Author: Vikram Raval

એઆઈ એજન્ટે ટાર્ગેટ સિસ્ટમને તપાસી, સિક્યોરિટી ખામી શોધી અને અંતે ડેટાબેઝને એન્ક્રિપ્ટ કરી દીધો : ભવિષ્યમાં રેન્સમવેર ગેંગ્સ એઆઈ એજન્ટ્‌સનો ઉપયોગ કરીને એકસાથે અનેક સંસ્થાઓ પર એટેક કરશે California તા.૭ સાયબર ક્રાઇમની દુનિયામાં એક એવો કેસ સામે આવ્યો છે, જેને ભવિષ્યના ખતરાની ઝલક માનવામાં આવી રહ્યો છે. સાયબર સિક્યોરિટી કંપની જીઅજઙ્ઘૈખ્તના રિસર્ચર્સે દાવો કર્યો છે કે તેમણે દુનિયાનો પહેલો એઆઈ-રન રેન્સમવેર એટેક ઓળખ્યો છે. હેકર્સ અત્યાર સુધી એઆઈનો ઉપયોગ કોડ લખવા કે ફિશિંગ ઇ-મેઇલ તૈયાર કરવા જેવા કામમાં કરતા હતા, પરંતુ આ કેસમાં એઆઈએ જાતે જ હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.રિપોર્ટ અનુસાર, ત્નટ્ઠઙ્ઘીેઁકકીિ નામના એઆઈ એજન્ટે ટાર્ગેટ સિસ્ટમની…

Read More

અભિનેતા અનંત વિજય જોશી મોટા પડદા પર યોગી આદિત્યનાથની ભૂમિકા ભજવતા જોવા મળશે Mumbai, તા.૬ ઉત્તર પ્રદેશના ફાયરબ્રાન્ડ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આજે જન્મદિવસ છે. ૫ જૂન ૧૯૭૨ના રોજ ઉત્તરાખંડના પૌરી ગઢવાલમાં જન્મેલા યોગી આદિત્યનાથ આજે ૫૩ વર્ષના થયા છે. આ ખાસ પ્રસંગે, તેમના જીવન પર બની રહેલી ફિલ્મ ‘અજયઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં યોગી આદિત્યનાથની ભૂમિકા ભજવનાર અભિનેતાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.યોગી આદિત્યનાથના જન્મદિવસે, નિર્માતાઓએ તેમને એક મોટી ભેટ આપી છે. ટીઝરમાં બધું છોડીને ત્યાગના માર્ગ પર ચાલવાની તેમની સફર બતાવવામાં આવી છે. ટીઝરમાં લાગણી અને બલિદાનનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે.…

Read More

Kodinar તા.૬ આગામી બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ, સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને ભય ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત, ગેરકાયદેસર ગૌવંશ કતલનો ખોટો વિડીયો વાયરલ કરનાર એક ઈસમને એલ.સી.બી. ગીર સોમનાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, કોડીનાર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કડવાસણ મુળદ્વારકા રોડ પાસેની પડતર જગ્યામાં, જ્યાં મૃત પશુઓના અવશેષો પડેલા હતા, ત્યાં બે ઈસમોએ ગૌવંશનું ગેરકાયદેસર કટીંગ થતું હોવાનો ખોટો વિડીયો બનાવ્યો હતો. બકરી ઈદના તહેવાર દરમિયાન સુલેહ શાંતિનો ભંગ કરવાના ઈરાદે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ…

Read More

Mangrol, હાલ વાર્ષિક ધોરણે અપાતી કામગીરી માટે   સંબંધિત કોન્ટ્રાક્ટ તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ છેલ્લી ઘડીએ એકાએક એજન્સી ખસી ગઈ માંગરોળ નગરપાલિકામાં ભાજપે સત્તા સંભાળ્યા બાદ ચોમાસામાં વરસાદી પાણીના ભરાવાની સ્થિતિ નિવારવા તંત્રએ કમર કસી છે.‌ તો બીજી તરફ પાણીને જમીનમાં ઉતારવા નવા બોર બનાવવા તથા સંબંધિત કામગીરી માટે વાર્ષિક ધોરણે અપાતા કોન્ટ્રાક્ટમાં તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ છેલ્લી ઘડીએ એકાએક એજન્સી ખસી જતાં અનેકવિધ ચર્ચા ઉઠી છે. ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા નાના બોર પૈકી અડધોઅડધ હાલ ચોકઅપ સ્થિતિમાં છે.‌ ત્યારે ચોમાસામાં લોકોને પડતી મુશ્કેલીઓ આ વર્ષેય યથાવત રહેશે કે કેમ ? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.    …

Read More

Mangrol, ભીમરાવ યુવા ગ્રુપ દ્વારા રાત દિવસ જાતે મહેનત કરી 55 જેટલા યુવાનો દ્રારા પોતાના સૌ ખર્ચે એક વિશાળ પ્રવેશ દ્વાર બનાવવામાં આયોહતો જેનું આજ સમાજના યુનો એ નાની બાળા હસ્તે ગેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું માંગરોળ વર્ષો જૂના વણકર વાસના શાપુર દરવાજાના નામે ઓળખાતો આ ગેટ ને હવે આંબેડકર નગર ના નામે નવી ઓળખ આપવામાં આવી છે આમતો સરકારી સહાય થી મોટા ભાગના પ્રવેશદ્વાર ની કામગીરી કરવામાં આવતી હોય પરતું માંગરોળ ના આ યુવા ગ્રુપ પોતાના સૌ ખર્ચે નવું આંબેડકર નગર ના ગેટનું કાર્ય કરી બતાવ્યું છે

