- Ahmedabad: લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
- Ahmedabad: દુર્ઘટના પર PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
- Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
- Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
- Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
- Upleta: બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
- Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
- Veravalના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
Author: Vikram Raval
Bengaluru,તા.05 આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની જીતની ઉજવણી દરમિયાન બેંગ્લુરુમાં થયેલી ભાગદોડમાં 11 લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં. આરસીબી, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને કર્ણાટક સરકારે આ સમગ્ર મામલાથી હાથ ખંખેરી લીધા હતા. પરંતુ હવે કર્ણાટક હાઈકોર્ટે આ મામલે કાર્યવાહી કરી છે અને આ ઘટનાની સુઓમોટો નોંધ લીધી છે અને આજે કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરાશે. અહેવાલો અનુસાર, કર્ણાટક હાઈકોર્ટ ગુરુવારે (પાંચમી જૂન) આરસીબીની વિક્ટ્રી પરેડ દરમિયાન થયેલી નાસભાગ સંબંધિત કેસની સુનાવણી કરશે. આ મામલો કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વી. કામેશ્વર રાવ અને ન્યાયાધીશ સીએમ જોશીની બેન્ચ સમક્ષ ઊઠાવવામાં આવ્યો છે.કર્ણાટક સરકારે કોર્ટને આ ઘટના કેવી રીતે બની અને અત્યાર…
Dahod,તા.05 દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડને પગલે સરકારને ગળે હાડકું ભરાયું છે. અત્યાર સુધી મંત્રીપુત્રો સામે આરોપ ઘડાયાં છે ત્યારે હવે ખુદ મંત્રી બચુ ખાબડ સામે પણ આંગળી ચિંધાઇ રહી છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે, મંત્રી ખાબડની જમીનો પર વિકાસના કામો કરાયા નથી તેમ છતાંય રૂ.3 કરોડ ચૂકવાયાં છે. મહત્વની વાત છે કે, કૂવા, ચેકડેમ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ ઉપરાંત વનીકરણના કામો માટે વર્ક ઓર્ડર પર અપાયાં છે. એટલું જ નહીં, ક્યા સર્વેની નંબરની જમીન પર કયા કામો થયાં છે તે મનરેગાના પોર્ટલ પર વિગતો ઉપલબ્ધ છે. સ્થાનિકોનું કહેવુ છે કે,આ સર્વે નંબરની જમીનો મંત્રી અને તેમના પરિવારની છે. જે…
ભારતના પ્રીમિયમ એસયુવી ક્ષેત્રમાંતેની પ્રબળ હાજરીને મજબૂત બનાવતા, ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ)એ આજે ફોર્ચ્યુનર અને લિજેન્ડરની 3 લાખ ગાડીઓના સંચિત વેચાણ નોંધપાત્ર ઉપલબ્ધીની જાહેરાત કરી. આ સિદ્ધિ ફક્ત આ પ્રીમિયમ એસયુવીની અજોડ લોકપ્રિયતા જ નહીં પરંતુ વિશ્વસનીય અને શક્તિને ચોકસાઇ સાથે સંપૂર્ણ રીતે મિશ્રિત કરતાઉચ્ચ-પ્રદર્શન પ્રદાન કરવાની ટોયોટાની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂકે છે જે કરે છે. 2009માં તેની શરૂઆત થઈ ત્યારથી, ટોયોટા ફોર્ચ્યુનર લાંબા સમયથી એસયુવી ક્ષેત્રમાંઅદમ્ય મજબૂતીને શ્રેષ્ઠતા પ્રદર્શન સાથે એકીકૃત રીતે જોડતું માપદંડ સ્થાપિત કર્યુંછે. પ્રભાવશાળી 204 પીએસ પાવર અને 500 એનએમ ટોર્ક જનરેટ કરતા 2.8 લીટર ડીઝલ એન્જિનથી સજ્જ, ફોર્ચ્યુનર તેની અદભુત ઓફ-રોડ ક્ષમતા માટે પ્રખ્યાત…
