Author: Vikram Raval

New Delhi,તા.૮ દિલ્હી અને પંજાબમાંથી પકડાયેલા છ શંકાસ્પદોની પૂછપરછમાં મહત્વપૂર્ણ માહિતી મળી છે. સિવિલ લાઇન્સમાં ન્યૂ પોલીસ લાઇન, દિલ્હીનું આનંદ વિહાર બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન આતંકવાદીઓના નિશાના પર હતા. પેટ્રોલ બોમ્બથી દિલ્હી પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. શંકાસ્પદો પાકિસ્તાનમાં રહેતા આઇએસઆઇ હેન્ડલર શહજાદ ભટ્ટીના નિર્દેશ પર કામ કરી રહ્યા હતા. શંકાઓના ફોનમાંથી ભરતીના વીડિયો મળી આવ્યા હતા. શંકાસ્પદોના ફોનમાંથી સિવિલ લાઇન્સમાં ન્યૂ પોલીસ લાઇન્સ, આનંદ વિહાર બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન અને ભીડભાડવાળા બજારના વીડિયો મળી આવ્યા હતા. આ વીડિયો પ્રતિબંધિત એપ્સ દ્વારા શહઝાદ ભટ્ટીને મોકલવામાં આવ્યા હતા. સ્પેશિયલ સેલે શહઝાદ ભટ્ટી અને આરોપીઓ વચ્ચે સોશિયલ મીડિયા…

Read More

રામ મંદિર ટ્રસ્ટમાં ખળભળાટ મચી ગયો છે, ચંપત રાય અને ગોવિંદ દેવ ગિરી તીર્થ ક્ષેત્ર ભવનમાં લગભગ બે કલાક સુધી મળ્યા. Ayodhya,તા.૮ ઉત્તર પ્રદેશમાં રામ મંદિરના દાનની ચોરી અંગે હોબાળો ચાલુ છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે, રામ મંદિરના નામે નકલી રસીદો આપવાનો પણ એક કિસ્સો સામે આવ્યો છે. માહિતી બહાર આવી છે કે આરોપીઓએ દાતાઓ પાસેથી પૈસા પડાવવા માટે નકલી રસીદોનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીના કહેવા પર રામ મંદિરના નામે બનાવેલી એક જૂની, નકલી દાન રસીદ બુક પણ મળી આવી હતી. સૂત્રો સૂચવે…

Read More

Gandhinagarતા.8 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કરતા, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનું ધાર્મિક પ્રવાસન એક સ્વર્ણિમ યુગ તરફ આગળ વધી રહ્યું છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’નું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. પોરબંદર જિલ્લામાં માધવપુર ખાતે આવેલું ‘શ્રી કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ’, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્મિણીના લગ્ન થયા હતા. આ પ્રાગૈતિહાસિક અને આધ્યાત્મિક સ્થળને હવે વૈશ્વિક ફલક પર ઝગમગતું બનાવવા માટે ગુજરાત સરકાર તથા તેના સાહસ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાનિંગ પર કાર્ય ચાલી રહ્યં છે. સંપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત માધવપુર ગામમાં એક-એક કિલોમીટરના વ્યાસમાં આવેલા તમામ પૌરાણિક સ્થળોને એક સુંદર સૂત્રમાં…

Read More

Gondal, તા.8 વ્યાજંકવાદ અંગે પોલીસ તંત્ર વ્યાજખોરો સામે આકરુ વલણ દાખવી રહ્યુ છે.લોકદરબાર નાં આયોજન દ્વારા જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યુ છે.તેમ છતા વ્યાજંકવાદ ઘટવાનું નામ નથી લેતો. ગોંડલ માં પઠાણી ઉઘરાણી સાથેનાં વ્યાજખોરી નો વધુ એક કિસ્સો સામે આવ્યો છ ગોંડલના કારખાનેદારે વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાયોકોલના કારખાનામાં નુકસાની આવતા યુવાને કણકોટના  વિશાલ સોંદરવા પાસેથી રૂ.7 લાખ તોતિંગ 30% ના વ્યાજે લીધેલ હતા. જેની સામે યુવાને પત્નીના દાગીના ગીરવે મૂકી ત્રણ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે વધુ 12 લાખની ઉઘરાણી કરી મોતનો ભય બતાવતા યુવાને વખ ઘોળ્યું હતું. સમગ્ર મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસે…

Read More

Jamnagarતા.8 દેશી દારૂના ઘર સમાન જામનગર શહેરના વુલનમિલ ફાટક પાસે આવેલ બાવરીવાસ વિસ્તારમાં પોલીસે વધુ એક વખત દેશી દારૂ મામલે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્રણ મહિલાના રહેણાક સ્થળેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી હતી. વુલનમિલ ફાટક, બાવરીવાસ વિસ્તારમાં રહેતા ધનુબેન કાનાભાઈ કોળીના રહેણાંક ઝુડામાં પોલીસે રેડ પાડી 10 લિટર દેશી દારૂ અને દારૂ બનાવવાનો 90 લિટર આથો તેમજ દેશી દારૂની ભઠ્ઠીના સાધનો સહીત 4400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત તે જ વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન ચંદાભાઈ પરમારના ઝૂપડાનથી 15 લીટર દેશી દારૂ 90 લિટર દેશી દારૂનો આથો અને દેશી દારૂ બનાવવાના સાધનો મળી 5400 રૂપિયાનો મુદ્દામાલ કબજે…