Read More

Jammu and Kashmir પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે ​​જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે 46,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. બહાદુર વીર જોરાવર સિંહની ભૂમિને વંદન કરતા, તેમણે ટિપ્પણી કરી કે આજનો કાર્યક્રમ ભારતની એકતા અને દૃઢ નિશ્ચયની ભવ્ય ઉજવણી છે. શ્રી મોદીએ કહ્યું કે માતા વૈષ્ણો દેવીના આશીર્વાદથી, કાશ્મીર ખીણ હવે ભારતના વિશાળ રેલ્વે નેટવર્ક સાથે જોડાયેલ છે. “આપણે હંમેશા મા ભારતીને ‘કાશ્મીરથી કન્યાકુમારી સુધી’ કહીને ઊંડા આદર સાથે બોલાવ્યા છે. આજે, આ આપણા રેલ્વે નેટવર્કમાં પણ વાસ્તવિકતા બની ગઈ છે”, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લાઇન પ્રોજેક્ટ ફક્ત એક નામ નથી…

Read More

Junagadh તા. ૬           જૂનાગઢની હોસ્પિટલમાં આશરે ૭૫ વર્ષીય વૃધ્ધ પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ થતા, આ અંગેની પોલીસમાં  નોંધ થવા પામી છે, અને પોલીસે આ પુરુષ કોણ છે ? તેની તપાસ આદરી છે.           જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં કોઈપણ બીમારી સબબ દાખલ થયેલ આશરે ૭૫ વર્ષીય અજાણ્યા પુરુષ ગત તા. ૩ જૂનના રોજ સારવાર દરમ્યાન મરણ ગયા હોવાની જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના ફરજ પરના તબીબ ડો. કિરણ પટેલ એ નોંધ કરાવેલ છે.  અજાણ્યા પુરુષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતા પોલીસે મરણ જનાર વૃધ્ધ પુરુષ કોણ છે ? ક્યાંના છે ? તે…

Read More

Junagadh તા. ૬           ચોરવાડના ઘાચીવાવ ખાતે રહેતા ૨૮ વર્ષીય યુવકને છેલ્લા ઘણા દિવસોથી મજૂરી કામ ન મળતા અને આર્થિક રીતે કંટાળી જતાં પોતાની મેળે કુવામાં પડી આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે.           ચોરવાડના ઘાચીવાવ ખાતે રહેતા ભરતભાઈ ઉર્ફે ગટો પુનાભાઈ ચુડાસમા (ઉ.વ.૨૮) નારીયેળ વેચવાનુ કામ કરતો હતો, અને છેલ્લા વીસ પચીસ દીવસથી મજુરી કામ મળતુ ન હોય, જેથી આર્થીક રીતે કાંટાળી જઈ પોતે પોતાની મેળે ભોલાર વાડી વિસ્તારમાં આવેલ કુવામાં પડી જતા મરણ ગયા હોવાનું નોંધાતા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Read More

Junagadh,તા. ૬           જુનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા છે. માણાવદર પંથકમાં “તું ચૂંટણીમાં રસ લેતો નહીં અને આડો આવતો નહીં” એમ કહીને સરાડીયા ગામના પૂર્વ સરપંચના જૂથ દ્વારા એક યુવક પર હુમલો કરી, પગ ભાંગી નાખ્યા હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે.           માણાવદરના સરાડીયા ગામમાં ક્રિષ્ના ડેરી ચલાવતા  વેપારી યુવક મનદીપ અમૃતભાઈ કેલૈયા એ આ વખતે ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ પદ માટે ફોર્મ ભર્યું હતું, અને તેમના પર હુમલો થાય તેવી ભીતિ હતી, જેથી મનદીપ અને અન્ય એક વ્યક્તી બને બાઈક ઉપર માણાવદર પોલીસ…

Read More

Junagadh તા. ૬           જુનાગઢ એસ.ઓ.જી. એ મેંદરડા નજીક સાસણ રોડ ઉપર આવેલ લોજ, રેસ્ટોરન્ટ અને ફાર્મ હાઉસનું ચેકિંગ હાથ ધરતા, જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થતો હોવાનું સામે આવતા, મેંદરડા પોલીસમાં ૪ જેટલા રેસ્ટોરન્ટ, હોટલ, અને રિસોર્ટના માલીકો સામે ગુનો દાખલ કરાવેલ હતો.            મેંદરડા સાસણ રોડ ઉપર આવેલ ગ્રીન સ્ટાર રેસ્ટોરન્ટમાં બહારના રાજ્યના માણસોને કામે રાખી સબંધિત પોલીસ સ્ટેશન ખાતે જાણ ન કરી, જીલ્લા મેજીસ્ટ્રેટ જૂનાગઢના જાહેરનામાઓની શરતોનો ભંગ કરી ગુન્હો કર્યાની રેસ્ટોરન્ટના માલિક અલ્પેશભાઇ ઉર્ફે કાળુભાઇ વ્રજલાલભાઇ સામે જુનાગઢ એસ.ઓ.જી. એ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, આવી જ રીતે…

Read More