Author: Vikram Raval

Kutch.તા.05 કચ્છથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં અંજાર-સતાપર રોડ પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વાહનો લપેટાઈ ગયા હતા. માહિતી અનુસાર એક પૂરપાટ ગતિએ દોડતી કારે અન્ય વાહનોને અડફેટે લીધા હતા જેના લીધે બે લોકો મૃત્યુ પામી ગયા હતા. આ અકસ્માતમાં અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. હાલમાં ઘાયલોને તાત્કાલિક સારવાર હેતુસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. માહિતી અનુસાર અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. કારચાલકે બેથી 3 બાઇકને અડફેટે લીધી હતી. જેના લીધે ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થઈ ગયા હતા. જ્યારે બે વ્યક્તિના મોતની પુષ્ટી થઈ હતી. સ્થાનિકોએ કારચાલકને પકડવાનો…

Read More

Dwarka,તા.05 દ્વારકાની ગોમતી નદીમાં અવાર-નવાર યાત્રિકો ડૂબતા હોવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે જામનગરના સાત યાત્રીઓ ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. સાત યાત્રીઓમાં ચાર યુવક અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે. યાત્રીઓને ડૂબતાં જોઇ સ્થાનિક લોકો અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. હાલ યાત્રાળુઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો બીજી આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળતો હોય છે. ત્યારે દરિયાનો પ્રવાહ…

Read More

Ahmedabad,તા.05  ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષ પહેલા મે મહિનામાં શિક્ષકો નિવૃત થયા છે, ત્યારે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને શહેરની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવાની માગ કરી છે. હાલ શાળામાં વેકેશન ચાલી રહ્યું છે. આમ શાળા શરૂ થાય તે પહેલા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવે તેવી શાળા સંચાલકોએ માગ કરી હતી. જેમાં અમદાવાદમાં 800થી વધુ શિક્ષકો-આચાર્યની ઘટ હોવાનું સામે આવ્યું છે. જ્યારે અમદાવાદ શહેરની ગ્રાન્ટેડ શાળાઓમાં 80 આચાર્ય અને 800 શિક્ષકોની ઘટ છે. આમ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલા જિલ્લા કક્ષાએ કેમ્પ રાખીને જ્ઞાન સહાયકોને તાત્કાલિક ધોરણે શાળા ફાળવવામાં આવે તેવી માગ કરી હતી. નવા શૈક્ષણિક વર્ષમાં શાળામાં…

Read More

 Rajkot,તા.05 રાજકોટમાં વર્ષોથી રેસકોર્સમાં યોજાતા લોકમેળામાં ટ્રાફિક જામ, પ્રદુષણની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય સહિત ભાજપના નેતાઓએ કલેક્ટર સાથે સંકલન બેઠકમાં વારંવાર લાંબા સમયથી આ સ્થળ બદલવા રજૂઆત કરી હતી. પરંતુ ઉપલા લેવલે રજૂઆત હજુ સુધી સ્વીકારાઈ નથી. હવે જિલ્લા કલેક્ટર કચેરીની લોકમેળા સમિતિએ રેસકોર્સ મેદાનમાં 14મીથી 18મી ઓગષ્ટ 2025 સુધી પાંચ દિવસ માટે લોકમેળો યોજવાની જાહેર કરી છે. ત્યારે આ વખતે રાઈડ્સ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)માં કોઈ ફેરફાર કરાયો નથી. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં કોઈ મોડી દુર્ઘટના ના ઘટે તે માટે તંત્ર દ્વારા કડક એસઓપી…

Read More

Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે 5 જૂન અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘હર ઘર એક વૃક્ષ વાવીએ અને પર્યાવરણનું જતન કરીએ’ ઉપરાંત ‘એક પેડ માઁ કે નામ, આ સૂત્રને સાર્થક કરવા માટે હાપા વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જામનગર મહાનગર પાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, સાથે સાથે રોપા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ નગરજનોને રોપાનું વિતરણ પણ કરાયું હતું, તદુપરાંત પર્યાવરણની જાગૃતિને અનુલક્ષીને પ્લાસ્ટિક મુક્તિ અભિયાનને વેગ આપવા માટે જામનગર મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય તેમજ ગો ગ્રીનના સંદેશા સાથેની વિશેષ પ્રકારની બેગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ શહેરના ધારાસભ્ય દિવ્યેશ…

Read More

New Delhi,તા.05 છેલ્લાં ઘણાં સમયથી ઓપરેશન સિંદૂર ખૂબ ચર્ચામાં છે. પાકિસ્તાન સામે ભારતે આ નામ હેઠળ કાર્યવાહી કરી, જેમાં દુશ્મન દેશને કારમી હારનો સામનો કરવો પડ્યો. આ ઐતિહાસિક સફળતા બાદ સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા અને અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી. આ જાહેરાતો પૈકી એક છે ગુજરાતમાં ‘સિંદૂર વન’ બનાવવાની પહેલ. સિંદૂર એક વનસ્પતિનો ભાગ છે  પરંતુ, સિંદૂર વન કેવી રીતે બનશે? ઘણાં લોકોને કદાચ એ પણ ખબર નહીં હોય કે સિંદૂર પણ એક વનસ્પતિનો જ ભાગ છે! બજારમાં આપણે જે સિંદૂર જોઈએ છીએ તે મોટાભાગે કેમિકલ પ્રક્રિયા દ્વારા બનાવેલા ગુલાલ જેવું હોય છે. ખરું સિંદૂર એક ખાસ પ્રકારના…

