- Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
- રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
- Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
- એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
- Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
- ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
- ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
- જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
Author: Shri Nutan Saurashtra
Porbandar, તા.6 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ તરીકે વિશ્વભરમાં જાણીતા પોરબંદરના કિર્તીમંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રાજસ્થાનથી આવેલ એક મહિલા પ્રવાસી સાથે ચોરીની ઘટના બની છે. રાજસ્થાનથી અન્ય યાત્રાળુઓ સાથે પોરબંદરના કિર્તીમંદિરના દર્શન માટે આવેલી મહિલા પરિસરમાં ફરી રહી હતી, ત્યારે અજાણ્યા શખ્સોએ તકનો લાભ લઈને તેના પર્સમાં બ્લેડથી કાપો મારી 10 હજારની રકમ ઉઠાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતા મહિલાએ તરત જ આસપાસના લોકો અને કિર્તીમંદિરના કર્મચારીઓને માહિતી આપી હતી. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે . કે, જ્યારે આ મહિલા એ કિર્તીમંદિરના સ્ટાફને ફરિયાદ કરી ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે અહીંના સીસીટીવી કેમેરા હાલ બંધ…
Junagadh,તા.6 વિસાવદર પંથકના એક શખ્સે ઈન્સ્ટાગ્રામ અને પોનથી કોન્ટેકટ કરી સગીરા સાથે પ્રેમ સબંધ બાંધી લગ્નનું દબાણ કરી બળજબરી પૂર્વક સુરત લઈ જવાના બનાવમાં ભેંસાણ પોલીસે ત્રણ સામે ફરીયાદ નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વિસાવદરના ઢેબર ગામે રહેતા અર્ષિત વઘાસીયાએ ભેંસાણ પંથકની સગીરાનો ઈન્સ્ટાગ્રામ ફોનની મદદથી ફોસલાવી પ્રેમ સબંધ બાંધી બદકામ કરવાના ઈરાદે અર્ષિત અને ચણાકાનો પરેશ શંભુ રાદડીયાએ લગ્ન કરવા સગીરા ઉપર દબાણ કરી, તેના ભાઈનું અપહરણ કરવાની અને તેણીની સગાઈ કયાંય નહીં થવા દેવાની ધમકી આપી હતી. તેમના ઘરેથી સુરત અર્ષિત વઘાસીયા પાસે જવા મજબુર કરી હતી. બન્ને શખ્સોએ સગીરાનું અપહરણ કરાવડાવી તેમજ જેતપુરના થાણાગલોલના મીત…
Junagadh તા.6 કેશોદની માર્કેટમાં જાણીતી કંપનીની બનાવટી બીડીનો જથ્થો વેંચવા માટે લાવનાર કોડીનોરનો વાહન ચાલક ઝડપાઈ જવા પામ્યો હતો. આ બીડીનો જથ્થો અમરેલીના શખ્સે વેંચાણ માટે આવ્યો હતો. કંપનીના વેરાવળના ફિલ્ડ ઓફીસરે બન્ને શખ્સો સામે જાણીતી બીડી કંપનીના લેબલો અને રેપર બનાવી નકલી બીડીનું વેંચાણ કરી કંપનીને આર્થિક નુકશાન પહોંચાડવાનું ફરીયાદમાં જણાવાયું છે. બીડી કંપનીમાં ફીલ્ડ ઓફીસર તરીકે નોકરી કરતા અને વેરાવળ ખાતે રહેતા જીતેન્દ્રભાઈ બાલકિસન જેઠવાને મળેલી હકીકત મુજબ કોડીનારનો સોલંકી કિરણ લખમણ વાહનમાં બનાવટી બીડી લઈને કેશોદની દુકાનોમાં છુટક વહેંચાણ અર્થે આવી રહ્યો છે જેની પોલીસમાં જાણ કરતા વેરાવળ રોડ પર ચેકીંગ દરમ્યાન 243 પેકેટ બીડીના મળી આવ્યા…
