- Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
- રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
- Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
- એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
- Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
- ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
- ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
- જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
Author: Shri Nutan Saurashtra
રવીન્દ્ર પુલ્લેના ડિરેક્શનમાં બની રહેલી આ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, જેમાં રશ્મિકા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે Mumbai, તા.૬ નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાના ૩૦મા જન્મદિવસના અવસરે, તેની આગામી ફિલ્મ ‘માયસા’ ના નિર્માતાઓએ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટરમાં રશ્મિકા ખૂબ જ શક્તિશાળી અને આક્રમક અવતારમાં જોવા મળી રહી છે. રવીન્દ્ર પુલ્લેના ડિરેક્શનમાં બની રહેલી આ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, જેમાં રશ્મિકા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.પોસ્ટરમાં જોવા મળ્યો એક્ટ્રેસનો ખતરનાક અંદાજ નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું બ્લેક એન્ડ વ્હાઇટ પોસ્ટર શેર કર્યું છે. આમાં રશ્મિકાનો ચહેરો ધૂળ અને લોહીથી લથપથ છે. તેની આંખોમાં ગુસ્સો અને ચહેરા પર એક અલગ…
New Delhi, તા.6 અત્રે ફરી એકવાર દિલ્હી યુનિવર્સિટીની બે કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ફડા-તફડી મચી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હી યુનિ.ની રામજસ કોલેજ અને મિરાંડા કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ મલતા આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોલેજ પરિસરને ખાલી કરાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ કોલેજ એડમિનિસ્ટેશનને એક ઈ-મેલ મળ્યો હતો. જેમાં કેમ્પસમાં સંભવિત વિસ્ફોટથી એલર્ટ કરવામાં આવ્યું હતું. તપાસ માટે બોમ્બ ડિસ્પોઝેબલ અને સ્નિકર ડોગ સ્કવોડનો સહારો લેવામાં આવ્યો હતો. આ સમયે વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટીને સુરક્ષાના કારણે બહાર કરવામાં આવ્યા હતા. હજુ એ બહાર નથી આવ્યું કે ધમકી કોણે…
New Delhi,તા.06 સેબી એ કંપનીઓને ફરીથી સ્ટોક એક્સચેન્જ દ્વારા ઓપન માર્કેટમાંથી પોતાના શેરની પરત ખરીદી એટલે કે ’બાયબેક’ કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ટેક્સના નિયમોમાં ફેરફાર બાદ આ જૂની સિસ્ટમ ફરી શરૂ કરવામાં આવશે. ટેક્સની જટિલતાઓને કારણે તેને 1 એપ્રિલ 2025 થી બંધ કરી દેવામાં આવી હતી. 1 એપ્રિલ 2026 થી બાયબેક દ્વારા થતી આવક પર કંપનીઓને બદલે રોકાણકારોએ ’કેપિટલ ગેઈન્સ’ તરીકે ટેક્સ ચૂકવવો પડશે. આનાથી ટેક્સની સમાન વ્યવહાર સુનિશ્ચિત થશે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા માટે PPF, NSC પર એ જ વ્યાજ સરકારે એપ્રિલ થી જૂન 2026 ના ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓ (સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ) ના વ્યાજ દરોમાં…
New Delhi,તા.06 આરબીઆઈ એ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ 2020 (ટેક્સબલ) ના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેનાથી રોકાણકારોને વધુ સારી સુવિધા અને સરળ પ્રક્રિયાઓ મળશે. આ બોન્ડ સરકાર દ્વારા સમર્થિત રોકાણ વિકલ્પ છે, જે ઓછા જોખમ સાથે સ્થિર રિટર્ન આપે છે. હાલમાં આના પર 8.05 ટકા વ્યાજ મળી રહ્યું છે. જે FD ની સરખામણીમાં આકર્ષક માનવામાં આવે છે. આના વ્યાજ દર RBI ના દર સાથે જોડાયેલા હોય છે, જેમાં 0.35 ટકા વધારાનું વ્યાજ મળે છે. વ્યાજની ચુકવણી દર છ મહિને 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ કરવામાં આવશે અને મેચ્યોરિટીની રકમ સીધી રોકાણકારના બેંક ખાતામાં આવશે. બોન્ડનો મેચ્યોરિટી સમયગાળો 7 વર્ષ…
