Author: Vikram Raval

Amreli,તા.07           અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં પડેલા અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ દરમિયાન લાઠી નગર પાલિકાના પ્રમુખના પતિ, પાલિકાના સભ્યો અને એન્જિનિયરે સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.           ગઈકાલે લાઠી પંથકમાં પડેલા અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ખાસ કરીને લાઠી ગામના ખોડીયાર નગર વિસ્તારના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા.            આ…

Read More

મહુવા–સુરત એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી Amreli તા.07                સાવરકુંડલા અને લીલીયા પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ રેલવે વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. જીરા રોડ–ભેંસવડી વચ્ચે બોરાળા ગામ નજીક રેલવે ટ્રેકનું ધોવાણ થતાં ગઈકાલે રાત્રે મહુવા–સુરત એક્સપ્રેસ ટ્રેન રદ કરવાની ફરજ પડી હતી, જ્યારે ધોળા–મહુવા પેસેન્જર ટ્રેનને પણ કલાકો સુધી સાવરકુંડલા સ્ટેશન ખાતે રોકી રાખવામાં આવી હતી.               અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂરના કારણે જિલ્લામાં રેલવે વ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી હતી. સાવરકુંડલા તાલુકાના જીરા…

Read More

( હિતેષ જોષી ) Una તા.07 માનવ સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતી BAPS સ્વામીનારાયણ સંસ્થા ઊના તાલુકા પુર અસર ગ્રસ્ત ગામો જઈ ફુડ પેકેટ વિતરણ કર્યું  ઊના તાલુકા માં શનિવાર અને રવિવારે બે દિવસ ધોધ માર વરસાદ વરસ્યો હતો રાવલડેમ છલકાઈ ગયો હતો અને છ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા હતા તેથી રાવલ નદી માં ઘોડા પુર આવ્યું હતું નદી નું પાણી ગાંગડા, માલણ, સનખડા, ખત્રીવાડા ગામો માં ઘૂસી ગયા હતા લોકો ના મકાન માં કમર ડૂબ પાણી ભરાઈ જતા ઘર વખરી અનાજ બધું પલળી ગયું હતું. અસરગ્રસ્ત ગામો ના લોકો માટે ઊના અને મહુવા બી. એ. પી. એસ.…

Read More

Amreli,તા.07            અમરેલી જિલ્લમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો છે.           ધારી તાલુકાના ખોખરા મહાદેવ વિસ્તારમાં રહેતા ચંદુભાઇ રવજીભાઇ વાઘેલા નામના ૩૫ વર્ષીય યુવક ગત તા.૫ ના સાંજના સાતેક વાગ્યાથી રાત્રીના દસેક વાગ્યા દરમ્યાન ધારી તાલુકાના સરસીયા ગામની સીમમાં રહેણાંક ફરજામાં સુતા હતા ત્યારે અતિ વરસાદને કારણે તે ફરજાની દિવાલ અચાનક પડી જતા યુવક ફરજાની છત નીચે તેમજ છતના બીમના વચ્ચે આવી જતા માંથામા તેમજ જમણા હાથે નાની મોટી ઇજાઓ થવાથી તેમજ મૂજારો થવાથી તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.        …

Read More

માત્ર સાફ-સફાઈ જ નહીં, ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવી બંધ પડેલાં મોંઘા સાધનો ફરી ઉપયોગમાં લેવાયા Rajkot, ગુજરાતભરમાં ૧ જુલાઈથી શરૂ થયેલા રાજ્યવ્યાપી “નમો સ્વચ્છતા અભિયાન”નો આજે સાતમો અને આખરી દિવસ છે. ૧ જુલાઈથી શરૂ થયેલા આ મહાઅભિયાનના માત્ર ૬ જ દિવસમાં રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૩૮ હજારથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે અને કુલ ૪.૪૭ લાખથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે. જેના પરિણામે ૧૬૫ ઓરડાઓ ખાલી થયા છે. આ અભિયાન માત્ર સાફ-સફાઈ પૂરતું સીમિત ન રહેતા ‘વેસ્ટમાંથી બેસ્ટ’નું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. હોસ્પિટલોમાં બંધ પડેલી અંદાજે ૩૪,૧૬૬ જેટલી વિવિધ વસ્તુઓનું સફળતાપૂર્વક રિપેરિંગ કરીને…

Read More

ગ્રે વોટર પ્લાન્ટ અને ગટર લાઇનનું કામ કરવા આવેલા મહેસાણાના શ્રમિક માનસિક અસ્થિર હોવાથી પગલું ભર્યું, પરિવારમાં શોક  રાજકોટ શહેરના ઢાઢણી ગામમાં ગ્રામ પંચાયતના ગ્રે વોટર પ્લાન્ટ અને ગટર લાઇનનું કામ કરવા આવેલા મહેસાણાના યુવકે માનસિક બીમારીના કારણે ચેકડેમમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સવારથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ ગઢકા અને ઢાઢણી ગામ વચ્ચે આવેલા ચેકડેમમાંથી મળી આવતા ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવને પગલે મૃતક યુવકના પરિવારમાં શોક છવાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણાના રહેવાસી શૈલેષભાઈ કિશાભાઈ ઠાકર (ઉં ૨૬)એ આજે સવારે માનસિક બીમારીના કારણે ગઢકા અને ઢાઢણી…