આજકાલ દરેક વ્યક્તિ વધતા વજનથી પરેશાન છે. સ્થૂળતા શરીરમાં અનેક રોગોનું કારણ બને છે. વજન વધવાને કારણે તમે તમારી ઉંમર કરતા ઘણા મોટા દેખાવા લાગે છે. ચાલવામાં અને રોજિંદા કામ કરવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હૃદય અને બ્લડ પ્રેશરના રોગોનું જોખમ પણ વધે છે. ડોક્ટરો ફિટ રહેવા માટે વજન નિયંત્રિત કરવાની ભલામણ કરે છે. આવી સ્થિતિમાં, લોકો ચાલવા, કસરત કરીને અને જીમમાં જઈને સ્થૂળતા ઘટાડવામાં રોકાયેલા હોય છે. તે જ સમયે, કેટલાક લોકો આહારનો આશરો લે છે. વજન ઘટાડવા માટે ડિટોક્સ પીણાં અસરકારક રીતે કામ કરે છે. આ શરીરમાં સંચિત ઝેરી તત્વોને દૂર કરે છે અને ચયાપચયને ઝડપી…
China,તા.5 ચીને ક્રિપ્ટો કરન્સીએ પુરી રીતે પ્રતિબંધ લાદી દીધો છે. ચીનમાં હવે ક્રિપ્ટો કરન્સી રાખવી, ક્રિપ્ટોથી લેવડ-દેવડ કરવી ગેરકાનુની જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બધા ક્રિપ્ટો વોલેટ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ રીતે માત્ર કેટલાંક દિવસ પહેલા સુધીમાં દુનિયાનાં સૌથી વાઈબ્રન્ટ ક્રિપ્ટો માર્કેટ અચાનક ખતમ થઈ ગયુ છે. અને ક્રિપ્ટો પર બાન માટે ક્રાઈમ કન્ટ્રોલ અને આર્થિક સ્થિરતાનું કારણ બતાવ્યુ છે. જયારે ચીન દુનિયામાં બિટ કોઈનનુ બીજુ સૌથી મોટુ હોલ્ડર છે. ક્રિપ્ટો બજારનાં જાણકારોનું કહેવુ છે કે, ડ્રેગન કયારેય સીધી ચાલ નથી ચાલતો તેના દરેક પગલા પાછળ કોઈ મતલબ હોય છે. પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાનાં હાલનાં આદેશ…
Rajkot તા.5 રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા.6ને શુક્રવારે સાંજના 5 કલાકે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમ્યાન તેઓ શહેરના રૈયા રોડ પર આવેલ પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે રૂા.557 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર છે. આ કાર્યક્રમ બાદ તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો સાથે ‘ચાય પે ચર્ચા’ કરનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ મ્યુનિ. કોર્પો. રૂડા, જેટકો, પાણીપુરવઠા, આરોગ્ય, સ્પોર્ટસ સંકુલ સહિતના વિકાસ પ્રોજેકટોની લોકોને ભેટ આપનાર છે. આ કાર્યક્રમ સ્થળે લાભાર્થી અને લોકોને લાવવા લઈ જવા માટે એસટીની 14 જેટલી બસ સર્વીસો પણ દોડાવવામાં આવનાર છે. મુખ્યમંત્રીના આ કાર્યક્રમ સંદર્ભે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો…