Gandhinagar,તા.06 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની યોજાઈ રહેલી ચુંટણીમાં આજે જાહેરનામા સાથે જ હવે ઉમેદવારી નોંધાવવાનું શરૂ થયું છે તે સમયે ભાજપમાં ગાંધીનગર એ હોટ-કેપીટલ બની ગયુ છે અને ગઈકાલથી શરૂ થયેલી સંકલન તથા પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક માટે ગાંધીનગરમાં રાજયભરમાંથી ચુંટણી લડવા ઈચ્છુક દાવેદારો તેમના ટેકેદારોનો મોટો સમુહ જોવા મળી રહ્યા છે. ભાજપે પાર્લીયામેન્ટ્રી બોર્ડ પહેલા જીલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગી શરૂ કરી છે તો સાથે મહાનગરો માટે તા.7-8-9 એમ ત્રણ દિવસ ફાળવ્યા છે. પક્ષના ટોચના નેતાઓના જણાવ્યા મુજબ ધારાસભ્યોના આવાસથી મંત્રીઓના બંગલા-સર્કીટ હાઉસ-કમલમ આ તમામ સ્થળો પર બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. તો અવારનવાર પક્ષના સંગઠનના ટોચના હોદેદારો તથા…
London તા.6 ગ્લોબલ વોર્મિંગ અને કલાયમેટ ચેન્જના કારણે એન્ટાર્ટીકામાં બરફ ઝડપથી પીગળી રહ્યો છે અને તેના કારણે આ ક્ષેત્રમાં હજારો ચોરસ કીલોમીટર જમીન ખુલ્લી થઈ છે તેમાં આગામી સમયમાં હવે આ ક્ષેત્રમાં ધરબાયેલા સોના-ચાંદી-તાંબુ અને લોખંડ સહિતના ધાતુઓ માટે એક નવી રેસ સર્જાય તેવી શકયતા છે. વાસ્તવમાં આ ફકત ગ્લોબલ વોર્મિંગનો જ પ્રશ્ન નથી પણ નવી વૈશ્વિક લડાઈ પણ શરુ થઈ શકે છે. નેચરલ કલાઈમેટમાં પ્રસિદ્ધ થયેલા એક મહત્વપૂર્ણ અભ્યાસ મુજબ એન્ટાર્ટીકાની ભૂમિમાં સોનુ-ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓનો મોટો ખજાનો છે અને 2300ના વર્ષ સુધીમાં 1.20 લાખ સ્કવેર કી.મી.ની જમીન બરફથી ખુલ્લી થઈ જશે અને તેથી ત્યાં કોનો હકક એ…
New Delhi,તા.06 દેશના કોર્પોરેટ જગતને સાંકળતી એક કાનુની લડાઈમાં સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપની તરફેણમાં ચુકાદો આપ્યો છે. અદાણી ગ્રુપની જયપ્રકાશ એસોસીએટસની રૂા.14535 કરોડની બોલી પર `સ્ટે’ આપવા સર્વોચ્ચ અદાલતે ઈન્કાર કર્યો છે. આ બોલી સામે વેદાંતા ગ્રુપે વાંધો ઉઠાવ્યો હતો. અગાઉ નેશનલ કંપની લો અપેલેટ ટ્રીબ્યુનલ દ્વારા પણ અદાણી ગ્રુપની બોલી પર સ્ટે કરવાનો ઈન્કાર કર્યો હતો. જેની સામે વેદાંતા એ સુપ્રીમમાં અરજી કરી હતી. ફડચામાં ગયેલી જયપ્રકાશ એસો.ના દેવા ચુકવવા માટે તે વેચવા માટે બીડ જાહેર થઈ છે.
Washington,તા.06 અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં એક તરફ યુદ્ધ વિરામની વાતચીત હોવાના સંકેત છે તો બીજી તરફ હોર્મુઝ જળમાર્ગ ખોલવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને જે અલ્ટીમેટમ આપ્યુ છે તેની મુદત પણ પુરી થવા જઈ રહી છે. તે વચ્ચે અમેરિકી સમય મુજબ બપોરે 1 વાગ્યે અને ભારતીય સમય મુજબ રાત્રીના 10.30 કલાકે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પત્રકારોને સંબોધશે. જેમાં તેઓ યુદ્ધ વિરામના કોઈ આશાજનક સંકેત આપે છે કે તેમના અલ્ટીમેટમની મુદત પુરી થતા કોઈ એકશનની જાહેરાત કરી છે તેના પર સૌની નજર છે.
New Delhi, તા.6 કેરલમ વિધાનસભા ચૂંટણી માટે આગામી 9 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાશે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા કેરલમમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. ત્યારે કેરલમમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કેરલમના ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતીઓને અશિક્ષિત-અભણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં…’ કેરલમના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં. તેઓ ખૂબ જ હોંશિયાર છે, તેઓ શિક્ષિત છે. મોદીજી, વિજયન (કેરલમના મુખ્યમંત્રી પિનારાયી વિજયન), તમે બંને એવા લોકોને મૂર્ખ બનાવી શકો છો જેઓ ગુજરાતમાં કે અન્ય સ્થળોએ અભણ છે, પરંતુ તમે કેરલમના લોકોને…
Tehran,તા.06 ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલના ચાલુ રહેલા હુમલામાં યુદ્ધ વિરામની વાતચીતો વચ્ચે પણ હવાઈ હુમલામાં તેજી આવી છે અને ઈઝરાયેલના હુમલામાં ઈરાનના શક્તિશાળી અને શિક્ષિત ગણાતા અને યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા ઈસ્લામીક રીવોલ્યુશનરી ગાર્ડના વડા મેજર જનરલ સૈયદ મજીદ ખાદેમી માર્યો ગયો છે. ઈરાને પણ તેના ગુપ્તચર વડાનું મોત થયાનું સ્વીકાર્યુ છે. મેજર જનરલ ખાદેમીનું મોત ઈરાન માટે મોટો ફટકો છે. બીજી તરફ ઈરાને ઈઝરાયેલની હાઈફા તેલ રીફાઈનરી પર મોટો હુમલો કર્યો હતો જેમાં 2 લોકોના મોત થયા છે. પુરા ક્ષેત્રમાં ઈરાની મિસાઈલ તથા ડ્રોન હુમલાનો વિસ્ફોટના અવાજો તથા આગ ધુમાડાના દ્રશ્યો જોવા મળ્યા હતા. હાઈફાએ ઈઝરાયેલનું સૌથી મોટુ તેલ…