Read More

આહીર ચોક નજીક ઓપરેશનના ડરથી વૃદ્ધાએ ઝેરી ટીકડા ખાધા Rajkot,તા.07 શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આપઘાતના પ્રયાસના ત્રણ અલગ-અલગ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. મધરવાડા ગામ અને લક્ષ્મીનગરમાં ઘરકંકાસથી કંટાળીને બે પરણીતાએ ઝેરી દવા અને ફિનાઇલ પી લીધું હતું, જ્યારે આહીર ચોક પાસે વૃદ્ધાએ બીમારીના ઓપરેશનના ડરથી ઝેરી ટીકડા ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ત્રણેય મહિલાઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટ નજીક મધરવાડા ગામમાં આવેલી ચિરાગભાઈની વાડીએ રહીને ખેતીકામ કરતા લીલાબેન સેનાભાઈ હટીલા (ઉં.વ. ૩૨) સવારે ૮:૩૦ વાગ્યાના અરસામાં વાડીએ ઇયળ મારવાની જંતુનાશક દવા પી લીધી હતી. પ્રાથમિક…

Read More

લાલપાર્ક આહીર ચોક પાસે બાકી ભાડાની ઉઘરાણી કરતા પેસેન્જરએ રિક્ષાચાલકને છરી ઝીંકી Rajkot,તા.07 શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ રાત્રિના સમયે હિંસક હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં લાલપાર્ક આહીર ચોક પાસે બાકી નીકળતા ભાડાના પૈસા માંગવા બાબતે એક ડ્રાઈવર પર છરી વડે અને જંગલેશ્વર વિસ્તારમાં પાનની દુકાનનું કેરેટ કેમ તોડ્યું તેમ પૂછતા દુકાનદાર પર તલવાર વડે હુમલો કરી લોહીલુહાણ કરી દેવાતા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ન્યુ લાલ બહાદુર મેઇન રોડ, પાણીના ટાંકા સામે રહેતા વિજયભાઈ દિનેશભાઈ વાગડીયા (ઉં.વ. ૪૫) રાત્રિના ૯:૩૦ વાગ્યાના અરસામાં લાલપાર્ક આહીર ચોક…

Read More

New Delhi,તા. ૭ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે દિલ્હીના આરકે પુરમ વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું, જેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ૭૦ લાખ વૃક્ષો વાવવાનો છે. આ વૃક્ષારોપણ અભિયાન નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (દ્ગડ્ઢસ્ઝ્ર) ના સહયોગથી હાથ ધરવામાં આવશે. આ અભિયાનના ભાગ રૂપે, દિલ્હીના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ’એક પેડ મા કે નામ’ પહેલ હેઠળ સેન્ટ્રલ રિજ વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યું. આ વિસ્તારમાં રાષ્ટ્રપતિના બોડીગાર્ડ (ઁમ્ય્) રહે છે. ભાજપના સાંસદ રામવીર સિંહ બિધુરી, કમલજીત સેહરાવત, પ્રવીણ ખંડેલવાલ અને દિલ્હીના મંત્રી મનજિન્દર સિંહ સિરસા અને કપિલ મિશ્રા પણ હાજર હતા. ઝુંબેશ આપણી પ્રકૃતિને માન આપવા માટે છેઃ રેખા…

Read More

તા.08-07-2026 બુધવાર તિથિ અષ્ટમી (આઠમ) – ૧૨ઃ૨૪ઃ૧૫ સુધી નક્ષત્ર રેવતી – ૧૬ઃ૦૧ઃ૦૩ સુધી કરણ કૌલવ – ૧૨ઃ૨૪ઃ૧૫ સુધી, તૈતુલ – ૨૩ઃ૩૭ઃ૧૫ સુધી પક્ષ કૃષ્ણ યોગ અતિગંડ – ૧૨ઃ૩૭ઃ૨૧ સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૫ઃ૨૯ઃ૨૩ સૂર્યાસ્ત ૧૯ઃ૨૨ઃ૩૨ ચંદ્ર રાશિ મીન – ૧૬ઃ૦૧ઃ૦૩ સુધી ચંદ્રોદય ૨૪ઃ૨૧ઃ૦૦ ચંદ્રાસ્ત ૧૩ઃ૦૦ઃ૦૦ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૪ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ ૧૩ઃ૫૩ઃ૦૯ અશુભ સમય દુર મુહુર્ત ૧૧ઃ૫૮ઃ૧૧ થી ૧૨ઃ૫૩ઃ૪૩ ના કુલિક ૧૧ઃ૫૮ઃ૧૧ થી ૧૨ઃ૫૩ઃ૪૩ ના દુરી / મરણ ૧૭ઃ૩૧ઃ૨૬ થી ૧૮ઃ૨૬ઃ૫૯ ના રાહુ કાળ…

Read More