Read More

Rajkot, તા. 8 ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યની પ્રાદેશિક ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ (RFSL) માટે સાયન્ટિફિક ઓફિસર (ફિઝિક્સ) વર્ગ-2ની જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના ત્રણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક ગુજરાતની વિવિધ પ્રાદેશિક ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓમાં કરવામાં આવશે. પસંદગી પામનારાઓમાં ડો. હિમાંશુ દધીચ, યુવરાજસિંહ ડોડિયા અને યુવરાજ ચંદુનો સમાવેશ થાય છે. ડો. હિમાંશુ દધીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એસસી. તથા પીએચ.ડી. પૂર્ણ કરી છે, જ્યારે યુવરાજસિંહ ડોડિયા હાલમાં ભૌતિકશાસ્ત્ર ભવનમાં પીએચ.ડી. અભ્યાસ સાથે સંશોધન કાર્ય કરી રહ્યા છે. યુવરાજ ચંદુએ પણ ભૌતિકશાસ્ત્ર ભવનમાંથી એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી છે. ડો. હિમાંશુ દધીચે ડો. પિયુષ…

Read More

Islamabad તા.8 શારજાહથી (Sharjah) પાકિસ્તાનના કરાચી આવી રહેલું એક માલવાહક વિમાન અરબ સાગરમાં રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયું છે. નેવિગેશન સિસ્ટમ ખોરવાઈ ગયા બાદ આ વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલસાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનમાં ચાલક દળના 5 સભ્યો સવાર હતા અને પ્રાથમિક અહેવાલો મુજબ આ વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું  હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ દરિયામાં મોટા પાયે શોધખોળ અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે પાકિસ્તાની સમય મુજબ 9ઃ18 વાગ્યે વિમાને કરાચી તરફ આગળ વધતી વખતે નેવિગેશન સિસ્ટમમાં ખામી હોવાની જાણ કરી હતી. સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલે વિમાનને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો…

Read More

Surat, તા.8 ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની હાલત યથાવત રહી હોય તેમ જુદા-જુદા તાલુકાઓમાં 18 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ હતો. આજે સવારે પણ વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદી દોર જારી રહ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે સુરતના પલસાણામાં સૌથી વધુ 18.19 ઇંચ પાણી વરસ્યું હતું. કામરેજમાં 17.4 ઇંચ વરસાદ હતો. સુરત શહેરમાં 14.09 ઇંચ ખાબક્યો હતો. નવસારીમાં 15.28 ઇંચ, વલસાડના કપરાડામાં 12.68 ઇંચ, નવસારીના જલાલપોરમાં 11.02 ઇંચ વરસાદ હતો. તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ હતો. ડાયમંડ સીટી તરીકે ઓળખ ધરાવતું સુરત ફલડ સીટી બની ગયાનું ચિત્ર…

Read More

Washington, તા. 8 અમેરિકાની ફેડરલ કોર્ટે જેલમાં બંધ ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેનાં મુખ્ય સાથી સતિન્દરજીત સિંઘ ઉર્ફે ગોલ્ડી બરાડ સામે કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યાનો આદેશ આપવાનો અને કાવતં ઘડવાનો સત્તાવાર ગુનાહિત આરોપ મૂક્યો છે. અમેરિકી તપાસ એજન્સી FBI દ્વારા ચલાવવામાં આવેલાં `ઓપરેશન હાર્ડ બોલ’ નામનાં એક મોટા આંતરરાષ્ટ્રીય ઓપરેશન બાદ આ સનસનાટીપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે. ભારત સાથે જોડાયેલા આ સંગઠિત ગુનાહિત જૂથોના નેટવર્કને તોડવા માટે અમેરિકા, કેનેડા અને યુરોપની એજન્સીઓએ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી છે. આ વ્યાપક ઓપરેશન હેઠળ અમેરિકાનાં ન્યાય વિભાગ અને ગુપ્તચર એજન્સીઓએ કેલિફોર્નિયા, જોર્જિયા, કેનેડા અને સ્પેન સહિતનાં વિવિધ દેશોમાં…

Read More

Tehran,તા.08 અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક વડા આયાતોલ્લા ખામેનેઈની અંતિમવિધિમાં દ્રશ્યો વચ્ચે હોર્મુઝ જળમાર્ગમાં પસાર થઈ રહેલા ત્રણ વ્યાપારીક જહાજો પર ઈરાનના હુમલા બાદ તુર્તજ અમેરિકાએ `શિક્ષા’ના પગલા તરીકે ઈરાનના કેશમ દ્વીપ અને સિરિક પોર્ટ પર ઈરાનના સૈન્ય મથકોને નિશાન બનાવતા 80 જેટલા હુમલા કર્યા હતા. તેની સાથે જ ઈરાનને તેનું ક્રુડતેલ વેચવાની સંમતિ આપી હતી તે લાયસન્સ પણ પાછુ ખેચી લેતા ફરી ક્રુડતેલમાં નવા ભડકાના સંકેત છે. ઈરાને પણ અમેરિકી હુમલાના જવાબમાં ગલ્ફમાં અમેરિકી મથકો પર હુમલા કરતા યુદ્ધ વિરામ તુટી પડવાના સંકેત છે. બ્રીટીશ મેરીટાઈમ સિકયોરિટી એજન્સીના જણાવ્યા મુજબ હોર્મુઝમાંથી પસાર થઈ…

Read More