસ પૂર્વે ધમધમતા જુગારના આટલા પર પોલીસે તૂટી પડવા પોલીસ કમિશનર રાજેશકુમાર જાય આપેલા આદેશને પગલે પગલે એમએમ સરવૈયા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે ગોહિલ સહિતના કાપે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે હસન વાળી ત્રિશુલ ચોક નજીક નારાયણ નગર શેરી નંબર 2 માં…

Read More

સમય મર્યાદામાં રકમ ન ચૂકવે તો ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટે હુકમ Rajkot,તા.05 ફેમિલી હેલ્થ ઇન્સ્યોરન્સના કિસ્સામાં મહિલા વીમાધારકને માઈગ્રેનની બીમારી થયેલો સારવાર ખર્ચ 6 ટકા વ્યાજ સહિત ચૂકવી દેવા અને સમય મર્યાદામાં ન ચૂકવે તો ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમા રહેતા મનીષાબેન ઉમેશભાઈ હાપલીયાએ ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ કો.લી. પાસેથી રૂા.૫ લાખની ફેમિલી હેલ્થ વીમા પોલિસી લીધેલ હતી.ત્યારબાદ ફરીયાદીને માઈગ્રેન બિમારી થતાં શુભમ હોસ્પિટલ રાજકોટમાં દાખલ કરવામાં આવેલ અને તેમાં થયેલ તબીબી સારવાર ખર્ચની રકમની ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ કું.લી. પાસે માંગણી કરેલ, પરંતુ વીમાકંપની દ્વારા રેપ્યુડ લેટરથી…

Read More

New Delhi,તા.૫ દિલ્હીમાં કોરોનાને કારણે પાંચ મહિનાના નવજાત શિશુ અને ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત થયું છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે બે મૃત્યુ થયા છે અને કોરોનાના ૧૦૫ નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સક્રિય દર્દીઓની સંખ્યા ૫૬૨ થઈ ગઈ છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે સાત લોકો મૃત્યુ પામ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૮૭ વર્ષીય વૃદ્ધને કિડની, હૃદય સહિત અન્ય ઘણી ગંભીર બીમારીઓ હતી. દેશમાં કોરોના ચેપના કેસોમાં ઉછાળા પછી, કેન્દ્ર સરકારે રાજ્યો માટે ચેતવણી જારી કરી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ઓક્સિજન, વેન્ટિલેટર, આઇસોલેશન બેડ અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા આદેશ જારી…

Read More

ચાંદીના વાયદામાં રૂ.3,705ની ઝંઝાવાતી તેજી સાથે ભાવ ઓલ ટાઇમ હાઇઃ સોનાના વાયદામાં રૂ.562નો ચમકારો ક્રૂડ તેલના વાયદામાં રૂ.23નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.20726.25 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.45712.94 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18536.48 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22875 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.66442.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.20726.25 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.45712.94 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22875 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.762.16 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૬.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૯૯૮ સામે ૮૧૧૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૯૮૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૪૪૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૨૯ સામે ૨૪૭૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૧૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૨ પોઈન્ટના ઉછાળા…

Read More

ભાજપ તેની આદતથી મજબૂર છે, અને તે પરિસ્થિતિ જોયા વિના દરેક જગ્યાએ રાજકારણ કરવાનું ચાલુ રાખે છે. Bengaluru,તા.૫ બેંગલુરુ ભાગદોડ પર કર્ણાટક સરકારના મંત્રી પ્રિયાંક ખડગેનું નિવેદન આવ્યું છે. આમાં, તેમણે સ્વીકાર્યું કે તે વહીવટીતંત્રની ભૂલ હતી, જો વહીવટીતંત્રે થોડું વધુ ધ્યાન આપ્યું હોત, તો આટલો મોટો અકસ્માત ટાળી શકાયો હોત. આ સાથે, તેમણે ભાજપ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે ભાજપ આ બાબતનું રાજકારણ કરી રહી છે. બેંગ્લોરમાં આરસીબીની જીતની ઉજવણી કરવા ગયેલા લોકોના ઘરોમાં શોક છવાઈ ગયો હતો. બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજેતા ખેલાડીઓનું સ્વાગત કરવા લાખો લોકો એકઠા થયા હતા. અચાનક ભીડ બેકાબૂ થઈ ગઈ અને સ્ટેડિયમની…

Read More

Ayodhyaતા.૫ ગુરુવારે રામ મંદિર પરિસરમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે રામનગરીના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ગંગા દશેરાના શુભ પ્રસંગે અભિજીત મુહૂર્તમાં સવારે ૧૧ઃ૨૫ થી ૧૧ઃ૪૦ વાગ્યા સુધી રામ દરબાર સહિત આઠ દેવ વિગ્રહોની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી.  ગંગા દશેરાના દિવસે તેનો સિદ્ધયોગ પણ રચાઈ રહ્યો હતો. રામેશ્વરમની પ્રાણ પ્રતિષ્ઠા પણ તે જ દિવસે કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ દરબાર અને પરકોટાના મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. રામ દરબારમાં રાજા રામ, સીતા, ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ છે. બધી મૂર્તિઓ મકરાણાના સફેદ આરસપહાણમાં…

Read More