Bangalore,તા.05 આઈપીએલમાં રોયલ ચેલેન્જરનો વિજયનો જશ્ન મનાવવા ગઈકાલે બેંગલુરુમાં ટીમના અગાઉ નિશ્ર્ચિત કરાયેલા જબરા રોડ-શો અને બાદમાં ચીન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલી સહિતના સેલીબ્રીટી ટીમ ક્રિકેટરની હાજરીમાં યોજાનારા અભિવાદન સમારોહ એક કરૂણ દુર્ઘટનામાં જે રીતે પલટાઈ ગયો તેનાથી કરોડો ક્રિકેટ ચાહકો સ્તબ્ધ છે પણ આ સમગ્ર ઘટનામાં આ કાર્યક્રમના આયોજકોથી લઈને બેગલુરૂ પોલીસ અને રાજય સરકારની નિષ્ફળતા જ કારણ હોવાનું બહાર આવ્યુ છે. અગાઉ વિધાનસભાથી સ્ટેડીયમ સુધીનો રોડ-શો યોજવાની જાહેરાત થઈ હતી. ટીમ વિ.ની મથકેથી સીધા ચીન્નાસ્વામી સ્ટેડીયમ જવાની હતી પણ બાદમાં એવું નકકી થયુ કે ટીમ પહેલા વિધાનસભા ભવન પહોંચીને મુખ્યમંત્રી સિદ્ધરમૈયાને મળશે. બાદમાં પુરા બેંગ્લોર શહેરમાં ફેરવાઈ હતી અને…
London,તા.05 ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝની વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ વરસાદને કારણે 40-40 ઓવર્સની રમાઈ હતી. જેમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 246 રનનો ટાર્ગેટ ચેઝ કરીને યજમાન ટીમે DLS મેથડથી સાત વિકેટથી જીત નોંધાવી હતી. સિરીઝની પહેલી મેચ 238 રન અને બીજી મેચ ત્રણ વિકેટે જીતનાર ઇંગ્લેન્ડે ત્રણ વર્ષ બાદ વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરી હતી. જૂન 2022માં આ ટીમે છેલ્લી નેધરલેન્ડ સામે આ ફોર્મેટમાં ક્લીન સ્વીપ કરી હતી. આ ટીમે સપ્ટેમ્બર 2023માં છેલ્લી વન-ડે સિરીઝ આયરલેન્ડ સામે જીતી હતી. ત્યાર બાદ રમાયેલી ચાર વન-ડે સિરીઝમાં ઇંગ્લેન્ડ હાર્યું હતું. ઇંગ્લેન્ડ માટે 7000 વન-ડે રન કરનાર પહેલો પ્લેયર જો રૂટે આ સિરીઝમાં…
Srinagar,તા.05 વિશ્વના સૌથી ઉંચા રેલ્વે બ્રિજ આર્ચ બ્રિજ ચિનાબ રેલપુલનું આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ ચિનાબ બ્રિજ નદીથી 459 મીટરની ઉંચાઈ પર છે. જે 1315 મીટર લાંબો સ્ટીલ આર્ચ બ્રિજ છે.ભૂકંપ કે તોફાની પવનની પણ તેને કોઈ અસર નહીં થાય. વડાપ્રધાન કટરાથી શ્રીનગર વચ્ચે વંદેભારત ટ્રેનમાં લીલીઝંડી પણ આપશે ટ્રેનથી આ અંતર માત્ર ત્રણ કલાકમાં કપાશે.
New Delhi તા.5 ભારતમાં ચોમાસું આગળ વધતુ અટકી ગયુ છે અને થોડા દિવસો હજુ સ્થગીત જ રહે તેમ છ તેવા સમયે કાશ્મીર તથા ઉતરાખંડ જેવા ભાગોમાં હવામાન પલ્ટા સાથે ભારે વરસાદ તથા હિમવર્ષા થઈ હતી. કાશ્મીરનાં ફુલગામમાં વાદળ ફાટતા મુશળધાર વરસાદ થયો હતો અને પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમાં તણાઈ જતા એક મહિલાનું મોત નીપજયુ હતું. આસપાસના ભાગોમાં પણ હળવા વરસાદથી ગરમીમાંથી રાહત મળી હતી. બીજી તરફ ઉતરાખંડમાં પણ અનેક ભાગોમાં વરસાદ તથા હિમવર્ષાનો દોર જારી રહ્યો હતો. સતત બીજા દિવસે હેમકુંડ સાહીબ, બદરીનાથ, કેદારનાથ, આદિ કૈલાશ, પંચામુલી, હંસાલીંગ, રાજરંભા સહીતના પર્વતીય ભાગોમાં હિમવર્ષા થઈ હતી. દહેરાદુન તથા આસપાસના ભાગોમાં…