Junagadh તા.6 જુનાગઢમાં માસીને ત્યાં આવેલી ભાણીને હું તને પ્રેમ કરુ છું તેમ કહી દુષ્કર્મની કોશીષ માસાએ કરી શરીરે અડપલા કર્યા હતા જેની યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને દબોચી લીધો હતો. જુનાગઢ મધુરમ વિસ્તારના એપાર્ટમેન્ટમાં રહેતો અને ડ્રાઈવીંગ વ્યવસાય કરતો હીરા વાજસુર જલુ એ મહારાષ્ટ્રની મહિલા સાથે અગાઉ લગ્ન કરેલ કોરોના સમયે મહિલાનું મોત થવા પામેલ. ફરીથી હીરા વાજસુર જલુએ મહારાષ્ટ્રની અન્ય મહિલા સાથે લગ્ન કરેલ. પત્ની પીયર ગઈ બાદ છળકપટથી મહારાષ્ટ્ર રહેતી ભાણીને જુનાગઢ બોલાવેલ 19 વર્ષની ભાણી ગત તા.4-4-26ની રાત્રીના પોણા બારે માસાના ઘરે સુતી હતી. ત્યારે માસા હીરા વાજસુરે કહેલ કે હું તને પ્રેમ કરું છું તેમ…
Junagadh તા.6 જુનાગઢના છેતરપીંડીના ગુનામાં બાર બાર વર્ષથી નાસતો ફરતો આરોપીને દબોચી લેતી એ ડીવીઝન પોલીસે વર્ષ 2014માં 420, 406, સહિતની કલમો નીચે એ ડીવીઝન પોલીસમાં નોંધાયેલ ગુન્હાનો આરોપી અસલમ અબા કાદર કસીરી રે. મછીયારવાડા જુનાગઢ વાળો છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો હોય આવા ગુન્હેગારોને પકડી પાડવા જુનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા એસપી સુબોધ ઓડેદરાએ તાકીદ કરતા નાયબ પોલીસ અધિકારી હીતેષ ધાંધલ્યાના માર્ગદર્શન નીચે પોલીસ ઈન્સપેકટર એસ.કે. દેસાઈને મળેલી બાતમીના આધારે આરોપી અસલમ અબાકાદર કસીરીને સુખનાથ ચોક ખાતેથી દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બાર બાર વર્ષથી કયાં છુપાયો હતો, કોણે કોણે આસરો આપ્યો હતો. સહિતની તપાસ હાથ ધરવામાં…
Junagadh તા.6 પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની 1988ના 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય કાર્યક્રમમાં જાહેરમાં હત્યા કરી નાખનાર રિબડાના અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને આજીવન કેદની સજા થવા પામેલ. બાદ 2018માં સજા માફી થતા જેલમુકત કરાયેલ જેમાં પૂર્વ ધારાસભ્યના પૌત્રએ હાઈકોર્ટમાં સજા માફી વિરૂધ્ધ અરજી કરતા ફરી જેલની હવાલે કરવાનો હુકમ થયો હતો. અમીત ખુંટના આપઘાત કેસમાં તે ફરાર રહ્યા બાદ ગોંડલ કોર્ટમાં આત્મ સમર્પણ કરેલ. હાલ જુનાગઢ જેલમાં હોય તેને જેલ અધિક્ષક નાસુરૂદીન લોહારના જણાવ્યા મુજબ સરકારની નીતિ-નિયમો અને વહીવટી કારણોસર અનિરૂધ્ધસિંહને અમદાવાદ સાબરમતી જેલમાં મોકલવાનો હુકમ થતા ગઈકાલે સવારે 7 કલાકે સુરત ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જુનાગઢની જેલમાંથી અમદાવાદ જેલમાં મોકલી દેવામાં આવેલ…