Read More

Ahmedabad,તા.05   અમદાવાદ ગ્રામ્ય પોલીસે સરકારી અધિકારીઓ તરીકે ઢોંગ કરતા ચાર વ્યક્તિઓની ધરપકડ કરીને એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. આ વ્યક્તિઓ રાષ્ટ્રીય પ્રતીક, અશોક સ્તંભવાળા ઓળખપત્રો ધરાવતા હતા અને કેન્દ્ર સરકારના એક નિકાય સાથે સંકળાયેલા હોવાનો ખોટો દાવો કરતા હતા. આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) કાર્યાલયમાં એક કથિત તપાસ સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ તરીકે રજૂ થઈને પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરતી વખતે પકડવામાં આવ્યા હતા. બાદમાં તેમને વધુ તપાસ માટે સરખેજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. મકરબા ખાતે SOG માં ફરજ બજાવતા ASI મનુભાઈ વાજુભાઈ જાદવ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, આ ઘટના 3 જૂન 2025 ના રોજ આશરે બપોરે 2:45…

Read More

Surat ,તા.05  સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાયમી શાસનાધિકારી મુકતા નથી અને હાલમાં ઈનચાર્જ શાસનાધિકારી તરીકે કામગીરી કરતા અધિકારીને હવે વધારાની જવાબદારી સોંપવામા આવી છે. આ ઉપરાંત લાંબા સયમથી મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરની જવાબદારી પણ સોંપવામાં આવી છે. હાલમાં સમિતિના કાર્યભાર હેઠળ દબાયેલા ઈનચાર્જ શાસનાધિકારીને આ કામગીરી સોંપાતા સમિતિની કામગીરી પર માઠી અસર પડે તેવી શક્યતા નકારી શકાતી નથી. સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યાર્થીઓની સંખ્યા 1.90 લાખ થઈ ગઈ છે અને 1200 કરોડનું બજેટ થઈ ગયું છે. તેમ છતાં શિક્ષણ સમિતિના કાયમી શાસનાધિકારી અને કાયમી ઉપશાસનાધિકારીનો દુષ્કાળ છે. ભાજપ શાસકોમાં ચાલતા આંતરિક રાજકારણના કારણે લાંબા સમયથી…

Read More

Ahmedabad,તા.05  અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી લાપતા બાળકો પૈકી અનેક સગીર બાળકોને શોધવામાં પોલીસ નિષ્ક્રિય રહેતા વાલીઓમાં રોષની લાગણી જોવા મળી છે. જેથી હવે વાલીઓએ સંગઠિત થઈને ગૃહવિભાગ અને પોલીસની નબળી કામગીરી સામે લડત આપવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત અમદાવાદ ખાતે 40થી વધુ લાપતા બાળકોના વાલીઓની મીટીંગ મળી હતી અને આગામી સમયમાં રાજ્યના દરેક શહેરમાં મીટીંગ કરીને ડેટા તૈયાર કર્યા બાદ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું નક્કી કરાયું છે. જે અનુસંધાનમાં ગુમ થયેલા બાળકો માટે કામગીરી કરતા સર્ચ માય ચાઇલ્ડ નામની સંસ્થા સાથે સંકળાયેલા 40થી વધુ વાલીઓએ અમદાવાદ ખાતે મીટીંગ યોજી હતી. જેમાં પોલીસની કામગીરીમાં સંકલનનો અભાવ અને ઉચ્ચ…

Read More

Junagadh,તા.05 જૂનાગઢની ભવનાથ તળેટીમાં 12.66 હેક્ટર વિસ્તારમાં આવેલા લાલઢોરી ઉદ્યાનમાં અનેક પ્રકારના ફળ, વિલુપ્તીના આરે આવીને હવે જવલ્લે જ જોવા મળતાં વૃક્ષો અને ઔષધીય તેમજ સુગંધિત દ્રવ્યો ધરાવતી અવનવી વનસ્પતિનો ખજાનો આવેલો છે. અહીં સાગ, ચંદન અને ઇમારતી વૃક્ષો સહિત એક હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે. સમગ્ર વિસ્તારમાં અલગ અલગ વિભાગોમાં વૃક્ષો, ફળ, વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. 12.6 હેક્ટરમાં આંબાવાડીઓ આવેલી છે. તેમાં લંગડો, કેસર, દૂધ, પૈડો, લાડવી, જમાદાર, નીલમ પાયરી, બાદશાહ પસંદ, અસાઢીયો, ખોડી, સિંદુરીયો ઉપરાંત દેશી કેરીની વિવિધ જાતોનો પણ સમાવેશ થાય છે અને જર્મ પ્લાઝમ કલેક્શન આંબાની પણ વૈજ્ઞાનિક ઢબે જાળવણી કરવામાં આવી છે.…

Read More