Veraval, તા.6 સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા તા.03/04/2026 શુક્રવાર થી ધારાસભ્યના કાર્યાલય, ટાવર ચોક, એક્સિસ બેન્ક ની બાજુમાં, વેરાવળ રાખવામાં આવ્યું છે. વેરાવળ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા ઇચ્છુક ઉમેદવારો માટે ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક ઉમેદવારો પોતાનું ફોર્મ જાતે ભરી શકશે. સોમનાથ વિધાનસભા વિસ્તારમાં આવતી જિલ્લા પંચાયત તથા વેરાવળ તાલુકા પંચાયતની સીટ માટેની ફોર્મ પ્રક્રિયા સવારે 10 થી 1 વાગ્યા સુધી યોજાશે. આ પ્રક્રિયાના ફોર્મ…
Prabhaspatan, તા.6 સમગ્ર દેશના દરિયાઈ બંદરો 5 એપ્રિલે રાષ્ટ્રીય વહાણવટા દિવસ ઉજવી રહ્યુ છે ત્યારે અતીત ના એ કાલખંડમાં ડૂબકી લગાવીએ. ભારતના પહેલા શિપે 1919 માં મુંબઈથી લંડન વિદેશાગમન કર્યુ હતુ. સોમનાથ મહાભારતકાળથી પ્રસિધ્ધ બંદર હતુ, તેનો ઈતિહાસવિદ્દ ડો. ગિરીશ ઠાકર કહે છે હજારો વર્ષ પૂર્વેથી પરમ વઉભવનો સાગર અહી ઉછળતો હતો અને સાગરને રત્નાકર એટલા માટે કહેવાતો કે જગત આખામાંથી વિવિધ પ્રકારના રત્નો લઈ વહાણો અહી લાંગરતા. અરબસ્તાનથી ચીન સુધી રોમ બેબીલોન સહિના દેશ -પરદેશનાં સાગર ખેડૂ વેપારીઓ પોતાનો માલ લઈ અહીની સમૃધ્ધિમાં વધારો કરતા. વેરાવળ સી.આઈ.એફ.ટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. આશીષકુકમાર ઝા અને વૈજ્ઞાનિક ચિન્નદૂરઈ એસ કહે છે કે…
Gondal તા. 6 ગોંડલમાં નગરપાલિકાની ચુંટણીઓને લઇને ’ગરમ’ ગણાતાં ગોંડલ માં ભારે ઉતેજના સર્જાઇ છે. આ ચુંટણીમાં આપની એન્ટ્રી થવાથી ત્રિપાંખીયો જંગ ખેલાવાની શક્યતાઓ વધી છે. ભાજપ દ્વારા ઉમેદવારો ની લેવાયેલી સેન્સ પ્રક્રીયા માં નગરપાલિકા ની 44 બેઠકો માટે 180 જેટલા ટીકીટ વાચ્છુઓ એ દાવેદારી નોંધાવી હતી.ભાજપ દ્વારા તે પૈકી 44 ઉમેદવારોની પસંદગી કરી સંભવિત તા.6 સોમવાર અથવા મંગળવારે ઉમેદવારોની યાદી જાહેર કરનાર છે. ભાજપ મોવડી અશોકભાઈ પીપળીયાએ કહ્યુ કે રોટેશન ને ધ્યાને લઇ તમામ સમાજને પ્રતિનિધિત્વ મળી રહે તે રીતે ઉમેદવારોની પસંદગી કરાઇ છે.તેમણે દાવો કર્યો હતો.કે ભાજપ ગત ચુંટણીનું પુનરાવર્તન કરી પાલીકાની તમામ 44 બેઠકો જીતશે. બીજી બાજુ…
Gondal, તા. 6 ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં નેશનલ હાઈવે પર સિક્સ લેનનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરના ડમ્પરે એક ટ્રક અને કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ડમ્પર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. નેશનલ હાઈવે પર સિક્સ લેનનું કામ કરી રહેલી વારાહ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના ડમ્પર એ માર્ગ પર પસાર થઈ રહેલી એક ટ્રક અને વેગનર કારને હડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોને મોટું નુકસાન થયું હતું. જ્યારે ડમ્પર ચાલક તોમાંગસીગ મોહનલાલ જાટ (ઉં.વ. 55) ને શરીરે ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 મારફતે ગોંડલ…
